Ahmedabad : Iskon Bridge પર સર્જાયો વધુ એક અકસ્માત, બેફામ રીતે આવી રહેલી ગાડીએ લીધો રાહદારીનો ભોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-01 13:44:31

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યાં તો તે જ જગ્યા પર બીજો એક અકસ્માત સર્જાયો છે . એ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા ત્યારે આ અકસ્માત 10 નહીં પરંતુ એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે. ફૂલસ્પીડમાં આવી રહેલી ગાડીએ રાહદારીને ટક્કર મારી છે અને અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે. આ અકસ્માતમાં બાઈક ચાલકને પણ ગાડીવાળાએ ટક્કર મારી હતી જેને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  


તથ્યકાંડ બાદ પોલીસે શરૂ કરી હતી મેગાડ્રાઈવ 

તથ્યકાંડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. અમદાવાદમાં એક મહિના સુધી મેગા ડ્રાઈવ ચલાવી, કાયદાનો ભંગ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. જ્યારે અમદાવાદમાં પોલીસ દ્વારા ડ્રાઈવ ચાલી રહી હતી તે સમયે પણ અનેક લોકો એવા હતા જે કાયદાનો ભંગ કરી ગાડી ઓવરસ્પીડમાં ચલાવતા હતા, ડ્રિંક કરી ડ્રાઈવ કરતા હતા, વગેરે વગેરે... એ સમયે પોલીસની ડ્રાઈવને જોતા લાગતું હતું કે અકસ્માતોની સંખ્યા પર અંકુશ આવી જશે. લોકોમાં કાયદાનો ડર રહેશે, ઓવરસ્પીડમાં ગાડી ચલાવતા પહેલા લોકો વિચાર કરશે પરંતુ ના, કંઈ જ નથી બદલાયું. તથ્યકાંડમાંથી પણ લોકો નથી શિખ્યા કે ઝડપીની મજા બીજા માટે મોતની સજા બનતી હોય છે. મેગા ડ્રાઈવ બાદ પણ પોલીસનો  અને કાયદાનો ડર લોકોને ન હોય તેવું લાગી રહ્યું છે. 


ઈસ્કોન બ્રિજ પર સર્જાયો વધુ એક અકસ્માત

તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતને આજે એટલા માટે યાદ કરવો છે કારણ કે ઈસ્કોન બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં એક રાહદારીનું મોત થઈ ગયું છે. ગુરૂવાર રાત્રે અકસ્માત સર્જાયો છે અને જે વ્યક્તિનું આ ઘટનામાં મૃત્યુ થયું છે તેમનું નામ યતેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે અને તે ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને કારચાલક કોણ હતો, અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસની શરૂઆત પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.