ડમી કાંડ મામલે વધુ એક આરોપીની થઈ ધરપકડ! જાણો કોણ છે એ આરોપી જેણે ડમી ઉમેદવાર બની સાત સાત પરીક્ષાઓ આપી!


  • Published By :
  • Published Date : 2023-04-18 17:08:47

થોડા સમય પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યા હતા. જે બાદ થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. આ કેસને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. મિલન ઘૂઘાભાઈ બારૈયાને પોલીસે ઝડપી પાડ્યો છે. 


પરીક્ષા દીઠ મિલન બારૈયા લેતો હતો 25 હજાર રૂપિયા! 

અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગર પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધીમાં 6 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે આજે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તેનું નામ છે મિલન ઘૂઘાભાઈ બારૈયા. સાત પરીક્ષામાં મિલન બારૈયા ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. અને એક પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા લેતો હતો. 

15 તારીખે ઝડપાયેલા ચાર આરોપીઓ.

આ પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બની મિલને આપી છે પરીક્ષા!

ડમી ઉમેદવાર બની આ પરીક્ષાઓમાં મિલન બારૈયાએ સાત પરીક્ષાઓ આપી હતી. વર્ષ 2020માં ભાવનગર સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તે જ વર્ષે વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 2022માં કવિત.એ.રાવના ડમી ઉમેદવાર તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ભાવેશ રાઠવાના ડમી ઉમેદવાર બની 2022માં પરીક્ષા આપી હતી. રાજપરાના એક વિદ્યાર્થીના ડમી ઉમેદવાર તરીકે 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. અમરેલીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તે ઉપરાંત 2022મં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. ત્યારે મિલન બારૈયા અંગે વિચાર કરીએ તો જો મિલન બારૈયાએ પોતે જ પોતાના માટે પરીક્ષા આપી હોત તો આજે એક સારી જગ્યા પર હોત.   

ગઇકાલે ઝડપાયેલા બંને આરોપીઓ

આ પહેલા 6 આરોપી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી 

મહત્વનું છે જ્યારથી આ ડમી કાંડ સામે આવ્યો છે ત્યારથી એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે આની પહેલા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મિલન બારૈયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે આવનાર સમયમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહી.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.