રાજ્યમાં સર્જાયો વધુ એક અકસ્માત, જીવનદાયીની સાબિત થતી એમ્બ્યુલન્સની થઈ ટક્કર! થયા ત્રણ લોકોના મોત... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-26 11:33:24

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારજનોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર બન્યો છે. ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઈ છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થઈ ગયા છે. જે લોકોના મોત થયા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર, દર્દીના બે સગા છે. મળતી માહિતી અનુસાર બે મહિલાના મોત આ ઘટનામાં થયા છે. 

News18 Gujarati

ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો અકસ્માત 

દર્દીઓની સુરક્ષા માટે એમ્બ્યુલન્સ અનેક વખત લાભકારી સાબિત થતી હોય છે. એમ્બ્યુલન્સને કારણે અનેક લોકોના જીવ બચ્યા હશે કારણ કે તે સમયસર દર્દીને હોસ્પિટલ પહોંચાડે છે અને દર્દીને સારવાર મળતી હોય છે. પરંતુ એક ચોટીલા- રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. હાઈવે પર અનેક વખત જોવા મળતું હોય છે કે વાહનો બેફામ બની ચલાવતા હોય છે. જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે બીજાના ભૂલની સજા બીજાને ભોગવવી પડતી હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. 


દર્દીનો થયો આબાદ બચાવ પરંતુ...! 

ત્યારે જે અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો છે તેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી  તેવી માહિતી સામે આવી છે. આ ટક્કરમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જેમાં બે મહિલાઓનો તેમજ એમ્બ્યુલન્સ ચાલકનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર ચોટીલાના દર્દીની તબિયત ખરાબ થઈ જતા તેમને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક સાથે ટક્કર થઈ અને આ દુર્ઘટના સર્જાઈ. મહત્વનું છે કે આ ઘટનામાં દર્દીનો આબાદ બચાવ થયો છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.