કોંગ્રેસને વધુ એક ઝટકો, ફારૂખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-02-15 17:03:46

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અને સીટોની વહેંચણી પર નેશનલ કોન્ફ્રન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઈન્કાર કરી દીધો છે. જમ્મુ-કાશ્મિરના પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. જો કે તેમણે NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત પણ આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા ફારૂખે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.


શું કહ્યું  ફારૂખ અબ્દુલ્લાએ?


એક ન્યૂઝ ચેનલ સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે 'રાજ્યમાં કોઈ પણ પાર્ટી સાથે તે ગઠબંધન કરશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે NDAમાં જોડાશે તો તેમણે કહ્યું કે અમારા બારી-બારણા ખુલ્લા છે. તેમણે કહ્યું કે જો પીએમ મોદી તેમને વાતચીત માટે બોલાવશે તો તે ચોક્કસ જશે. એનડીએમાં સામેલ થવા અંગેના સવાલ પર ફારૂખે કહ્યું કે તે આ સંભાવનાને નકારી શક્તા નથી. તેમણે વધુમાં કહ્યું કે તે બંને રાજ્યોમાં સંસદીય ચૂંટણીમાં ભાગ લેશે, જો રાષ્ટ્ર નિર્માણ માટે મારે જે કરવું પડશે તે હું ચોક્કસ કરીશ. જો PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત અંગેના સવાલ પર તેમણે કહ્યું કે તે જ્યારે તે બોલાવે તો કોણ તેમની સાથ વાત વાત કરવા નહીં માગે'.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો