BJPના વધુ એક ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો, Ahmedabadના ઓઢવમાં આવેલા મધુમાલતી આવાસમાં MLA પહોંચ્યાને....


  • Published By :
  • Published Date : 2024-09-05 17:49:04

એક સમય હતો જ્યારે ધારાસભ્યોને માન સાથે લોકો જોતા હતા. પરંતુ આજકાલ તો જાણે ભાજપના નેતાઓનો વિરોધ કરવાનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અનેક ધારાસભ્યોને વિરોધનો સામનો કરવો પડ્યો છે.. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં સ્થાનિકોએ નેતાનો વિરોધ કર્યો હોય અથવા તો ભાજપનો વિરોધ કર્યો હોય.. વડોદરાથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે આવા દ્રશ્યો અમદાવાદના ઓઢવથી સામે આવ્યા છે જેમાં બાબુદાસ પટેલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. સ્થાનિકોએ તેમનો રોષ ઢાલવ્યો અને તેમને જતા રહેવા કહ્યું..   

વરસાદી પાણીની સાથે સાથે ભરાય છે ગટરનું પાણી!  

ગુજરાતમાં વરસાદ આવ્યો અને તંત્રની પોલ ખોલીને જતો રહ્યો.. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા અને સ્થાનિકો પરેશાન થયા.. વડોદરાની સ્થિતિ તો આપણે જોઈ જ હતી કે કેવી રીતે ત્યાં બધું જ બરબાદ થઈ ગયું.. લોકોને લાખોનું નુકસાન થયું છે. વડોદરા સિવાય પણ અનેક જગ્યાઓથી આવી તસવીરો સામે આવી હતી જેમાં વરસાદી પાણી ભરાયા હતા.. પરંતુ અમદાવાદના ઓઢવમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં તો વરસાદી પાણીની સાથે સાથે ગટરનું પાણી પણ આવે છે.. ગટરના પાણી વચ્ચે રહેવા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્યો જ્યારે તે જગ્યાઓ પર જાય છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડે છે.    

ઓઢવમાં સરકારી આવાસ યોજના પહોંચી હતી જમાવટની ટીમ 

જમાવટની ટીમે થોડા દિવસ પહેલા અમદાવાદના નિકોલમાં આવેલા મધુમાલતી આવાસમાં ભરાયેલા પાણીનું રિપોર્ટિંગ કર્યું હતું.. જે દિવસે રિપોર્ટિંગ થયું હતું ત્યારે પાણી ભરાયાને પાંચ દિવસ થઈ ગયા હતા.. પાંચ દિવસ વિત્યા હોવા છતાંય પાણી ઓસર્યા ન હતા.. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે વરસાદી પાણીની સમસ્યા કરતા ગટરનું આવતું પાણી વધારે તકલીફ આપે છે. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને તેનો સામનો કરવો પડે છે. પીવા માટે પણ તેમની પાસે પાણી નથી હોતું તેવી વાત તેમણે જણાવી હતી.. આજે તો તે વાતને ઘણા દિવસો વિતી ગયા છે પરંતુ તેમની સમસ્યાનો નિકાલ નથી આવ્યો.. 



ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો!

આટલા દિવસો બાદ ધારાસભ્યને આ વિસ્તાર યાદ આવ્યો અને તે સ્થાનિકો સાથે મુલાકાત કરવા ગયા.. ધારાસભ્ય બાબુદાસ પટેલ સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. ભાજપનેતાએ રેનબસેરામાં રહેવાની સુવિધા અને ફૂડ પેકેટ મળી જશે એવું કહેતાં જ લોકોએ નેતાઓનો ઊધડો લીધો હતો. સ્થાનિકોએ કહ્યું કે તે માત્ર ફોટા પડાવવા માટે આવ્યા છે તેમના માટે નથી આવ્યા.. સ્થાનિકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે અનેક ધારાસભ્યોને આવા વિરોધનો સામનો કરવો પડ્યો છે... વડોદરાથી અનેક દ્રશ્યો આવા સામે આવ્યા છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.