મોંઘવારીનો વધુ એક માર, પહેલી એપ્રિલથી જરૂરિયત વાળી દવાઓ થશે મોંઘી, પેઈનકિલરથી લઈ પેરાસિટામોલ દવાઓ થશે મોંઘી


  • Published By :
  • Published Date : 2023-03-28 14:57:09

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધી રહેલી મોંઘવારીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત સિંગતેલના ભાવમાં વધારો થાય છે ત્યારે એપ્રિલ મહિનામાં દવામાં ભાવ વધારો થવા જઈ રહ્યો છે. પેઈનકિલર્સથી લઈને એન્ટીબાયોટિક દવાના ભાવમાં વધારો થયો છે. આવશ્યક દવાઓની વાત કરીએ તો તેમાં પેઈનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, હૃદયની દવાઓ સહિતની અનેક દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓના ભાવ વધારા પહેલી એપ્રિલથી વધવા જઈ રહ્યા છે.



ફાર્મા કંપનીએ કરી ભાવ વધારો કરવાની માગ  

રાષ્ટ્રીય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે સોમવારે આ મામલે જાણકારી આપી હતી. વાસ્તવમાં સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંડમાં ફેરફારને અનુરૂપ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એનપીપીએ જણાવ્યું કે 2022 સુધી સરકાર દ્વારા સૂચિત WPIમાં વાર્ષિક ફેરફારના આધારે ભાવ વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગે દવાની કિંમતોમાં ભાવ વધારો કરવાની માગ કરી હતી. 


એસેન્શિયલ લિસ્ટમાં કરાયો ફેરફાર 

મળતી માહિતી અનુસાર દવાઓની કિંમતમાં અંદાજીત 12 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. આ સતત બીજી વખત બની રહ્યું છે કે દવાના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે દવાઓનો ઉપયોગ દેશના અનેક લોકો કરે છે તેને એશેન્શિયલ દવાઓ કહેવામાં આવે છે. આ દવાઓનું લિસ્ટ 2022માં અપડેટ કરવામાં આવ્યું હતું. પેરાસિટામોલ સિવાય આ લિસ્ટમાં 384 જેટલી દવાઓનો સમાવેશ થાય છે જ્યારે 24 દવાઓને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે.


મોંઘવારીનો માર સહન કરવો પડશે

જે આવશ્યક દવાઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે. મહત્વનું છે આ દવાઓની કિંમત સરકારના કંટ્રોલમાં હોય છે. 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. દવાઓમાં ભાવ વધારો થતાં મોંઘવારીનો મારો લોકોને સહન કરવું પડશે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.