સનાતન ધર્મને લઈ વધુ એક નેતાએ આપ્યું વિવાદિત નિવેદન, A Rajaએ સનાતન ધર્મની તુલના કરી HIV સાથે, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-07 18:36:38

સનાતન ધર્મ પર એક બાદ એક નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. થોડા સમય પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્રએ સનાતન ધર્મને લઈ વિવાદીત નિવેદન આપ્યું હતું. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે.


સનાતન ધર્મની તુલના સાંસદે HIV સાથે કરી 

એક બાદ એક નેતાઓ, સાંસદો સનાતન ધર્મને લઈ એવા નિવેદનો આપી રહ્યા છે જેને લઈ વિવાદ સર્જાઈ રહ્યા છે. સનાતન ધર્મની તુલના ઉદયનિધીએ મચ્છર સાથે કરી હતી ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મની તુલના HIV સાથે કરી છે. સાંસદે કહ્યું કે સનાતન પર ઉદયનિધીનું વલણ નરમ હતું.  સનાતન ધર્મની તુલના સામાજિક કલંકવાળી બિમારીઓ સાથે કરવી જોઈએ... જોકે ઉદયનિધિએ સનાતનની સરખામણી માત્ર મેલેરિયા સાથે કરી છે... સનાતનની સરખામણી એચઆઈવી અને કુષ્ઠ રોગો જેવી સામાજિક કલંકીત બિમારીઓ સાથે કરવી જોઈએ... 


આરજેડી નેતાએ પણ સનાતન ધર્મને લઈ આપી પ્રતિક્રિયા 

એ રાજા સિવાય બીજા એક રાજનેતા પણ ભાન ભૂલ્યા હોય તેવું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મને લઈ આરજેડી નેતા જગદાનંદસિંહે નિવેદન આપ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે "દેશ કયા સમયે ગુલામ થયો, શું તે સમયે કર્પૂરી ઠાકુર, લાલૂ પ્રસાદ, રામ મનોહર લોહિયા જેવા નેતા હતા... તિલક લગાવી ફરનારાઓએ ભારતને ગુલામ બનાવ્યું... દેશ મંદિર બનાવવાથી કે મસ્જિદ જોડવાથી નહીં ચાલે... 

 


સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા 

મહત્વનું છે સનાતન ધર્મને લઈ પીએમ મોદીએ મંત્રીઓને સૂચના આપી છે. મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિના નિવેદનને સારી રીતે તથ્યો સાથે જવાબ આપવામાં આવે. એક તરફ આ મામલો શાંત થયો નથી ત્યારે તો બીજા અનેક નેતાઓએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે આજે સ્મૃતિ ઈરાનીએ સનાતન ધર્મને લઈ પ્રતિક્રિયા આપી છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે