મોંઘવારીનો વધુ એક માર, પહેલી એપ્રિલથી જરૂરિયત વાળી દવાઓ થશે મોંઘી, પેઈનકિલરથી લઈ પેરાસિટામોલ દવાઓ થશે મોંઘી


  • Published By :
  • Published Date : 2023-03-28 14:57:09

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધી રહેલી મોંઘવારીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત સિંગતેલના ભાવમાં વધારો થાય છે ત્યારે એપ્રિલ મહિનામાં દવામાં ભાવ વધારો થવા જઈ રહ્યો છે. પેઈનકિલર્સથી લઈને એન્ટીબાયોટિક દવાના ભાવમાં વધારો થયો છે. આવશ્યક દવાઓની વાત કરીએ તો તેમાં પેઈનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, હૃદયની દવાઓ સહિતની અનેક દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓના ભાવ વધારા પહેલી એપ્રિલથી વધવા જઈ રહ્યા છે.



ફાર્મા કંપનીએ કરી ભાવ વધારો કરવાની માગ  

રાષ્ટ્રીય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે સોમવારે આ મામલે જાણકારી આપી હતી. વાસ્તવમાં સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંડમાં ફેરફારને અનુરૂપ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એનપીપીએ જણાવ્યું કે 2022 સુધી સરકાર દ્વારા સૂચિત WPIમાં વાર્ષિક ફેરફારના આધારે ભાવ વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગે દવાની કિંમતોમાં ભાવ વધારો કરવાની માગ કરી હતી. 


એસેન્શિયલ લિસ્ટમાં કરાયો ફેરફાર 

મળતી માહિતી અનુસાર દવાઓની કિંમતમાં અંદાજીત 12 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. આ સતત બીજી વખત બની રહ્યું છે કે દવાના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે દવાઓનો ઉપયોગ દેશના અનેક લોકો કરે છે તેને એશેન્શિયલ દવાઓ કહેવામાં આવે છે. આ દવાઓનું લિસ્ટ 2022માં અપડેટ કરવામાં આવ્યું હતું. પેરાસિટામોલ સિવાય આ લિસ્ટમાં 384 જેટલી દવાઓનો સમાવેશ થાય છે જ્યારે 24 દવાઓને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે.


મોંઘવારીનો માર સહન કરવો પડશે

જે આવશ્યક દવાઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે. મહત્વનું છે આ દવાઓની કિંમત સરકારના કંટ્રોલમાં હોય છે. 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. દવાઓમાં ભાવ વધારો થતાં મોંઘવારીનો મારો લોકોને સહન કરવું પડશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.