સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદર પરથી વધુ 16 કિલ્લો ચરસનો જથ્થો મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:31:04

ગુજરાતના અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ તેમજ દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આ વખતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદરેથી ચરસ મળી આવ્યું છે. 16 પેકેટમાં ભરેલુ ચરસ એસઓજીએ પકડી પાડ્યું છે. ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત તરીકે ગુજરાતનું નામ પ્રખ્યાત થાય તો નવાઈ નહી. હીરાકોટ બંદર નજીકના સમુદ્રમાંથી ચરસના 16થી વધુ પેકેટ મળી આવ્યા છે. એક સમય એવો હતો કે દારૂની બોટલો મળી આવતી, હવે ચરસ તેમજ ડ્રગ્સ અવાર-નવાર મળી આવે છે.


ચરસ જપ્ત કરી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં ફરી એક વખત એસ.ઓ.જી ટીમને ચરસ પકડવામાં સફળતા મળી છે. ઓગસ્ટ મહિના દરમિયાન 301 કિલો ચરસનો જથ્થો એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. સમુદ્ર કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસનો જથ્થો મળી આવતા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના કિનારેથી મળી આવેલા ચરસની કિંમત આશરે 4 કરોડ 51 લાખ માનવામાં આવી રહી છે. ચરસનો જથ્થો જપ્ત કરી એસ.ઓ.જીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. NDPSએક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.