સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદર પરથી વધુ 16 કિલ્લો ચરસનો જથ્થો મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:31:04

ગુજરાતના અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ તેમજ દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આ વખતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદરેથી ચરસ મળી આવ્યું છે. 16 પેકેટમાં ભરેલુ ચરસ એસઓજીએ પકડી પાડ્યું છે. ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત તરીકે ગુજરાતનું નામ પ્રખ્યાત થાય તો નવાઈ નહી. હીરાકોટ બંદર નજીકના સમુદ્રમાંથી ચરસના 16થી વધુ પેકેટ મળી આવ્યા છે. એક સમય એવો હતો કે દારૂની બોટલો મળી આવતી, હવે ચરસ તેમજ ડ્રગ્સ અવાર-નવાર મળી આવે છે.


ચરસ જપ્ત કરી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં ફરી એક વખત એસ.ઓ.જી ટીમને ચરસ પકડવામાં સફળતા મળી છે. ઓગસ્ટ મહિના દરમિયાન 301 કિલો ચરસનો જથ્થો એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. સમુદ્ર કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસનો જથ્થો મળી આવતા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના કિનારેથી મળી આવેલા ચરસની કિંમત આશરે 4 કરોડ 51 લાખ માનવામાં આવી રહી છે. ચરસનો જથ્થો જપ્ત કરી એસ.ઓ.જીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. NDPSએક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.   



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.