BJPના વધુ એક નેતાને કરવો પડ્યો વિરોધનો સામનો! Bhavnagarમાં Nimuben Bambhaniyaના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-16 16:20:56

લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર શરૂ થઈ ગયો છે. ઉમેદવારના પ્રચાર માટે અનેક જગ્યાઓ પર સભાઓનું, કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેનને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ દર્શાવ્યો હતો. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર-ઠેર થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. પોતાની માગ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યો. આ બધા વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરષોત્તમ રૂપાલાના વિરોધનો સામનો અનેક નેતાઓને કરવો પડ્યો છે. 



ભાવનગરમાં નિમુબેનને કરવો પડ્યો વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાના વિરોધનો સામનો સી.આર.પાટીલને, હાર્દિક પટેલને, ભાનુબેન બાબરિયાને તેમજ અનેક નેતાઓને કરવો પડી રહ્યો છે. સભા માટે જ્યારે નેતાઓ પહોંચે છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચી જાય છે અને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરે છે.. એકના ભૂલની સજા બીજાને ભોગવવી પડી રહી હોય તેવું લાગે છે. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે ગયા હતા ત્યાં તેમનો વિરોધ નથી થયો... આ બધા વચ્ચે ભાવનગરમાં નિમુબેનની સભા થઈ રહી હતી ત્યાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા અને વિરોધ કરવા લાગ્યા. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી પરષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. 


વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ  

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે અનેક વખત બેઠક થઈ પરંતુ વિવાદનો અંત નથી આવ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજે ફરી એક વખત આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી..        



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે