વધુ એક કોંગ્રેસી નેતાએ પાર્ટીને કહ્યું રામ-રામ


  • Published By :
  • Published Date : 2022-11-10 14:52:06

જ્યારથી ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતા બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદ બેઠક પરથી કોંગ્રેસના નેતા નિરંજન પટેલે રાજીનામું આપી દીધું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે જેને કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. 

નિરંજન પટેલે પાર્ટીને કહ્યું અલવિદા

ગુજરાતમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ત્યારે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હજી સુધી પેટલાદ વિધાનસભા માટે નામની જાહેરાત કરવામાં આવી નથી. 

પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલ કોરોનાની ઝપેટમાં, આણંદ જિલ્લામાં 4 કોરોના  પોઝિટીવ કેસ | Petlad MLA Niranjan Patel in case of corona, 4 corona  positive cases in Anand district - Divya Bhaskar

કોંગ્રેસને એક બાદ એક મળી રહ્યા છે ઝટકા 

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તેમના સિવાય ભાવેશ કટારાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બધા બાદ નિરંજન પટેલે પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આટલા બધા નેતાઓના જવાથી જાણે કોંગ્રેસમાં વિવાદ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે બીજા અનેક નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.