વધુ એક ચક્રવાતનું સંકટ! અરબ સાગરમાં બનેલી સિસ્ટમ Gujaratમાં ફરી વરસાદ લાવશે? આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-07 13:11:37

શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી માવઠાને કારણે ચોમાસાની સિઝન જામી હોય તેવું લાગે છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે ચક્રવાત આવે છે અને કમોસમી વરસાદ પડે છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગ્લોબલ વોર્મિગની અસર વાતાવરણ પર પડે છે!

વિકાસ કરવાના ચક્કરમાં અનેક વખત આપણે જાણે અજાણે કુદરતને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. અનેક ઝાડો કાપવામાં આવ્યા છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર દેખાઈ રહી છે. ચક્રવાત સર્જાવાને કારણે વરસાદ પણ ખેંચાઈ જાય છે. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે શિયાળામાં અથવા તો ઉનાળામાં વરસાદ આવી રહ્યો છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક ચક્રવાત આવવાનું છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

2023ના એક વર્ષમાં 5 વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં બે વાવાઝોડા એવા ભયંકર હતા કે તેણે જનજીવન પ્રભાવિત કરી દીધું. 2023નું પહેલું વાવાઝોડું બિપોરજોય હતો જે અરબી સમુદ્રમાં સક્રિય થયું હતું. બીજુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું  મિચોંગ વાવઝોડુ છે જેણે દક્ષિણ ભારતના રાજ્યોને પ્રભાવિત કર્યા છે. ત્યારે આવનાર દિવસોમાં વધુ એક ચક્રવાત અરબી સમુદ્રમાં સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. મહત્વનું છે કે માવઠાને કારણે ખેડૂતોને વધારે ભોગવવાનો વારો આવે છે. પાકને વ્યાપક નુકસાન થાય છે જેને કારણે ખેડૂતો પાયમાલ થાય છે. જે ચક્રવાત સક્રિય થવાનું છે તે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ લાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.