સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદર પરથી વધુ 16 કિલ્લો ચરસનો જથ્થો મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:31:04

ગુજરાતના અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ તેમજ દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આ વખતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદરેથી ચરસ મળી આવ્યું છે. 16 પેકેટમાં ભરેલુ ચરસ એસઓજીએ પકડી પાડ્યું છે. ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત તરીકે ગુજરાતનું નામ પ્રખ્યાત થાય તો નવાઈ નહી. હીરાકોટ બંદર નજીકના સમુદ્રમાંથી ચરસના 16થી વધુ પેકેટ મળી આવ્યા છે. એક સમય એવો હતો કે દારૂની બોટલો મળી આવતી, હવે ચરસ તેમજ ડ્રગ્સ અવાર-નવાર મળી આવે છે.


ચરસ જપ્ત કરી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં ફરી એક વખત એસ.ઓ.જી ટીમને ચરસ પકડવામાં સફળતા મળી છે. ઓગસ્ટ મહિના દરમિયાન 301 કિલો ચરસનો જથ્થો એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. સમુદ્ર કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસનો જથ્થો મળી આવતા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના કિનારેથી મળી આવેલા ચરસની કિંમત આશરે 4 કરોડ 51 લાખ માનવામાં આવી રહી છે. ચરસનો જથ્થો જપ્ત કરી એસ.ઓ.જીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. NDPSએક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .