મોંઘવારીનો વધુ એક માર, પહેલી એપ્રિલથી જરૂરિયત વાળી દવાઓ થશે મોંઘી, પેઈનકિલરથી લઈ પેરાસિટામોલ દવાઓ થશે મોંઘી


  • Published By :
  • Published Date : 2023-03-28 14:57:09

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધી રહેલી મોંઘવારીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત સિંગતેલના ભાવમાં વધારો થાય છે ત્યારે એપ્રિલ મહિનામાં દવામાં ભાવ વધારો થવા જઈ રહ્યો છે. પેઈનકિલર્સથી લઈને એન્ટીબાયોટિક દવાના ભાવમાં વધારો થયો છે. આવશ્યક દવાઓની વાત કરીએ તો તેમાં પેઈનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, હૃદયની દવાઓ સહિતની અનેક દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓના ભાવ વધારા પહેલી એપ્રિલથી વધવા જઈ રહ્યા છે.



ફાર્મા કંપનીએ કરી ભાવ વધારો કરવાની માગ  

રાષ્ટ્રીય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે સોમવારે આ મામલે જાણકારી આપી હતી. વાસ્તવમાં સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંડમાં ફેરફારને અનુરૂપ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એનપીપીએ જણાવ્યું કે 2022 સુધી સરકાર દ્વારા સૂચિત WPIમાં વાર્ષિક ફેરફારના આધારે ભાવ વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગે દવાની કિંમતોમાં ભાવ વધારો કરવાની માગ કરી હતી. 


એસેન્શિયલ લિસ્ટમાં કરાયો ફેરફાર 

મળતી માહિતી અનુસાર દવાઓની કિંમતમાં અંદાજીત 12 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. આ સતત બીજી વખત બની રહ્યું છે કે દવાના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે દવાઓનો ઉપયોગ દેશના અનેક લોકો કરે છે તેને એશેન્શિયલ દવાઓ કહેવામાં આવે છે. આ દવાઓનું લિસ્ટ 2022માં અપડેટ કરવામાં આવ્યું હતું. પેરાસિટામોલ સિવાય આ લિસ્ટમાં 384 જેટલી દવાઓનો સમાવેશ થાય છે જ્યારે 24 દવાઓને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે.


મોંઘવારીનો માર સહન કરવો પડશે

જે આવશ્યક દવાઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે. મહત્વનું છે આ દવાઓની કિંમત સરકારના કંટ્રોલમાં હોય છે. 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. દવાઓમાં ભાવ વધારો થતાં મોંઘવારીનો મારો લોકોને સહન કરવું પડશે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.