ડમી કાંડ મામલે વધુ એક આરોપીની થઈ ધરપકડ! જાણો કોણ છે એ આરોપી જેણે ડમી ઉમેદવાર બની સાત સાત પરીક્ષાઓ આપી!


  • Published By :
  • Published Date : 2023-04-18 17:08:47

થોડા સમય પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યા હતા. જે બાદ થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. આ કેસને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. મિલન ઘૂઘાભાઈ બારૈયાને પોલીસે ઝડપી પાડ્યો છે. 


પરીક્ષા દીઠ મિલન બારૈયા લેતો હતો 25 હજાર રૂપિયા! 

અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગર પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધીમાં 6 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે આજે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તેનું નામ છે મિલન ઘૂઘાભાઈ બારૈયા. સાત પરીક્ષામાં મિલન બારૈયા ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. અને એક પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા લેતો હતો. 

15 તારીખે ઝડપાયેલા ચાર આરોપીઓ.

આ પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બની મિલને આપી છે પરીક્ષા!

ડમી ઉમેદવાર બની આ પરીક્ષાઓમાં મિલન બારૈયાએ સાત પરીક્ષાઓ આપી હતી. વર્ષ 2020માં ભાવનગર સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તે જ વર્ષે વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 2022માં કવિત.એ.રાવના ડમી ઉમેદવાર તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ભાવેશ રાઠવાના ડમી ઉમેદવાર બની 2022માં પરીક્ષા આપી હતી. રાજપરાના એક વિદ્યાર્થીના ડમી ઉમેદવાર તરીકે 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. અમરેલીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તે ઉપરાંત 2022મં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. ત્યારે મિલન બારૈયા અંગે વિચાર કરીએ તો જો મિલન બારૈયાએ પોતે જ પોતાના માટે પરીક્ષા આપી હોત તો આજે એક સારી જગ્યા પર હોત.   

ગઇકાલે ઝડપાયેલા બંને આરોપીઓ

આ પહેલા 6 આરોપી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી 

મહત્વનું છે જ્યારથી આ ડમી કાંડ સામે આવ્યો છે ત્યારથી એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે આની પહેલા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મિલન બારૈયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે આવનાર સમયમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહી.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.