સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદર પરથી વધુ 16 કિલ્લો ચરસનો જથ્થો મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:31:04

ગુજરાતના અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ તેમજ દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આ વખતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદરેથી ચરસ મળી આવ્યું છે. 16 પેકેટમાં ભરેલુ ચરસ એસઓજીએ પકડી પાડ્યું છે. ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત તરીકે ગુજરાતનું નામ પ્રખ્યાત થાય તો નવાઈ નહી. હીરાકોટ બંદર નજીકના સમુદ્રમાંથી ચરસના 16થી વધુ પેકેટ મળી આવ્યા છે. એક સમય એવો હતો કે દારૂની બોટલો મળી આવતી, હવે ચરસ તેમજ ડ્રગ્સ અવાર-નવાર મળી આવે છે.


ચરસ જપ્ત કરી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં ફરી એક વખત એસ.ઓ.જી ટીમને ચરસ પકડવામાં સફળતા મળી છે. ઓગસ્ટ મહિના દરમિયાન 301 કિલો ચરસનો જથ્થો એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. સમુદ્ર કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસનો જથ્થો મળી આવતા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના કિનારેથી મળી આવેલા ચરસની કિંમત આશરે 4 કરોડ 51 લાખ માનવામાં આવી રહી છે. ચરસનો જથ્થો જપ્ત કરી એસ.ઓ.જીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. NDPSએક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.