Ahmedabad : Iskon Bridge પર સર્જાયો વધુ એક અકસ્માત, બેફામ રીતે આવી રહેલી ગાડીએ લીધો રાહદારીનો ભોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-01 13:44:31

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યાં તો તે જ જગ્યા પર બીજો એક અકસ્માત સર્જાયો છે . એ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા ત્યારે આ અકસ્માત 10 નહીં પરંતુ એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે. ફૂલસ્પીડમાં આવી રહેલી ગાડીએ રાહદારીને ટક્કર મારી છે અને અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે. આ અકસ્માતમાં બાઈક ચાલકને પણ ગાડીવાળાએ ટક્કર મારી હતી જેને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  


તથ્યકાંડ બાદ પોલીસે શરૂ કરી હતી મેગાડ્રાઈવ 

તથ્યકાંડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. અમદાવાદમાં એક મહિના સુધી મેગા ડ્રાઈવ ચલાવી, કાયદાનો ભંગ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. જ્યારે અમદાવાદમાં પોલીસ દ્વારા ડ્રાઈવ ચાલી રહી હતી તે સમયે પણ અનેક લોકો એવા હતા જે કાયદાનો ભંગ કરી ગાડી ઓવરસ્પીડમાં ચલાવતા હતા, ડ્રિંક કરી ડ્રાઈવ કરતા હતા, વગેરે વગેરે... એ સમયે પોલીસની ડ્રાઈવને જોતા લાગતું હતું કે અકસ્માતોની સંખ્યા પર અંકુશ આવી જશે. લોકોમાં કાયદાનો ડર રહેશે, ઓવરસ્પીડમાં ગાડી ચલાવતા પહેલા લોકો વિચાર કરશે પરંતુ ના, કંઈ જ નથી બદલાયું. તથ્યકાંડમાંથી પણ લોકો નથી શિખ્યા કે ઝડપીની મજા બીજા માટે મોતની સજા બનતી હોય છે. મેગા ડ્રાઈવ બાદ પણ પોલીસનો  અને કાયદાનો ડર લોકોને ન હોય તેવું લાગી રહ્યું છે. 


ઈસ્કોન બ્રિજ પર સર્જાયો વધુ એક અકસ્માત

તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતને આજે એટલા માટે યાદ કરવો છે કારણ કે ઈસ્કોન બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં એક રાહદારીનું મોત થઈ ગયું છે. ગુરૂવાર રાત્રે અકસ્માત સર્જાયો છે અને જે વ્યક્તિનું આ ઘટનામાં મૃત્યુ થયું છે તેમનું નામ યતેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે અને તે ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને કારચાલક કોણ હતો, અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસની શરૂઆત પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.