ડમીકાંડમાં વધુ એક આરોપીની થઈ ધરપકડ! મિલન બારૈયાને ડમી ઉમેદવાર બનાવી અપાવી આ પરીક્ષા! જાણો કેટલા આરોપી છે પોલીસની પકડથી દૂર?


  • Published By :
  • Published Date : 2023-05-15 12:24:46

ડમીકાંડ મામલે રોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે તો અનેક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે ડમી કાંડ મામલે ભાવનગર એસઓજીને મોટી સફળતા મળી છે. ડમીકાંડમાં કાર્યવાહી કરતા ભાવનગર એસઓજીએ પીપરલાના ભાવેશ રમેશભાઈ જેઠવાને પકડી લીધો છે. 23 વર્ષના ભાવેશ રમેશભાઈ મજૂરી કરે છે..


ડમી ઉમેદવાર તરીકે મિલન બારૈયાને બેસાડ્યો હતો!

જો ભાવેશ રમેશભાઈ જેઠવાના કાંડની વાત કરીએ તો ગયા વર્ષે પશુધન નિરીક્ષકની પરીક્ષામાં રૂપિયા આપીને સરતાનપરના મિલન બારૈયાને પરીક્ષા આપવા બેસાડ્યો હતો. 26 માર્ચ 2022ના લેવાયેલી પશુધન નિરીક્ષકની પરીક્ષામાં ભાવેશ જેઠવાએ મિલન ઘુઘા બારૈયાને ડમી તરીકે બેસાડ્યો હતો. ભાવેશ જેઠવાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સિવાય ડમી કૌભાંડમાં ચાર આરોપીના રિમાન્ડ પૂરા થઈ ગયા છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગા કરી દીધા છે...


ડમીકાંડ મામલે હજી સુધી પકડાયા 43 કૌભાંડીઓ!

ડમીકાંડની વાત કરીએ તો દાયકાથી આ કૌભાંડ ચાલુ હતુ અને સરકારને આની જાણ પણ ના હતી. ભાવનગર પોલીસે ઈચ્છાશક્તિ દાખવીને કામ કર્યું તો ખબર પડી કે આ તો નાનું સૂનું કૌભાંડ નથી. આના મૂળિયા તો ઉંડે સુધી વ્યાપેલા છે.. ત્યારે ભાવનગર પોલીસે કાર્યવાહી કરીને અનેક આરોપીઓને પકડી પાડ્યા છે. ડમીકાંડ પ્રકરણને એક મહિના માથે દસ દિવસ થઈ ગયા છે.. આરોપીઓની વાત કરીએ તો ભાવનગર એસઓજી અને એસઆઈટીએ અત્યાર સુધીમાં 43 કૌભાંડીઓને પકડી પાડ્યા છે.


અનેક કૌભાંડીઓ હજી પણ પોલીસની પકડથી દૂર!

આ વાત માત્ર એક જગ્યા પૂરતી સીમિત નથી. પરંતુ સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓ બનતી હશે. આ મામલા સાથે સંકળાયેલા અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. જો મામલે તપાસ કરવામાં આવે તો અનેક નામો સામે આવી શકે છે. જો આ લોકો પણ પકડાશે તો વધારે નામ ખુલશે. જો કે આ એક જિલ્લા પૂરતી જ વાત નથી. રાજ્યભરમાં આ સડો ઘૂસેલો છે. પોલીસ વધારે કડક કાર્યવાહી કરશે તો વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે. પરંતુ અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.