અન્નપૂર્ણા વ્રતનો આજથી થયો પ્રારંભ, જાણો અન્નપૂર્ણા વ્રતનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-29 09:34:19

માતા અન્નપૂર્ણાને સૃષ્ટિનું ભરણ ભોષણ કરનાર દેવી માનવામાં આવે છે. માતા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું જ એક રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સંસારમાં ધાન્યની અછત સર્જાઈ હતી તે વખતે માતાજીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું અને ભીક્ષા માંગવા આવેલા ભગવાન શંકરને અન્ન આપ્યું હતું. ત્યારે મતાાજીને પ્રિય એવા અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. 

श्री अन्नपूर्णा षष्ठी का व्रत कर पायें धन धन्‍य और सुखी परिवार का अाशीर्वाद  - Know the importance of Shri Annapurna Shashti fast

અન્નપૂર્ણા વ્રત 21 સુધી ચાલે છે. આ વ્રત દરમિયાન માતા અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવામાં આવે છે. માગશર સુદ છઠ્ઠથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને માગશર વદ અગિયારસ સુધી આ વ્રત ચાલે છે. આ વ્રતની વિધી પ્રમાણે 21 સુતરના તારને 21 ગાંઠો વાળીને દોરો તૈયાર કરવામાં આવે છે અને તેને ધારણ કરી માતાજીની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન માતા અન્નપૂર્ણાને કંકુ, ચંદન તેમજ પુષ્પ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. માતાજીની પ્રતિમા અથવા તો ફોટાને બાજોટ પર પાથરેલા લાલ કપડા પર મૂકી માતાજીની પૂજા કરવી જોઈએ. માતાજી સમક્ષ વ્રતની કથા વાંચવી જોઈએ અને આ મંત્રથી માતાજીની પૂજા કરવી જોઈએ. 

અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે ।

જ્ઞાનવૈરાગ્ય સિદ્ધર્થ ભિક્ષાન્નદેહિ ચ પાર્વતી ।।  

માતા અન્નપૂર્ણાને અન્નની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. કીણીને કણ અને હાથીને મણ આપવાની ક્ષમતા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત માતાજીની સાચા દિલથી પૂજા કરે છે તેના ઘરમાં કદી અન્ન ખુટતું નથી. આ વ્રત દરમિયાન અનેક લોકો એક ટાણું પણ કરતા હોય છે. માતાજીની કૃપાથી ધરતી પર અન્ન ઉત્પન્ન થયું હતું. અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં કદી ધાન્યની ખોટ ન થાય તે માટે ભક્તો દ્વારા આ વ્રત કરવામાં  આવે છે.  




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.