વધુ એક ચક્રવાતનું સંકટ! અરબ સાગરમાં બનેલી સિસ્ટમ Gujaratમાં ફરી વરસાદ લાવશે? આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-07 13:11:37

શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી માવઠાને કારણે ચોમાસાની સિઝન જામી હોય તેવું લાગે છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે ચક્રવાત આવે છે અને કમોસમી વરસાદ પડે છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગ્લોબલ વોર્મિગની અસર વાતાવરણ પર પડે છે!

વિકાસ કરવાના ચક્કરમાં અનેક વખત આપણે જાણે અજાણે કુદરતને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. અનેક ઝાડો કાપવામાં આવ્યા છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર દેખાઈ રહી છે. ચક્રવાત સર્જાવાને કારણે વરસાદ પણ ખેંચાઈ જાય છે. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે શિયાળામાં અથવા તો ઉનાળામાં વરસાદ આવી રહ્યો છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક ચક્રવાત આવવાનું છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

2023ના એક વર્ષમાં 5 વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં બે વાવાઝોડા એવા ભયંકર હતા કે તેણે જનજીવન પ્રભાવિત કરી દીધું. 2023નું પહેલું વાવાઝોડું બિપોરજોય હતો જે અરબી સમુદ્રમાં સક્રિય થયું હતું. બીજુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું  મિચોંગ વાવઝોડુ છે જેણે દક્ષિણ ભારતના રાજ્યોને પ્રભાવિત કર્યા છે. ત્યારે આવનાર દિવસોમાં વધુ એક ચક્રવાત અરબી સમુદ્રમાં સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. મહત્વનું છે કે માવઠાને કારણે ખેડૂતોને વધારે ભોગવવાનો વારો આવે છે. પાકને વ્યાપક નુકસાન થાય છે જેને કારણે ખેડૂતો પાયમાલ થાય છે. જે ચક્રવાત સક્રિય થવાનું છે તે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ લાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.