વધુ એક ધારાસભ્યએ લખ્યો CMને પત્ર, ખરાબ રસ્તાને લઈ MLA Kirit Patel મેદાને, સીએમને કરી આ રજૂઆત


  • Published By :
  • Published Date : 2024-09-07 16:14:25

પોતાની માગ સાથે અનેક ધારાસભ્યો પોતાની રજૂઆત કરવા મુખ્યમંત્રીને પત્રો લખી રહ્યા છે. ના માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના પરંતુ ભાજપના જ ધારાસભ્યો પોતાની સરકારના મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે. આપણી સમક્ષ અનેક ઉદાહરણો છે ત્યારે વધુ એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તે ધારાસભ્ય છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ.. ટોલ ટેક્સ ઉઘરાવતા રસ્તાઓની હાલત પણ દયનીય છે ત્યારે ખરાબ રોડ રસ્તાને લઈ તેમણે સીએમને પત્ર લખ્યો છે.    

રસ્તા પર નીકળીએ ત્યારે થાય છે ટેન્શન!

આપણે ત્યાં સારા રસ્તાઓના નિર્માણ થાય તે માટે હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. રસ્તાઓનું નિર્માણ પણ થાય છે પરંતુ તે ટકાઉ નથી હોતા.. રસ્તા પર ખાડા નહીં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે.. રસ્તા પરથી જ્યારે વાહન નીકળે છે ત્યારે વાહન ચાલકોને વાહન બગડવાનું તો ટેન્શન રહે છે પરંતુ તેમને કમરનો દુખાવો થઈ જશે તેનું પણ ટેન્શન રહે છે. રસ્તા પર ખાડા વધારે અને રસ્તો ઓછો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 



ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો સીએમને પત્ર

ખરાબ રોડની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. રોડના નિર્માણ વખતે કેવી ઓછી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવ્યો છે તેની પોલ ખુલ્લી જાય છે. એક જ વરસાદમાં રસ્તાનું ધોવાણ થઈ જાય છે. શહેરોના રસ્તા નહીં પરંતુ હાઈવેની પણ આવી જ હાલત  છે. ત્યાં પણ ખાડારાજ છે.. એવા હાઈવે જ્યાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે ત્યાંના રસ્તાની પણ દયનીય હાલત છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ટોલ ટેક્સ ઉઘરાવતા રસ્તાને લઈ તેમણે વાત કરી છે. ધારાસભ્યનું કહેવું છે કે જ્યાં સુધી સારા રસ્તા ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવામાં ના આવે તેવી રજૂઆત કરી છે..



તમને ખરાબ રસ્તાને કારણે કેટલી મુશ્કેલી પડે?

મહત્વનું છે કે ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રસ્તો માત્ર થોડી મીનિટોની અંદર કપાઈ જાય તેને કાપતા ઘણો વધારે સમય લાગે છે.. ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ખરાબ રસ્તાને લઈ નિવદેન આપ્યું હતું.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. તમને રસ્તા પર વાહનચલાવતી વખતે તમને કેટલી તકલીફ પડે છે તે અમને કમેન્ટમાં જણાવજો..           



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?