પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત, જાણો ગુજરાતના કયા અધિકારીના નામની કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-01-25 11:13:00

આવતી કાલે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે. વાત કરીએ તો વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ ,અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવ્યો છે. 

ગૃહમંત્રાલયે નામ અંગેની કરી જાહેરાત!   

પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા કર્મચારીઓને એનાયત કરવામાં આવતા વીરતા પુરસ્કારોના નામ અંગેની જાહેરાત કરી છે. તે ઉપરાંત સેવા ચંદ્રકોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. આજે એટલે કે ગુરૂવારે આ અંગેની માહિતી બહાર પાડવામાં આવી છે. સુરક્ષાકર્મીઓને સેવાઓ માટે સન્માનિત કરવામાં આવશે. મહત્વનું છે કે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ફાયર સર્વિસ, પોલીસકર્મી, હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ સર્વિસ આપનાર કર્મીઓનો સમાવેશ છે. 

Gallantry Awards: આ વર્ષે 1132 જવાનોનું સન્માન કરવામાં આવશે, ગુજરાતનાં 17 પોલીસ કર્મચારીઓને મળશે મેડલ

કોના કોના નામની કરાઈ જાહેરાત?

જે વિગતો સામે આવી છે તે પ્રમાણે કુલ 1,132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે તેમાં પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કાર્યો કરનારનો સમાવેશ છે. ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે.  તે ઉપરાંત ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, છત્તીસગઢના કર્મચારી તેમજ અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે. ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.