વધુ એક કોંગ્રેસી નેતાએ પાર્ટીને કહ્યું રામ-રામ


  • Published By :
  • Published Date : 2022-11-10 14:52:06

જ્યારથી ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતા બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદ બેઠક પરથી કોંગ્રેસના નેતા નિરંજન પટેલે રાજીનામું આપી દીધું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે જેને કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. 

નિરંજન પટેલે પાર્ટીને કહ્યું અલવિદા

ગુજરાતમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ત્યારે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હજી સુધી પેટલાદ વિધાનસભા માટે નામની જાહેરાત કરવામાં આવી નથી. 

પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલ કોરોનાની ઝપેટમાં, આણંદ જિલ્લામાં 4 કોરોના  પોઝિટીવ કેસ | Petlad MLA Niranjan Patel in case of corona, 4 corona  positive cases in Anand district - Divya Bhaskar

કોંગ્રેસને એક બાદ એક મળી રહ્યા છે ઝટકા 

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તેમના સિવાય ભાવેશ કટારાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બધા બાદ નિરંજન પટેલે પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આટલા બધા નેતાઓના જવાથી જાણે કોંગ્રેસમાં વિવાદ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે બીજા અનેક નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.