BJPના વધુ એક નેતાને કરવો પડ્યો વિરોધનો સામનો! Bhavnagarમાં Nimuben Bambhaniyaના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-16 16:20:56

લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર શરૂ થઈ ગયો છે. ઉમેદવારના પ્રચાર માટે અનેક જગ્યાઓ પર સભાઓનું, કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેનને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ દર્શાવ્યો હતો. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર-ઠેર થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. પોતાની માગ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યો. આ બધા વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરષોત્તમ રૂપાલાના વિરોધનો સામનો અનેક નેતાઓને કરવો પડ્યો છે. 



ભાવનગરમાં નિમુબેનને કરવો પડ્યો વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાના વિરોધનો સામનો સી.આર.પાટીલને, હાર્દિક પટેલને, ભાનુબેન બાબરિયાને તેમજ અનેક નેતાઓને કરવો પડી રહ્યો છે. સભા માટે જ્યારે નેતાઓ પહોંચે છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચી જાય છે અને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરે છે.. એકના ભૂલની સજા બીજાને ભોગવવી પડી રહી હોય તેવું લાગે છે. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે ગયા હતા ત્યાં તેમનો વિરોધ નથી થયો... આ બધા વચ્ચે ભાવનગરમાં નિમુબેનની સભા થઈ રહી હતી ત્યાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા અને વિરોધ કરવા લાગ્યા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી પરષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. 


વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ  

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે અનેક વખત બેઠક થઈ પરંતુ વિવાદનો અંત નથી આવ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજે ફરી એક વખત આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી..        



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"