રાજ્યમાં સર્જાયો વધુ એક અકસ્માત, જીવનદાયીની સાબિત થતી એમ્બ્યુલન્સની થઈ ટક્કર! થયા ત્રણ લોકોના મોત... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-26 11:33:24

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારજનોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર બન્યો છે. ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઈ છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થઈ ગયા છે. જે લોકોના મોત થયા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર, દર્દીના બે સગા છે. મળતી માહિતી અનુસાર બે મહિલાના મોત આ ઘટનામાં થયા છે. 

News18 Gujarati

ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો અકસ્માત 

દર્દીઓની સુરક્ષા માટે એમ્બ્યુલન્સ અનેક વખત લાભકારી સાબિત થતી હોય છે. એમ્બ્યુલન્સને કારણે અનેક લોકોના જીવ બચ્યા હશે કારણ કે તે સમયસર દર્દીને હોસ્પિટલ પહોંચાડે છે અને દર્દીને સારવાર મળતી હોય છે. પરંતુ એક ચોટીલા- રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. હાઈવે પર અનેક વખત જોવા મળતું હોય છે કે વાહનો બેફામ બની ચલાવતા હોય છે. જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે બીજાના ભૂલની સજા બીજાને ભોગવવી પડતી હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. 


દર્દીનો થયો આબાદ બચાવ પરંતુ...! 

ત્યારે જે અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો છે તેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી  તેવી માહિતી સામે આવી છે. આ ટક્કરમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જેમાં બે મહિલાઓનો તેમજ એમ્બ્યુલન્સ ચાલકનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર ચોટીલાના દર્દીની તબિયત ખરાબ થઈ જતા તેમને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક સાથે ટક્કર થઈ અને આ દુર્ઘટના સર્જાઈ. મહત્વનું છે કે આ ઘટનામાં દર્દીનો આબાદ બચાવ થયો છે.     



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.