પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત, જાણો ગુજરાતના કયા અધિકારીના નામની કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-01-25 11:13:00

આવતી કાલે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે. વાત કરીએ તો વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ ,અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવ્યો છે. 

ગૃહમંત્રાલયે નામ અંગેની કરી જાહેરાત!   

પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા કર્મચારીઓને એનાયત કરવામાં આવતા વીરતા પુરસ્કારોના નામ અંગેની જાહેરાત કરી છે. તે ઉપરાંત સેવા ચંદ્રકોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. આજે એટલે કે ગુરૂવારે આ અંગેની માહિતી બહાર પાડવામાં આવી છે. સુરક્ષાકર્મીઓને સેવાઓ માટે સન્માનિત કરવામાં આવશે. મહત્વનું છે કે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ફાયર સર્વિસ, પોલીસકર્મી, હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ સર્વિસ આપનાર કર્મીઓનો સમાવેશ છે. 

Gallantry Awards: આ વર્ષે 1132 જવાનોનું સન્માન કરવામાં આવશે, ગુજરાતનાં 17 પોલીસ કર્મચારીઓને મળશે મેડલ

કોના કોના નામની કરાઈ જાહેરાત?

જે વિગતો સામે આવી છે તે પ્રમાણે કુલ 1,132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે તેમાં પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કાર્યો કરનારનો સમાવેશ છે. ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે.  તે ઉપરાંત ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, છત્તીસગઢના કર્મચારી તેમજ અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે. ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.