Ahmedabadમાં વધુ એક બ્રિજ કૌભાંડ! 97 કરોડના ખર્ચે બનેલો સનાથલ બ્રિજ પર પડ્યા ખાડા! Gujarat AAPએ કર્યા કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-12-18 12:52:34

આપણે ત્યાં ભલે ગમે તેટલા કરોડોના ખર્ચે રસ્તાઓ, બ્રિજો બનતા હોય પરંતુ થોડા સમય બાદ જ રસ્તા પર બ્રિજ પર ખાડા પડી જતા હોય છે. કામગીરી દરમિયાન હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવાને કારણે માત્ર મહિનાઓની અંદર જ ડામર રસ્તા પર દેખાતો શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદનો વધુ એક બ્રિજ ચર્ચામાં આવ્યો છે. અમે વાત કરીએ છીએ 10 મહિના પહેલા ખુલ્લા મૂકવામાં આવેલા સનાથલ બ્રિજની. 97 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર સનાથલ ઓવરબ્રીજ 10 મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. 10 મહિનામાં જ બ્રિજ પર ડામર ઉખડી ગયો છે. ક્યાંક ખાડા પણ પડ્યા છે. 

97 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં પડ્યા ખાડા!

થોડા સમય પહેલા હાટકેશ્વર બ્રિજ વિવાદમાં આવ્યો હતો. હલકી ગુણવત્તાવાળો સામાન વપરાવવાને કારણે માત્ર ઓછા સમયની અંદર રસ્તા પર ખાડા પડી જતા હોય છે અથવા તો રસ્તા પર પાથરવામાં આવેલો ડામર બહાર આવી જતો હોય છે. અનેક બ્રિજો એવા છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ બધા વચ્ચે  97 કરોડના ખર્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બનેલો સનાથલ બ્રિજ વિવાદમાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવ્યો હોય તેવું લાગે છે. 10 મહિના પહેલા બનેલા બ્રિજ પર ડામર ઉખડી ગયો છે.  

Sanathal Bridge: Corruption exposed in one more bridge in Ahmedabad, Inferior quality asphalt used in Sanathal Bridge exposed અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ

આપ ગુજરાતે બ્રિજની કામગીરીને લઈ કર્યા પ્રહાર 

10 મહિના પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો એ વાત તો ઠીક પરંતુ 3 વખત આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે એક ટ્વિટ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં દરેક બ્રિજના સમારકામની એક જ કહાની, કરોડો રૂપિયાનો થાય ભ્રષ્ટાચાર અને આખરે જનતા ભોગવે પરેશાની.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.