Congressને વધું એક ફટકો!જાયન્ટ કિલર તરીકે ઓળખાતા Kanubhai Kalsariyaએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું હવે જોડાઈ શકે છે BJPમાં?


  • Published By :
  • Published Date : 2024-03-06 17:53:48

ગુજરાતમાં પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે ચૂંટણી પહેલા. અલગ અલગ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આવનાર સમયમાં વધુ ધારાસભ્યો, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે કનુ કલસરિયા ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જ્યારે જમાવટની ટીમે એમનો ઈન્ટરવ્યું લીધો હતો ત્યારે તેમના વિચાર અલગ હતા. તે વખતે તેમને કોંગ્રેસની વિચારધારા ગમી હતી પરંતુ હવે આ વિચારધારામાં બદલાવ આવ્યો છે. કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે.  

જાયન્ટ કિલર તરીકે ઓળખાય છે કનુ કલસરિયા!

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં એક બાદ એક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. ગઈકાલે જ નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેરે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી કેસરિયો કર્યો ત્યારે હવે વધુ એક નેતાનો વારો છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને એ નેતાનું નામ કનુ કલસરિયા જે  મહુવાના પૂર્વ ધારસભ્ય રહી ચૂક્યા છે.  AAPમાં સક્રિય રહ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય છે. કનુ કલસરિયાએ 1998માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર છબિલદાસ મહેતાને બમણા મતથી હરાવી ‘જાયન્ટ કિલર’ તરીકે ઓળખ ઉભી કરી હતી.



મહુવાની આપવામાં આવી ટિકીટ!

જો કનુભાઈની વાત કરીએ તો તે 1998માં ભાવનગરની મહુવા બેઠક પરથી ચૂંટાયા અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાને બમણાં કરતાં વધુ મતોથી પરાજય આપીને વિસ્તારમાં દબદબો ઊભો કર્યો હતો. 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સહમતીથી કનુભાઈને ફરી એક વખત મહુવાની ટિકિટ મળી હતી. આ ચૂંટણીમાં કનુભાઈ કલસરિયાએ કોંગ્રેસના ઉમેદવાર બાબુ જેઠવાને હરાવ્યા બીજી વખત ધારાસભ્ય બન્યા હતા. 


2014માં કનુભાઈ જોડાયા આમ આદમી પાર્ટીમાં અને પછી.., 

2007ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ફરી એક વખત કનુભાઈ કલસરિયાને ઊતાર્યા. 2012માં કનુભાઈએ ભાજપ સાથે છેડો ફાડ્યો અને સદભાવના મંચના નેજા હેઠળ ચુંટણી લડી ત્યાર પછી 2014માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને અને ત્યાં જલ્દી આત્મજ્ઞાન થયું તો 2017માં આપ સાથે પણ છેડો ફાડ્યો અને કોંગ્રેસ સાથે જોડાયા પાછા 2022માં કનુભાઈ કોંગ્રેસના ઉમેદવર તરીકે ચુંટણી લડ્યા પણ હાર્યા ત્યારે ફરી એક વાર લોકસભા ચૂંટણી પહેલા કનુભાઈ ભાજપમાં જોડાય એવા પૂરા એંધાણ છે!


અલગ અલગ પાર્ટીનો કનુભાઈને અનુભવ!

કનુભાઈની રાજકોય સફર ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહી છે. એવું કહેવાય છે ને કે માણસે ઘાટ ઘાટના પાણી પીધા છે તો કનુભાઈ માટે કહી શકાય કે તેમણે દરેક પક્ષના પાણી પીધા છે જોકે કનુભાઈ ભાજપમાં જોડાય તો ઈન્ડિયા ગઠબંધનને ભાવનગરમાં ઘણો ફરક પડી શકે છે. ઈન્ડિયા ગઠબંધનમાં ભાવનગરથી ઉમેશ મકવાણા લડવાના છે ત્યારે કનુભાઈ ભાજપમાં જાય છે તો વોટમાં પણ ફરક પડશે. કનુભાઈને ત્યાંના લોકો માત્ર રાજનેતા તરીકે જ નહીં લોકસેવક તરીકે પણ જોવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કેટલી ઘર વાપસી અને કેટલી વિકેટ પડે છે તે જોવાનું રહ્યું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.