વધુ એક પરીક્ષા Gujaratમાં થઈ રદ્દ! વિદ્યુત સહાયકની પરીક્ષા આ કારણે કરાઈ કેન્સલ, સાંભળો આ મામલે શું કહ્યું Yuvrajsinhએ?


  • Published By :
  • Published Date : 2023-12-20 13:26:03

ગુજરાતમાં પરીક્ષાઓ રદ થાય કે પછી ભરતી પ્રક્રિયા રદ થાય એ હવે સામાન્ય થઈ ગયું છે ફરી ગુજરાતમાં એક ભરતી રદ થઈ છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પોતાની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા માટે પહેલાથી જાણીતા છે  જેના અનેક કિસ્સાઓ મીડિયામાં પણ આવી ચુક્યા છે. ત્યારે હવે GETCOનું વધારે એક ભોપાળું બહાર આવ્યું છે. તમામ પ્રકારની પરીક્ષા અને પ્રેક્ટિકલ ટેસ્ટ પુર્ણ કર્યા બાદ આખરે ઓર્ડર આપવાના હતા તેની પહેલા સમગ્ર ભરતી જ અચાનક રદ્દ કરી દીધી છે. પોલ ટેસ્ટ દ્વારા 06.03.2023 થી 13.03.2023 તથા લેખિત પરીક્ષા 09.09.2023ના રોજ યોજાઇ હતી. 

તપાસ કમિટીની કરવામાં આવી રચના 

પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજુઆત પણ કરાઇ હતી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીમાં લેવાયેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL અને GSTCO દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા નહી લેવાઈ અને પછી . તપાસ કમિટીની રચના થઇ હતી. તપાસમાં આક્ષેપો સાચા ઠર્યા હતા. જેથી સમગ્ર ભરતી પરીક્ષા રદ્દ જાહેર કરવામાં આવી હતી.


યુવકે કરી હતી ઈચ્છામૃત્યુની માગ!

વાત એમ હતી કે 20 નવેમ્બરે ધોળાજી યુવકે જુનાગઢમાં જેટકો ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમોના ભંગ થયા હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે રજુઆતો કરવા છતા કોઇ નિરાકરણ નહી આવતા યુવક એ ઈચ્છા મૃત્યુની વાત કરી હતી  અનેકવાર ઉચ્ચ સ્તરે રજુઆત થતા સમગ્ર મામલે તપાસ થઇ અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.  અને હવે એ ભરતી જ રદ કરી દેવામાં આવી છે 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.