ડમીકાંડમાં વધુ એક આરોપીની થઈ ધરપકડ! મિલન બારૈયાને ડમી ઉમેદવાર બનાવી અપાવી આ પરીક્ષા! જાણો કેટલા આરોપી છે પોલીસની પકડથી દૂર?


  • Published By :
  • Published Date : 2023-05-15 12:24:46

ડમીકાંડ મામલે રોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે તો અનેક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે ડમી કાંડ મામલે ભાવનગર એસઓજીને મોટી સફળતા મળી છે. ડમીકાંડમાં કાર્યવાહી કરતા ભાવનગર એસઓજીએ પીપરલાના ભાવેશ રમેશભાઈ જેઠવાને પકડી લીધો છે. 23 વર્ષના ભાવેશ રમેશભાઈ મજૂરી કરે છે..


ડમી ઉમેદવાર તરીકે મિલન બારૈયાને બેસાડ્યો હતો!

જો ભાવેશ રમેશભાઈ જેઠવાના કાંડની વાત કરીએ તો ગયા વર્ષે પશુધન નિરીક્ષકની પરીક્ષામાં રૂપિયા આપીને સરતાનપરના મિલન બારૈયાને પરીક્ષા આપવા બેસાડ્યો હતો. 26 માર્ચ 2022ના લેવાયેલી પશુધન નિરીક્ષકની પરીક્ષામાં ભાવેશ જેઠવાએ મિલન ઘુઘા બારૈયાને ડમી તરીકે બેસાડ્યો હતો. ભાવેશ જેઠવાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સિવાય ડમી કૌભાંડમાં ચાર આરોપીના રિમાન્ડ પૂરા થઈ ગયા છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગા કરી દીધા છે...


ડમીકાંડ મામલે હજી સુધી પકડાયા 43 કૌભાંડીઓ!

ડમીકાંડની વાત કરીએ તો દાયકાથી આ કૌભાંડ ચાલુ હતુ અને સરકારને આની જાણ પણ ના હતી. ભાવનગર પોલીસે ઈચ્છાશક્તિ દાખવીને કામ કર્યું તો ખબર પડી કે આ તો નાનું સૂનું કૌભાંડ નથી. આના મૂળિયા તો ઉંડે સુધી વ્યાપેલા છે.. ત્યારે ભાવનગર પોલીસે કાર્યવાહી કરીને અનેક આરોપીઓને પકડી પાડ્યા છે. ડમીકાંડ પ્રકરણને એક મહિના માથે દસ દિવસ થઈ ગયા છે.. આરોપીઓની વાત કરીએ તો ભાવનગર એસઓજી અને એસઆઈટીએ અત્યાર સુધીમાં 43 કૌભાંડીઓને પકડી પાડ્યા છે.


અનેક કૌભાંડીઓ હજી પણ પોલીસની પકડથી દૂર!

આ વાત માત્ર એક જગ્યા પૂરતી સીમિત નથી. પરંતુ સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓ બનતી હશે. આ મામલા સાથે સંકળાયેલા અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. જો મામલે તપાસ કરવામાં આવે તો અનેક નામો સામે આવી શકે છે. જો આ લોકો પણ પકડાશે તો વધારે નામ ખુલશે. જો કે આ એક જિલ્લા પૂરતી જ વાત નથી. રાજ્યભરમાં આ સડો ઘૂસેલો છે. પોલીસ વધારે કડક કાર્યવાહી કરશે તો વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે. પરંતુ અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે