ડમી કાંડ મામલે વધુ એક આરોપીની થઈ ધરપકડ! જાણો કોણ છે એ આરોપી જેણે ડમી ઉમેદવાર બની સાત સાત પરીક્ષાઓ આપી!


  • Published By :
  • Published Date : 2023-04-18 17:08:47

થોડા સમય પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યા હતા. જે બાદ થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. આ કેસને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. મિલન ઘૂઘાભાઈ બારૈયાને પોલીસે ઝડપી પાડ્યો છે. 


પરીક્ષા દીઠ મિલન બારૈયા લેતો હતો 25 હજાર રૂપિયા! 

અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગર પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધીમાં 6 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે આજે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તેનું નામ છે મિલન ઘૂઘાભાઈ બારૈયા. સાત પરીક્ષામાં મિલન બારૈયા ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. અને એક પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા લેતો હતો. 

15 તારીખે ઝડપાયેલા ચાર આરોપીઓ.

આ પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બની મિલને આપી છે પરીક્ષા!

ડમી ઉમેદવાર બની આ પરીક્ષાઓમાં મિલન બારૈયાએ સાત પરીક્ષાઓ આપી હતી. વર્ષ 2020માં ભાવનગર સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તે જ વર્ષે વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 2022માં કવિત.એ.રાવના ડમી ઉમેદવાર તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ભાવેશ રાઠવાના ડમી ઉમેદવાર બની 2022માં પરીક્ષા આપી હતી. રાજપરાના એક વિદ્યાર્થીના ડમી ઉમેદવાર તરીકે 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. અમરેલીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તે ઉપરાંત 2022મં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. ત્યારે મિલન બારૈયા અંગે વિચાર કરીએ તો જો મિલન બારૈયાએ પોતે જ પોતાના માટે પરીક્ષા આપી હોત તો આજે એક સારી જગ્યા પર હોત.   

ગઇકાલે ઝડપાયેલા બંને આરોપીઓ

આ પહેલા 6 આરોપી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી 

મહત્વનું છે જ્યારથી આ ડમી કાંડ સામે આવ્યો છે ત્યારથી એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે આની પહેલા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મિલન બારૈયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે આવનાર સમયમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહી.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.