વધુ એક પરીક્ષા Gujaratમાં થઈ રદ્દ! વિદ્યુત સહાયકની પરીક્ષા આ કારણે કરાઈ કેન્સલ, સાંભળો આ મામલે શું કહ્યું Yuvrajsinhએ?


  • Published By :
  • Published Date : 2023-12-20 13:26:03

ગુજરાતમાં પરીક્ષાઓ રદ થાય કે પછી ભરતી પ્રક્રિયા રદ થાય એ હવે સામાન્ય થઈ ગયું છે ફરી ગુજરાતમાં એક ભરતી રદ થઈ છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પોતાની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા માટે પહેલાથી જાણીતા છે  જેના અનેક કિસ્સાઓ મીડિયામાં પણ આવી ચુક્યા છે. ત્યારે હવે GETCOનું વધારે એક ભોપાળું બહાર આવ્યું છે. તમામ પ્રકારની પરીક્ષા અને પ્રેક્ટિકલ ટેસ્ટ પુર્ણ કર્યા બાદ આખરે ઓર્ડર આપવાના હતા તેની પહેલા સમગ્ર ભરતી જ અચાનક રદ્દ કરી દીધી છે. પોલ ટેસ્ટ દ્વારા 06.03.2023 થી 13.03.2023 તથા લેખિત પરીક્ષા 09.09.2023ના રોજ યોજાઇ હતી. 

તપાસ કમિટીની કરવામાં આવી રચના 

પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજુઆત પણ કરાઇ હતી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીમાં લેવાયેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL અને GSTCO દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા નહી લેવાઈ અને પછી . તપાસ કમિટીની રચના થઇ હતી. તપાસમાં આક્ષેપો સાચા ઠર્યા હતા. જેથી સમગ્ર ભરતી પરીક્ષા રદ્દ જાહેર કરવામાં આવી હતી.


યુવકે કરી હતી ઈચ્છામૃત્યુની માગ!

વાત એમ હતી કે 20 નવેમ્બરે ધોળાજી યુવકે જુનાગઢમાં જેટકો ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમોના ભંગ થયા હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે રજુઆતો કરવા છતા કોઇ નિરાકરણ નહી આવતા યુવક એ ઈચ્છા મૃત્યુની વાત કરી હતી  અનેકવાર ઉચ્ચ સ્તરે રજુઆત થતા સમગ્ર મામલે તપાસ થઇ અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.  અને હવે એ ભરતી જ રદ કરી દેવામાં આવી છે 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."