BJPમાં પડ્યું વધુ એક રાજીનામું, ગુજરાત પ્રદેશ મહામંત્રી બાદ આ શહેરના મહામંત્રીએ છોડ્યું કે છોડવું પડ્યું પોતાનું પદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-05 19:03:06

ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. સવારે એક સમાચાર સામે આવ્યા કે ગુજરાતના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ અલગ અલગ પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, કોંગ્રસના નેતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.

રાજીનામા પર અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા

પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ કહ્યું કે પ્રદીપસિંહનું રાજીનામું પાર્ટીનો અંગત વિષય છે. પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ વાળી પત્રિકાઓ ફરે છે. તપાસમાં એમના જ કાર્યકરોની ક્યાંક સંડોવણી સામે આવે છે. પાર્ટીનો આંતરિક અસંતોષ હોય તેવું લાગી રહ્યું છે. તે સિવાય હેમાંગ રાવલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.  તો આમ આદમી પાર્ટીથી મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી છે. આપના નેતાએ આક્ષેપ સાથે કહ્યું કે, ભાજપના ઘરમાંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે, કંઈ ગંભીર રંધાઈ રહ્યું છે. ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. એટલુ જ નહી પણ કમલમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે બાબત ગંભીર છે. મને એક વાત નથી સમજાતી કે આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે?


વડોદરા શહેર ભાજપ મહામંત્રીએ પણ ધરી દીધું રાજીનામું

આ બધા વચ્ચે એક જ દિવસમાં ભાજપમાં એક બીજા પદાધિકારીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એક જ દિવસમાં બે પદાધિકારીઓના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ પણ ત્રણ-ચાર દિવસ પહેલા અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. 


એકા-એક રાજીનામા પડવાથી રાજનીતિ ગરમાઈ 

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનને કારણે તેમજ શિસ્તતાને કારણે વખણાય છે. એવું કહેવાય છે કે જો એક વખત કોઈ નિર્ણય લેવામાં આવે તો કોઈ પણ તે નિર્ણયનો વિરોધ નથી કરતા. જૂથવાદ ભાજપમાં પણ છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. પરંતુ જૂથવાદ ભાજપમાંથી પણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે. સી.આર.પાટીલ હાલ ચર્ચામાં છે પરંતુ અચાનક અંગત કારણોસર આપવામાં આવતા રાજીનામાને કારણે આવનાર સમયમાં રાજનીતિ વધુ ગરમાઈ શકે છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.