સનાતન ધર્મને લઈ વધુ એક નેતાએ આપ્યું વિવાદિત નિવેદન, A Rajaએ સનાતન ધર્મની તુલના કરી HIV સાથે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-07 18:36:38

સનાતન ધર્મ પર એક બાદ એક નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. થોડા સમય પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્રએ સનાતન ધર્મને લઈ વિવાદીત નિવેદન આપ્યું હતું. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે.


સનાતન ધર્મની તુલના સાંસદે HIV સાથે કરી 

એક બાદ એક નેતાઓ, સાંસદો સનાતન ધર્મને લઈ એવા નિવેદનો આપી રહ્યા છે જેને લઈ વિવાદ સર્જાઈ રહ્યા છે. સનાતન ધર્મની તુલના ઉદયનિધીએ મચ્છર સાથે કરી હતી ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મની તુલના HIV સાથે કરી છે. સાંસદે કહ્યું કે સનાતન પર ઉદયનિધીનું વલણ નરમ હતું.  સનાતન ધર્મની તુલના સામાજિક કલંકવાળી બિમારીઓ સાથે કરવી જોઈએ... જોકે ઉદયનિધિએ સનાતનની સરખામણી માત્ર મેલેરિયા સાથે કરી છે... સનાતનની સરખામણી એચઆઈવી અને કુષ્ઠ રોગો જેવી સામાજિક કલંકીત બિમારીઓ સાથે કરવી જોઈએ... 


આરજેડી નેતાએ પણ સનાતન ધર્મને લઈ આપી પ્રતિક્રિયા 

એ રાજા સિવાય બીજા એક રાજનેતા પણ ભાન ભૂલ્યા હોય તેવું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મને લઈ આરજેડી નેતા જગદાનંદસિંહે નિવેદન આપ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે "દેશ કયા સમયે ગુલામ થયો, શું તે સમયે કર્પૂરી ઠાકુર, લાલૂ પ્રસાદ, રામ મનોહર લોહિયા જેવા નેતા હતા... તિલક લગાવી ફરનારાઓએ ભારતને ગુલામ બનાવ્યું... દેશ મંદિર બનાવવાથી કે મસ્જિદ જોડવાથી નહીં ચાલે... 

 


સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા 

મહત્વનું છે સનાતન ધર્મને લઈ પીએમ મોદીએ મંત્રીઓને સૂચના આપી છે. મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિના નિવેદનને સારી રીતે તથ્યો સાથે જવાબ આપવામાં આવે. એક તરફ આ મામલો શાંત થયો નથી ત્યારે તો બીજા અનેક નેતાઓએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે આજે સ્મૃતિ ઈરાનીએ સનાતન ધર્મને લઈ પ્રતિક્રિયા આપી છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે