કોંગ્રેસને વધુ એક ઝટકો, ફારૂખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-02-15 17:03:46

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અને સીટોની વહેંચણી પર નેશનલ કોન્ફ્રન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઈન્કાર કરી દીધો છે. જમ્મુ-કાશ્મિરના પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. જો કે તેમણે NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત પણ આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા ફારૂખે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.


શું કહ્યું  ફારૂખ અબ્દુલ્લાએ?


એક ન્યૂઝ ચેનલ સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે 'રાજ્યમાં કોઈ પણ પાર્ટી સાથે તે ગઠબંધન કરશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે NDAમાં જોડાશે તો તેમણે કહ્યું કે અમારા બારી-બારણા ખુલ્લા છે. તેમણે કહ્યું કે જો પીએમ મોદી તેમને વાતચીત માટે બોલાવશે તો તે ચોક્કસ જશે. એનડીએમાં સામેલ થવા અંગેના સવાલ પર ફારૂખે કહ્યું કે તે આ સંભાવનાને નકારી શક્તા નથી. તેમણે વધુમાં કહ્યું કે તે બંને રાજ્યોમાં સંસદીય ચૂંટણીમાં ભાગ લેશે, જો રાષ્ટ્ર નિર્માણ માટે મારે જે કરવું પડશે તે હું ચોક્કસ કરીશ. જો PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત અંગેના સવાલ પર તેમણે કહ્યું કે તે જ્યારે તે બોલાવે તો કોણ તેમની સાથ વાત વાત કરવા નહીં માગે'.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.