Gujaratમાં વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ, બોગસ સર્ટિફિકેટ બનાવી પોલીસ વિભાગમાં લેવો હતો પ્રવેશ, આ રીતે કૌભાંડ ઝડપાયું


  • Published By :
  • Published Date : 2023-08-23 14:24:52

ગુજરાતમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. અનેક કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 2021ની LRD ભરતીમાં બનાવટી નિમણુંક પત્રના આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બોગસ સર્ટિફિકેશનના આધારે પોલીસ વિભાગમાં ઘૂસે તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે જો આ કૌભાંડ સફળ રહ્યો હોત તો આવી રીતે અનેક બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવવાના હતા. પરંતુ પોલીસે પહેલા જ કોલ લેટરમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. 4 લોકોની આ મામલે અટકાયત કરી લેવામાં આવી છે.       


પોલીસ વિભાગમાં ખોટી રીતે ઘૂસવાનો હતો પ્રયત્ન!  

હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલા કૌભાંડ થઈ રહ્યા છે કે સવાલ થાય કે કઈ પરીક્ષામાં કૌભાંડ નથી થતું? એક પણ એવો વિભાગ કદાચ નહીં હોય કે જ્યાં કૌભાંડ ન થતું હોય. ત્યારે ફરી એક વખત કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એ પણ પોલીસ વિભાગની ભરતીમાં. પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે.


ખોટા નિમણૂંક પત્ર સાથે હાજર થયો હતો પ્રદિપ મકવાણા  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 19 ઓગસ્ટે  પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. કોલ લેટર જોતા શંકા ઉભી થઇ હતી જેના કારણે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો. આ મામલે જ્યારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી તે દરમિયાન તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રદિપ મકવાણા ખોટા નિમણૂંક પત્ર સાથે  હાજર થયો હતો. નિમણૂંક પત્રની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલી છે. મેહુલ તરજેથી પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું સામે આવ્યું.  


આ મામલે પોલીસે તપાસ માટે ચક્રો કર્યા ગતિમાન 

ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી એમાં  પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ૪ લાખ રૂપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને ૨૦૨૧ એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો. પ્રદિપને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો અને પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હાલ આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે પોલીસે આ મામલે પ્રદિપ મકવાણા, તેના પિતા ભરત મકવાણા, ભાવેશ ચાવડા, બાલાભાઈ ચાવડા વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો  છે. એટલું જ નહીં  અત્યાર સુધી 29 નિમણુંક પત્ર બનાવ્યાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.