ડમીકાંડમાં વધુ એક આરોપીની થઈ ધરપકડ! મિલન બારૈયાને ડમી ઉમેદવાર બનાવી અપાવી આ પરીક્ષા! જાણો કેટલા આરોપી છે પોલીસની પકડથી દૂર?


  • Published By :
  • Published Date : 2023-05-15 12:24:46

ડમીકાંડ મામલે રોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે તો અનેક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે ડમી કાંડ મામલે ભાવનગર એસઓજીને મોટી સફળતા મળી છે. ડમીકાંડમાં કાર્યવાહી કરતા ભાવનગર એસઓજીએ પીપરલાના ભાવેશ રમેશભાઈ જેઠવાને પકડી લીધો છે. 23 વર્ષના ભાવેશ રમેશભાઈ મજૂરી કરે છે..


ડમી ઉમેદવાર તરીકે મિલન બારૈયાને બેસાડ્યો હતો!

જો ભાવેશ રમેશભાઈ જેઠવાના કાંડની વાત કરીએ તો ગયા વર્ષે પશુધન નિરીક્ષકની પરીક્ષામાં રૂપિયા આપીને સરતાનપરના મિલન બારૈયાને પરીક્ષા આપવા બેસાડ્યો હતો. 26 માર્ચ 2022ના લેવાયેલી પશુધન નિરીક્ષકની પરીક્ષામાં ભાવેશ જેઠવાએ મિલન ઘુઘા બારૈયાને ડમી તરીકે બેસાડ્યો હતો. ભાવેશ જેઠવાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સિવાય ડમી કૌભાંડમાં ચાર આરોપીના રિમાન્ડ પૂરા થઈ ગયા છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગા કરી દીધા છે...


ડમીકાંડ મામલે હજી સુધી પકડાયા 43 કૌભાંડીઓ!

ડમીકાંડની વાત કરીએ તો દાયકાથી આ કૌભાંડ ચાલુ હતુ અને સરકારને આની જાણ પણ ના હતી. ભાવનગર પોલીસે ઈચ્છાશક્તિ દાખવીને કામ કર્યું તો ખબર પડી કે આ તો નાનું સૂનું કૌભાંડ નથી. આના મૂળિયા તો ઉંડે સુધી વ્યાપેલા છે.. ત્યારે ભાવનગર પોલીસે કાર્યવાહી કરીને અનેક આરોપીઓને પકડી પાડ્યા છે. ડમીકાંડ પ્રકરણને એક મહિના માથે દસ દિવસ થઈ ગયા છે.. આરોપીઓની વાત કરીએ તો ભાવનગર એસઓજી અને એસઆઈટીએ અત્યાર સુધીમાં 43 કૌભાંડીઓને પકડી પાડ્યા છે.


અનેક કૌભાંડીઓ હજી પણ પોલીસની પકડથી દૂર!

આ વાત માત્ર એક જગ્યા પૂરતી સીમિત નથી. પરંતુ સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓ બનતી હશે. આ મામલા સાથે સંકળાયેલા અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. જો મામલે તપાસ કરવામાં આવે તો અનેક નામો સામે આવી શકે છે. જો આ લોકો પણ પકડાશે તો વધારે નામ ખુલશે. જો કે આ એક જિલ્લા પૂરતી જ વાત નથી. રાજ્યભરમાં આ સડો ઘૂસેલો છે. પોલીસ વધારે કડક કાર્યવાહી કરશે તો વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે. પરંતુ અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.