ડમીકાંડમાં વધુ એક આરોપીની થઈ ધરપકડ! મિલન બારૈયાને ડમી ઉમેદવાર બનાવી અપાવી આ પરીક્ષા! જાણો કેટલા આરોપી છે પોલીસની પકડથી દૂર?


  • Published By :
  • Published Date : 2023-05-15 12:24:46

ડમીકાંડ મામલે રોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે તો અનેક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે ડમી કાંડ મામલે ભાવનગર એસઓજીને મોટી સફળતા મળી છે. ડમીકાંડમાં કાર્યવાહી કરતા ભાવનગર એસઓજીએ પીપરલાના ભાવેશ રમેશભાઈ જેઠવાને પકડી લીધો છે. 23 વર્ષના ભાવેશ રમેશભાઈ મજૂરી કરે છે..


ડમી ઉમેદવાર તરીકે મિલન બારૈયાને બેસાડ્યો હતો!

જો ભાવેશ રમેશભાઈ જેઠવાના કાંડની વાત કરીએ તો ગયા વર્ષે પશુધન નિરીક્ષકની પરીક્ષામાં રૂપિયા આપીને સરતાનપરના મિલન બારૈયાને પરીક્ષા આપવા બેસાડ્યો હતો. 26 માર્ચ 2022ના લેવાયેલી પશુધન નિરીક્ષકની પરીક્ષામાં ભાવેશ જેઠવાએ મિલન ઘુઘા બારૈયાને ડમી તરીકે બેસાડ્યો હતો. ભાવેશ જેઠવાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સિવાય ડમી કૌભાંડમાં ચાર આરોપીના રિમાન્ડ પૂરા થઈ ગયા છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગા કરી દીધા છે...


ડમીકાંડ મામલે હજી સુધી પકડાયા 43 કૌભાંડીઓ!

ડમીકાંડની વાત કરીએ તો દાયકાથી આ કૌભાંડ ચાલુ હતુ અને સરકારને આની જાણ પણ ના હતી. ભાવનગર પોલીસે ઈચ્છાશક્તિ દાખવીને કામ કર્યું તો ખબર પડી કે આ તો નાનું સૂનું કૌભાંડ નથી. આના મૂળિયા તો ઉંડે સુધી વ્યાપેલા છે.. ત્યારે ભાવનગર પોલીસે કાર્યવાહી કરીને અનેક આરોપીઓને પકડી પાડ્યા છે. ડમીકાંડ પ્રકરણને એક મહિના માથે દસ દિવસ થઈ ગયા છે.. આરોપીઓની વાત કરીએ તો ભાવનગર એસઓજી અને એસઆઈટીએ અત્યાર સુધીમાં 43 કૌભાંડીઓને પકડી પાડ્યા છે.


અનેક કૌભાંડીઓ હજી પણ પોલીસની પકડથી દૂર!

આ વાત માત્ર એક જગ્યા પૂરતી સીમિત નથી. પરંતુ સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓ બનતી હશે. આ મામલા સાથે સંકળાયેલા અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. જો મામલે તપાસ કરવામાં આવે તો અનેક નામો સામે આવી શકે છે. જો આ લોકો પણ પકડાશે તો વધારે નામ ખુલશે. જો કે આ એક જિલ્લા પૂરતી જ વાત નથી. રાજ્યભરમાં આ સડો ઘૂસેલો છે. પોલીસ વધારે કડક કાર્યવાહી કરશે તો વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે. પરંતુ અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.