Ahmedabadમાં વધુ એક બ્રિજ કૌભાંડ! 97 કરોડના ખર્ચે બનેલો સનાથલ બ્રિજ પર પડ્યા ખાડા! Gujarat AAPએ કર્યા કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-12-18 12:52:34

આપણે ત્યાં ભલે ગમે તેટલા કરોડોના ખર્ચે રસ્તાઓ, બ્રિજો બનતા હોય પરંતુ થોડા સમય બાદ જ રસ્તા પર બ્રિજ પર ખાડા પડી જતા હોય છે. કામગીરી દરમિયાન હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવાને કારણે માત્ર મહિનાઓની અંદર જ ડામર રસ્તા પર દેખાતો શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદનો વધુ એક બ્રિજ ચર્ચામાં આવ્યો છે. અમે વાત કરીએ છીએ 10 મહિના પહેલા ખુલ્લા મૂકવામાં આવેલા સનાથલ બ્રિજની. 97 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર સનાથલ ઓવરબ્રીજ 10 મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. 10 મહિનામાં જ બ્રિજ પર ડામર ઉખડી ગયો છે. ક્યાંક ખાડા પણ પડ્યા છે. 

97 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં પડ્યા ખાડા!

થોડા સમય પહેલા હાટકેશ્વર બ્રિજ વિવાદમાં આવ્યો હતો. હલકી ગુણવત્તાવાળો સામાન વપરાવવાને કારણે માત્ર ઓછા સમયની અંદર રસ્તા પર ખાડા પડી જતા હોય છે અથવા તો રસ્તા પર પાથરવામાં આવેલો ડામર બહાર આવી જતો હોય છે. અનેક બ્રિજો એવા છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ બધા વચ્ચે  97 કરોડના ખર્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બનેલો સનાથલ બ્રિજ વિવાદમાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવ્યો હોય તેવું લાગે છે. 10 મહિના પહેલા બનેલા બ્રિજ પર ડામર ઉખડી ગયો છે.  

Sanathal Bridge: Corruption exposed in one more bridge in Ahmedabad, Inferior quality asphalt used in Sanathal Bridge exposed અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ

આપ ગુજરાતે બ્રિજની કામગીરીને લઈ કર્યા પ્રહાર 

10 મહિના પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો એ વાત તો ઠીક પરંતુ 3 વખત આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે એક ટ્વિટ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં દરેક બ્રિજના સમારકામની એક જ કહાની, કરોડો રૂપિયાનો થાય ભ્રષ્ટાચાર અને આખરે જનતા ભોગવે પરેશાની.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.