Gujaratમાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની સંખ્યા પહોંચી એક લાખને પાર, રાજ્યમાં નોંધાઈ શિક્ષકોની ઘટ, જાણો શિક્ષણની નરી વાસ્તવિક્તા


  • Published By :
  • Published Date : 2023-08-21 10:49:57

ગુજરાતમાં લથડતી શિક્ષણ પરિસ્થિતિને લઈ અનેક વખત વાતો કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓને ભણવામાં રૂચિ જાગે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. ભણે ગુજરાત, વાંચે ગુજરાત, શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. શિક્ષણ પાછળ સરકારી ચોપડે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે પરંતુ શિક્ષણની સ્થિતિ શું છે તે આપણે સૌ જાણીએ છીએ. બાળકો અધવચ્ચે ભણવાનું છોડી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર રાજ્યમાં 1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ શાળા છોડી છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો 10 હજાર વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દીધું છે. વિદ્યાર્થીઓએ ધોરણ 8 પછી આગળના ધોરણમાં પ્રવેશ લીધો જ નથી. ત્યારે વિદ્યાર્થીઓ ફરી એક વખત ભણવાનું શરૂ કરે તે માટે ગાંધીનગરથી પરિપત્ર બહાર પાડ્યું છે. ભણવામાં ફરી ઉત્સાહ જાગે તે માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપ્યો છે. 


શિક્ષણ પાછળ સરકાર ખર્ચે છે કરોડો રૂપિયા 

બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. શાળાની અંદર દેશના ભવિષ્યનું ઘડતર થાય છે પરંતુ તે જ શાળાની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ગુજરાતનું શિક્ષણ એવા સ્તરે પહોંચ્યું છે કે શાળાઓમાંથી બાળકો નીકળી રહ્યા છે. ભણવાનું બાળકોને પસંદ આવતું નથી. ત્યારે એક આંકડો સામે આવ્યો છે જે ચોંકાવી દે તેવો છે. શિક્ષણ પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ ભણવામાં વિદ્યાર્થીઓને કોઈ રસ જ ન હોય તેવું લાગે છે. 


ગુજરાત શિક્ષણની નરી વાસ્તવિક્તા

ગુજરાતમાં શિક્ષણની અવદશાની વાત કરીએ તો રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો પણ વધ્યો છે. એક લાખથી વધારે વિદ્યાર્થીઓએ શાળાને છોડી દીધી છે. વિગતવાર વાત કરીએ તો 32 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એવું પણ સામે આવ્યું છે કે 14652 શાળાઓ એવી છે જેમાં શાળામાં એક જ વર્ગ છે.  38 હજાર વર્ગખંડની ઘટ છે. 5612 સરકારી શાળાઓને મર્જ કરવામાં આવી છે અને આટલી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. અમદાવાદમાં 10 હજાર વિદ્યાર્થીઓએ ભણવાનું છોડ્યું છે. ભણે ગુજરાત, વાંચે ગુજરાતનો દાવો પોકળ સાબિત થયો છે. જે વિદ્યાર્થીઓએ શાળામાંથી ડ્રોપ આઉટ લીધો છે તે વિદ્યાર્થીઓને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.   


આ જિલ્લાઓમાં નોંધાયો સૌથી વધારે ડ્રોપઆઉટ રેશિયો 

જો આંકડાકિય માહિતીની વાત કરીએ તો ગત શૈક્ષણિક સત્રમાં ધોરણ 8માં 10 લાખ 21 હજાર 537 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ વર્ષે ધોરણ 9માં 8 લાખ 24 હજાર 508 વિદ્યાર્થીઓને જ ટ્રેક કરી શકાયા, 12,785 રિપીટર વિદ્યાર્થીઓને પણ શિક્ષણ વિભાગે ટ્રેક કર્યા છે. કચ્છમાં રાજ્યમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો નોંધાયો છે. કચ્છમાં ડ્રોપ આઉટ રેશિયો છે 26 ટકા, દ્વારકામાં 25 ટકા, બનાસકાંઠામાં 24 ટકા, છોટાઉદેપુર અને ડાંગમાં 23 ટકા હોવાનું સામે આવ્યું છે. તો દાહોદમાં 22 ટકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને બોટાદમાં 21 ટકા, તો ભાવનગર, જામનગર, અમરેલીમાં 20 ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. અમદાવાદમાં પણ શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે. 10 હજાર વિદ્યાર્થીઓએ શાળામાં જવાનું બંધ કરી દીધું છે. 



ભણાવા સિવાય શિક્ષકોને આપવામાં આવે અનેક કામ 

એક તરફ શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. અનેક વખત એવું પણ જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ તો શાળામાં હાજર હોય છે પરંતુ શિક્ષકો સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈ કામમાં વ્યસ્ત હોય છે, શાળામાં હોતા નથી. શિક્ષણની જવાબદારી સિવાય બીજી અનેક જવાબદારી શિક્ષકોને આપવામાં આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં કેવી રીતે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે. સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય પ્રવૃત્તિની અસર શિક્ષણ કાર્ય પર પડે છે. આ તેનું ઉદાહરણ છે. મહત્વનું છે કે શિક્ષણની કથળતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ એક્ટિવ મોડમાં આવ્યું છે. શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે સરકાર દ્વારા પહેલ શરૂ કરવામાં આવશે.       

 

એક જ ક્લાસરૂમમાં ભણે છે અલગ અલગ વર્ગના બાળકો 

મહત્વનું છે કે એવી અનેક શાળાઓ છે જ્યાં શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ તો આવે છે પરંતુ શિક્ષકો નથી હોતા અથવા તો ભણવા માટે ઓરડા નથી હોતા. શિક્ષણ વિભાગની પરિસ્થિતિને જોતા એક પ્રશ્ન થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? ક્યાંક શાળાઓ નથી તો ક્યાંક શિક્ષકો નથી. એક જ ક્લાસરૂમમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણવાવવામાં આવે છે. શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ તેનું પરિણામ નથી આવતું. શિક્ષણની સ્થિતિ પ્રતિદિન કથળતી જઈ રહી છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.