સનાતન ધર્મને લઈ વધુ એક નેતાએ આપ્યું વિવાદિત નિવેદન, A Rajaએ સનાતન ધર્મની તુલના કરી HIV સાથે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-07 18:36:38

સનાતન ધર્મ પર એક બાદ એક નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. થોડા સમય પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્રએ સનાતન ધર્મને લઈ વિવાદીત નિવેદન આપ્યું હતું. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે.


સનાતન ધર્મની તુલના સાંસદે HIV સાથે કરી 

એક બાદ એક નેતાઓ, સાંસદો સનાતન ધર્મને લઈ એવા નિવેદનો આપી રહ્યા છે જેને લઈ વિવાદ સર્જાઈ રહ્યા છે. સનાતન ધર્મની તુલના ઉદયનિધીએ મચ્છર સાથે કરી હતી ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મની તુલના HIV સાથે કરી છે. સાંસદે કહ્યું કે સનાતન પર ઉદયનિધીનું વલણ નરમ હતું.  સનાતન ધર્મની તુલના સામાજિક કલંકવાળી બિમારીઓ સાથે કરવી જોઈએ... જોકે ઉદયનિધિએ સનાતનની સરખામણી માત્ર મેલેરિયા સાથે કરી છે... સનાતનની સરખામણી એચઆઈવી અને કુષ્ઠ રોગો જેવી સામાજિક કલંકીત બિમારીઓ સાથે કરવી જોઈએ... 


આરજેડી નેતાએ પણ સનાતન ધર્મને લઈ આપી પ્રતિક્રિયા 

એ રાજા સિવાય બીજા એક રાજનેતા પણ ભાન ભૂલ્યા હોય તેવું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મને લઈ આરજેડી નેતા જગદાનંદસિંહે નિવેદન આપ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે "દેશ કયા સમયે ગુલામ થયો, શું તે સમયે કર્પૂરી ઠાકુર, લાલૂ પ્રસાદ, રામ મનોહર લોહિયા જેવા નેતા હતા... તિલક લગાવી ફરનારાઓએ ભારતને ગુલામ બનાવ્યું... દેશ મંદિર બનાવવાથી કે મસ્જિદ જોડવાથી નહીં ચાલે... 

 


સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા 

મહત્વનું છે સનાતન ધર્મને લઈ પીએમ મોદીએ મંત્રીઓને સૂચના આપી છે. મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિના નિવેદનને સારી રીતે તથ્યો સાથે જવાબ આપવામાં આવે. એક તરફ આ મામલો શાંત થયો નથી ત્યારે તો બીજા અનેક નેતાઓએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે આજે સ્મૃતિ ઈરાનીએ સનાતન ધર્મને લઈ પ્રતિક્રિયા આપી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.