ગીર સોમનાથ: દ્વારકાથી દર્શના કરી સુત્રાપાડા જતાં શ્રદ્ધાળુઓની બસ પલટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:15:45

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર માંથી 70 જેટલા શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા માટે નિકળા હતા. દ્વારકા દર્શન કરી પરત ફરતી વખતે ખરાબ રસ્તાના કારણે બસ પલટી મારી.કોઈ મોટી જાનહાનિ નહીં શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાય હતા 


ખરાબ રસ્તાના કારણે બસ પલટી મારી 


ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર માંથી 70 જેટલા શ્રદ્ધાળુઓ બસ મારફતે દ્વારકા દર્શન કરવા માટે નિકળા હતા.દ્વારકા દર્શન કરી ગત રાત્રિના પરત ફરતી વખતે રાત્રે 2:30 વાગ્યા આસપાસ સુત્રાપાડા ફાટક થી સુત્રાપાડા વચ્ચે ખરાબ રસ્તાના કારણે બસ ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં બસ પલટી મારી હતી.ભારે જહેમત બાદ બસમાંથી શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા.કોઈ મોટી જાનહાનિ નથી થઈ શ્રદ્ધાળુઑને નાના મોટી ઇજા થતાં હોસ્પિટલ ખાતે લઈ જવાય હતા.

સુત્રાપાડા ફાટક થી સિંગલ પટ્ટીનો રોડ છે જે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે.ભારે વરસાદના કારણે સિંગલ પટ્ટીના રોડની સાઈડ પણ ધોવાય ગઈ છે જેના કારણે જો સામ સામે મોટા વાહનો આવી જાય તો જીવન જોખમે વાહનો પસાર કરવા પડે છે. અવાર નવાર આ રસ્તા પર અકસ્માત થાઈ છે.અવારનવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોઇ એમ લાગી રહ્યું છે.

સુત્રાપાડા ફાટકથી કોડિનાર વાયા સુત્રાપાડા તરફ જતો રસ્તો અતિ દયનીય હાલતમા

રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો ?

આ રસ્તા પરીથી રાજકીય નેતાઓ પણ પસાર થાઈ છે પરંતુ એમને આ ખરાબ રસ્તા,રાહદારીઓની મુસકેલી,અકસ્માત જેવા બનાવો ધ્યાને આવતા જ નથી.કારણ કે એમની પાસે મોંઘી ગાડીઓ હોઇ છે જેમાં નેતાઓને ખાડાનો અહેસાસ નથી થતો

આ રસ્તા પર ગંભીર અકસ્માત પણ સર્જાય છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે એનો જવાબદાર કોણ ? 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .