ડમી કાંડ મામલે વધુ એક આરોપીની થઈ ધરપકડ! જાણો કોણ છે એ આરોપી જેણે ડમી ઉમેદવાર બની સાત સાત પરીક્ષાઓ આપી!


  • Published By :
  • Published Date : 2023-04-18 17:08:47

થોડા સમય પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યા હતા. જે બાદ થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. આ કેસને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. મિલન ઘૂઘાભાઈ બારૈયાને પોલીસે ઝડપી પાડ્યો છે. 


પરીક્ષા દીઠ મિલન બારૈયા લેતો હતો 25 હજાર રૂપિયા! 

અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગર પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધીમાં 6 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે આજે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તેનું નામ છે મિલન ઘૂઘાભાઈ બારૈયા. સાત પરીક્ષામાં મિલન બારૈયા ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. અને એક પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા લેતો હતો. 

15 તારીખે ઝડપાયેલા ચાર આરોપીઓ.

આ પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બની મિલને આપી છે પરીક્ષા!

ડમી ઉમેદવાર બની આ પરીક્ષાઓમાં મિલન બારૈયાએ સાત પરીક્ષાઓ આપી હતી. વર્ષ 2020માં ભાવનગર સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તે જ વર્ષે વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 2022માં કવિત.એ.રાવના ડમી ઉમેદવાર તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ભાવેશ રાઠવાના ડમી ઉમેદવાર બની 2022માં પરીક્ષા આપી હતી. રાજપરાના એક વિદ્યાર્થીના ડમી ઉમેદવાર તરીકે 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. અમરેલીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તે ઉપરાંત 2022મં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. ત્યારે મિલન બારૈયા અંગે વિચાર કરીએ તો જો મિલન બારૈયાએ પોતે જ પોતાના માટે પરીક્ષા આપી હોત તો આજે એક સારી જગ્યા પર હોત.   

ગઇકાલે ઝડપાયેલા બંને આરોપીઓ

આ પહેલા 6 આરોપી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી 

મહત્વનું છે જ્યારથી આ ડમી કાંડ સામે આવ્યો છે ત્યારથી એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે આની પહેલા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મિલન બારૈયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે આવનાર સમયમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહી.        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે