BJPના વધુ એક ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો, Ahmedabadના ઓઢવમાં આવેલા મધુમાલતી આવાસમાં MLA પહોંચ્યાને....


  • Published By :
  • Published Date : 2024-09-05 17:49:04

એક સમય હતો જ્યારે ધારાસભ્યોને માન સાથે લોકો જોતા હતા. પરંતુ આજકાલ તો જાણે ભાજપના નેતાઓનો વિરોધ કરવાનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અનેક ધારાસભ્યોને વિરોધનો સામનો કરવો પડ્યો છે.. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં સ્થાનિકોએ નેતાનો વિરોધ કર્યો હોય અથવા તો ભાજપનો વિરોધ કર્યો હોય.. વડોદરાથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે આવા દ્રશ્યો અમદાવાદના ઓઢવથી સામે આવ્યા છે જેમાં બાબુદાસ પટેલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. સ્થાનિકોએ તેમનો રોષ ઢાલવ્યો અને તેમને જતા રહેવા કહ્યું..   

વરસાદી પાણીની સાથે સાથે ભરાય છે ગટરનું પાણી!  

ગુજરાતમાં વરસાદ આવ્યો અને તંત્રની પોલ ખોલીને જતો રહ્યો.. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા અને સ્થાનિકો પરેશાન થયા.. વડોદરાની સ્થિતિ તો આપણે જોઈ જ હતી કે કેવી રીતે ત્યાં બધું જ બરબાદ થઈ ગયું.. લોકોને લાખોનું નુકસાન થયું છે. વડોદરા સિવાય પણ અનેક જગ્યાઓથી આવી તસવીરો સામે આવી હતી જેમાં વરસાદી પાણી ભરાયા હતા.. પરંતુ અમદાવાદના ઓઢવમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં તો વરસાદી પાણીની સાથે સાથે ગટરનું પાણી પણ આવે છે.. ગટરના પાણી વચ્ચે રહેવા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્યો જ્યારે તે જગ્યાઓ પર જાય છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડે છે.    

ઓઢવમાં સરકારી આવાસ યોજના પહોંચી હતી જમાવટની ટીમ 

જમાવટની ટીમે થોડા દિવસ પહેલા અમદાવાદના નિકોલમાં આવેલા મધુમાલતી આવાસમાં ભરાયેલા પાણીનું રિપોર્ટિંગ કર્યું હતું.. જે દિવસે રિપોર્ટિંગ થયું હતું ત્યારે પાણી ભરાયાને પાંચ દિવસ થઈ ગયા હતા.. પાંચ દિવસ વિત્યા હોવા છતાંય પાણી ઓસર્યા ન હતા.. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે વરસાદી પાણીની સમસ્યા કરતા ગટરનું આવતું પાણી વધારે તકલીફ આપે છે. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને તેનો સામનો કરવો પડે છે. પીવા માટે પણ તેમની પાસે પાણી નથી હોતું તેવી વાત તેમણે જણાવી હતી.. આજે તો તે વાતને ઘણા દિવસો વિતી ગયા છે પરંતુ તેમની સમસ્યાનો નિકાલ નથી આવ્યો.. 



ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો!

આટલા દિવસો બાદ ધારાસભ્યને આ વિસ્તાર યાદ આવ્યો અને તે સ્થાનિકો સાથે મુલાકાત કરવા ગયા.. ધારાસભ્ય બાબુદાસ પટેલ સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. ભાજપનેતાએ રેનબસેરામાં રહેવાની સુવિધા અને ફૂડ પેકેટ મળી જશે એવું કહેતાં જ લોકોએ નેતાઓનો ઊધડો લીધો હતો. સ્થાનિકોએ કહ્યું કે તે માત્ર ફોટા પડાવવા માટે આવ્યા છે તેમના માટે નથી આવ્યા.. સ્થાનિકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે અનેક ધારાસભ્યોને આવા વિરોધનો સામનો કરવો પડ્યો છે... વડોદરાથી અનેક દ્રશ્યો આવા સામે આવ્યા છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..    



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .