BJPમાં પડ્યું વધુ એક રાજીનામું, ગુજરાત પ્રદેશ મહામંત્રી બાદ આ શહેરના મહામંત્રીએ છોડ્યું કે છોડવું પડ્યું પોતાનું પદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-05 19:03:06

ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. સવારે એક સમાચાર સામે આવ્યા કે ગુજરાતના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ અલગ અલગ પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, કોંગ્રસના નેતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.

રાજીનામા પર અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા

પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ કહ્યું કે પ્રદીપસિંહનું રાજીનામું પાર્ટીનો અંગત વિષય છે. પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ વાળી પત્રિકાઓ ફરે છે. તપાસમાં એમના જ કાર્યકરોની ક્યાંક સંડોવણી સામે આવે છે. પાર્ટીનો આંતરિક અસંતોષ હોય તેવું લાગી રહ્યું છે. તે સિવાય હેમાંગ રાવલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.  તો આમ આદમી પાર્ટીથી મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી છે. આપના નેતાએ આક્ષેપ સાથે કહ્યું કે, ભાજપના ઘરમાંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે, કંઈ ગંભીર રંધાઈ રહ્યું છે. ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. એટલુ જ નહી પણ કમલમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે બાબત ગંભીર છે. મને એક વાત નથી સમજાતી કે આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે?


વડોદરા શહેર ભાજપ મહામંત્રીએ પણ ધરી દીધું રાજીનામું

આ બધા વચ્ચે એક જ દિવસમાં ભાજપમાં એક બીજા પદાધિકારીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એક જ દિવસમાં બે પદાધિકારીઓના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ પણ ત્રણ-ચાર દિવસ પહેલા અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. 


એકા-એક રાજીનામા પડવાથી રાજનીતિ ગરમાઈ 

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનને કારણે તેમજ શિસ્તતાને કારણે વખણાય છે. એવું કહેવાય છે કે જો એક વખત કોઈ નિર્ણય લેવામાં આવે તો કોઈ પણ તે નિર્ણયનો વિરોધ નથી કરતા. જૂથવાદ ભાજપમાં પણ છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. પરંતુ જૂથવાદ ભાજપમાંથી પણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે. સી.આર.પાટીલ હાલ ચર્ચામાં છે પરંતુ અચાનક અંગત કારણોસર આપવામાં આવતા રાજીનામાને કારણે આવનાર સમયમાં રાજનીતિ વધુ ગરમાઈ શકે છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.