BJPમાં પડ્યું વધુ એક રાજીનામું, ગુજરાત પ્રદેશ મહામંત્રી બાદ આ શહેરના મહામંત્રીએ છોડ્યું કે છોડવું પડ્યું પોતાનું પદ? જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-05 19:03:06

ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. સવારે એક સમાચાર સામે આવ્યા કે ગુજરાતના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ અલગ અલગ પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, કોંગ્રસના નેતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.

રાજીનામા પર અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા

પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ કહ્યું કે પ્રદીપસિંહનું રાજીનામું પાર્ટીનો અંગત વિષય છે. પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ વાળી પત્રિકાઓ ફરે છે. તપાસમાં એમના જ કાર્યકરોની ક્યાંક સંડોવણી સામે આવે છે. પાર્ટીનો આંતરિક અસંતોષ હોય તેવું લાગી રહ્યું છે. તે સિવાય હેમાંગ રાવલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.  તો આમ આદમી પાર્ટીથી મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી છે. આપના નેતાએ આક્ષેપ સાથે કહ્યું કે, ભાજપના ઘરમાંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે, કંઈ ગંભીર રંધાઈ રહ્યું છે. ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. એટલુ જ નહી પણ કમલમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે બાબત ગંભીર છે. મને એક વાત નથી સમજાતી કે આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે?


વડોદરા શહેર ભાજપ મહામંત્રીએ પણ ધરી દીધું રાજીનામું

આ બધા વચ્ચે એક જ દિવસમાં ભાજપમાં એક બીજા પદાધિકારીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એક જ દિવસમાં બે પદાધિકારીઓના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ પણ ત્રણ-ચાર દિવસ પહેલા અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. 


એકા-એક રાજીનામા પડવાથી રાજનીતિ ગરમાઈ 

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનને કારણે તેમજ શિસ્તતાને કારણે વખણાય છે. એવું કહેવાય છે કે જો એક વખત કોઈ નિર્ણય લેવામાં આવે તો કોઈ પણ તે નિર્ણયનો વિરોધ નથી કરતા. જૂથવાદ ભાજપમાં પણ છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. પરંતુ જૂથવાદ ભાજપમાંથી પણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે. સી.આર.પાટીલ હાલ ચર્ચામાં છે પરંતુ અચાનક અંગત કારણોસર આપવામાં આવતા રાજીનામાને કારણે આવનાર સમયમાં રાજનીતિ વધુ ગરમાઈ શકે છે.     



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે