અન્નપૂર્ણા વ્રતનો આજથી થયો પ્રારંભ, જાણો અન્નપૂર્ણા વ્રતનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-29 09:34:19

માતા અન્નપૂર્ણાને સૃષ્ટિનું ભરણ ભોષણ કરનાર દેવી માનવામાં આવે છે. માતા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું જ એક રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સંસારમાં ધાન્યની અછત સર્જાઈ હતી તે વખતે માતાજીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું અને ભીક્ષા માંગવા આવેલા ભગવાન શંકરને અન્ન આપ્યું હતું. ત્યારે મતાાજીને પ્રિય એવા અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. 

श्री अन्नपूर्णा षष्ठी का व्रत कर पायें धन धन्‍य और सुखी परिवार का अाशीर्वाद  - Know the importance of Shri Annapurna Shashti fast

અન્નપૂર્ણા વ્રત 21 સુધી ચાલે છે. આ વ્રત દરમિયાન માતા અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવામાં આવે છે. માગશર સુદ છઠ્ઠથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને માગશર વદ અગિયારસ સુધી આ વ્રત ચાલે છે. આ વ્રતની વિધી પ્રમાણે 21 સુતરના તારને 21 ગાંઠો વાળીને દોરો તૈયાર કરવામાં આવે છે અને તેને ધારણ કરી માતાજીની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન માતા અન્નપૂર્ણાને કંકુ, ચંદન તેમજ પુષ્પ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. માતાજીની પ્રતિમા અથવા તો ફોટાને બાજોટ પર પાથરેલા લાલ કપડા પર મૂકી માતાજીની પૂજા કરવી જોઈએ. માતાજી સમક્ષ વ્રતની કથા વાંચવી જોઈએ અને આ મંત્રથી માતાજીની પૂજા કરવી જોઈએ. 

અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે ।

જ્ઞાનવૈરાગ્ય સિદ્ધર્થ ભિક્ષાન્નદેહિ ચ પાર્વતી ।।  

માતા અન્નપૂર્ણાને અન્નની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. કીણીને કણ અને હાથીને મણ આપવાની ક્ષમતા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત માતાજીની સાચા દિલથી પૂજા કરે છે તેના ઘરમાં કદી અન્ન ખુટતું નથી. આ વ્રત દરમિયાન અનેક લોકો એક ટાણું પણ કરતા હોય છે. માતાજીની કૃપાથી ધરતી પર અન્ન ઉત્પન્ન થયું હતું. અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં કદી ધાન્યની ખોટ ન થાય તે માટે ભક્તો દ્વારા આ વ્રત કરવામાં  આવે છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.