વધુ એક ચક્રવાતનું સંકટ! અરબ સાગરમાં બનેલી સિસ્ટમ Gujaratમાં ફરી વરસાદ લાવશે? આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-07 13:11:37

શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી માવઠાને કારણે ચોમાસાની સિઝન જામી હોય તેવું લાગે છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે ચક્રવાત આવે છે અને કમોસમી વરસાદ પડે છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગ્લોબલ વોર્મિગની અસર વાતાવરણ પર પડે છે!

વિકાસ કરવાના ચક્કરમાં અનેક વખત આપણે જાણે અજાણે કુદરતને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. અનેક ઝાડો કાપવામાં આવ્યા છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર દેખાઈ રહી છે. ચક્રવાત સર્જાવાને કારણે વરસાદ પણ ખેંચાઈ જાય છે. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે શિયાળામાં અથવા તો ઉનાળામાં વરસાદ આવી રહ્યો છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક ચક્રવાત આવવાનું છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

2023ના એક વર્ષમાં 5 વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં બે વાવાઝોડા એવા ભયંકર હતા કે તેણે જનજીવન પ્રભાવિત કરી દીધું. 2023નું પહેલું વાવાઝોડું બિપોરજોય હતો જે અરબી સમુદ્રમાં સક્રિય થયું હતું. બીજુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું  મિચોંગ વાવઝોડુ છે જેણે દક્ષિણ ભારતના રાજ્યોને પ્રભાવિત કર્યા છે. ત્યારે આવનાર દિવસોમાં વધુ એક ચક્રવાત અરબી સમુદ્રમાં સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. મહત્વનું છે કે માવઠાને કારણે ખેડૂતોને વધારે ભોગવવાનો વારો આવે છે. પાકને વ્યાપક નુકસાન થાય છે જેને કારણે ખેડૂતો પાયમાલ થાય છે. જે ચક્રવાત સક્રિય થવાનું છે તે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ લાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.  



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.