કોંગ્રેસને વધુ એક ઝટકો, ફારૂખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-02-15 17:03:46

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અને સીટોની વહેંચણી પર નેશનલ કોન્ફ્રન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઈન્કાર કરી દીધો છે. જમ્મુ-કાશ્મિરના પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. જો કે તેમણે NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત પણ આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા ફારૂખે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.


શું કહ્યું  ફારૂખ અબ્દુલ્લાએ?


એક ન્યૂઝ ચેનલ સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે 'રાજ્યમાં કોઈ પણ પાર્ટી સાથે તે ગઠબંધન કરશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે NDAમાં જોડાશે તો તેમણે કહ્યું કે અમારા બારી-બારણા ખુલ્લા છે. તેમણે કહ્યું કે જો પીએમ મોદી તેમને વાતચીત માટે બોલાવશે તો તે ચોક્કસ જશે. એનડીએમાં સામેલ થવા અંગેના સવાલ પર ફારૂખે કહ્યું કે તે આ સંભાવનાને નકારી શક્તા નથી. તેમણે વધુમાં કહ્યું કે તે બંને રાજ્યોમાં સંસદીય ચૂંટણીમાં ભાગ લેશે, જો રાષ્ટ્ર નિર્માણ માટે મારે જે કરવું પડશે તે હું ચોક્કસ કરીશ. જો PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત અંગેના સવાલ પર તેમણે કહ્યું કે તે જ્યારે તે બોલાવે તો કોણ તેમની સાથ વાત વાત કરવા નહીં માગે'.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.