વધુ એક કોંગ્રેસી નેતાએ પાર્ટીને કહ્યું રામ-રામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-10 14:52:06

જ્યારથી ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતા બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદ બેઠક પરથી કોંગ્રેસના નેતા નિરંજન પટેલે રાજીનામું આપી દીધું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે જેને કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. 

નિરંજન પટેલે પાર્ટીને કહ્યું અલવિદા

ગુજરાતમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ત્યારે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હજી સુધી પેટલાદ વિધાનસભા માટે નામની જાહેરાત કરવામાં આવી નથી. 

પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલ કોરોનાની ઝપેટમાં, આણંદ જિલ્લામાં 4 કોરોના  પોઝિટીવ કેસ | Petlad MLA Niranjan Patel in case of corona, 4 corona  positive cases in Anand district - Divya Bhaskar

કોંગ્રેસને એક બાદ એક મળી રહ્યા છે ઝટકા 

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તેમના સિવાય ભાવેશ કટારાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બધા બાદ નિરંજન પટેલે પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આટલા બધા નેતાઓના જવાથી જાણે કોંગ્રેસમાં વિવાદ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે બીજા અનેક નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે.  




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.