કોંગ્રેસને વધુ એક ઝટકો, ફારૂખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-02-15 17:03:46

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અને સીટોની વહેંચણી પર નેશનલ કોન્ફ્રન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઈન્કાર કરી દીધો છે. જમ્મુ-કાશ્મિરના પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. જો કે તેમણે NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત પણ આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા ફારૂખે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.


શું કહ્યું  ફારૂખ અબ્દુલ્લાએ?


એક ન્યૂઝ ચેનલ સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે 'રાજ્યમાં કોઈ પણ પાર્ટી સાથે તે ગઠબંધન કરશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે NDAમાં જોડાશે તો તેમણે કહ્યું કે અમારા બારી-બારણા ખુલ્લા છે. તેમણે કહ્યું કે જો પીએમ મોદી તેમને વાતચીત માટે બોલાવશે તો તે ચોક્કસ જશે. એનડીએમાં સામેલ થવા અંગેના સવાલ પર ફારૂખે કહ્યું કે તે આ સંભાવનાને નકારી શક્તા નથી. તેમણે વધુમાં કહ્યું કે તે બંને રાજ્યોમાં સંસદીય ચૂંટણીમાં ભાગ લેશે, જો રાષ્ટ્ર નિર્માણ માટે મારે જે કરવું પડશે તે હું ચોક્કસ કરીશ. જો PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત અંગેના સવાલ પર તેમણે કહ્યું કે તે જ્યારે તે બોલાવે તો કોણ તેમની સાથ વાત વાત કરવા નહીં માગે'.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .