Gujaratમાં વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ, બોગસ સર્ટિફિકેટ બનાવી પોલીસ વિભાગમાં લેવો હતો પ્રવેશ, આ રીતે કૌભાંડ ઝડપાયું


  • Published By :
  • Published Date : 2023-08-23 14:24:52

ગુજરાતમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. અનેક કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 2021ની LRD ભરતીમાં બનાવટી નિમણુંક પત્રના આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બોગસ સર્ટિફિકેશનના આધારે પોલીસ વિભાગમાં ઘૂસે તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે જો આ કૌભાંડ સફળ રહ્યો હોત તો આવી રીતે અનેક બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવવાના હતા. પરંતુ પોલીસે પહેલા જ કોલ લેટરમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. 4 લોકોની આ મામલે અટકાયત કરી લેવામાં આવી છે.       


પોલીસ વિભાગમાં ખોટી રીતે ઘૂસવાનો હતો પ્રયત્ન!  

હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલા કૌભાંડ થઈ રહ્યા છે કે સવાલ થાય કે કઈ પરીક્ષામાં કૌભાંડ નથી થતું? એક પણ એવો વિભાગ કદાચ નહીં હોય કે જ્યાં કૌભાંડ ન થતું હોય. ત્યારે ફરી એક વખત કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એ પણ પોલીસ વિભાગની ભરતીમાં. પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે.


ખોટા નિમણૂંક પત્ર સાથે હાજર થયો હતો પ્રદિપ મકવાણા  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 19 ઓગસ્ટે  પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. કોલ લેટર જોતા શંકા ઉભી થઇ હતી જેના કારણે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો. આ મામલે જ્યારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી તે દરમિયાન તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રદિપ મકવાણા ખોટા નિમણૂંક પત્ર સાથે  હાજર થયો હતો. નિમણૂંક પત્રની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલી છે. મેહુલ તરજેથી પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું સામે આવ્યું.  


આ મામલે પોલીસે તપાસ માટે ચક્રો કર્યા ગતિમાન 

ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી એમાં  પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ૪ લાખ રૂપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને ૨૦૨૧ એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો. પ્રદિપને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો અને પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હાલ આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે પોલીસે આ મામલે પ્રદિપ મકવાણા, તેના પિતા ભરત મકવાણા, ભાવેશ ચાવડા, બાલાભાઈ ચાવડા વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો  છે. એટલું જ નહીં  અત્યાર સુધી 29 નિમણુંક પત્ર બનાવ્યાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.