Gujaratમાં વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ, બોગસ સર્ટિફિકેટ બનાવી પોલીસ વિભાગમાં લેવો હતો પ્રવેશ, આ રીતે કૌભાંડ ઝડપાયું


  • Published By :
  • Published Date : 2023-08-23 14:24:52

ગુજરાતમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. અનેક કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 2021ની LRD ભરતીમાં બનાવટી નિમણુંક પત્રના આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બોગસ સર્ટિફિકેશનના આધારે પોલીસ વિભાગમાં ઘૂસે તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે જો આ કૌભાંડ સફળ રહ્યો હોત તો આવી રીતે અનેક બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવવાના હતા. પરંતુ પોલીસે પહેલા જ કોલ લેટરમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. 4 લોકોની આ મામલે અટકાયત કરી લેવામાં આવી છે.       


પોલીસ વિભાગમાં ખોટી રીતે ઘૂસવાનો હતો પ્રયત્ન!  

હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલા કૌભાંડ થઈ રહ્યા છે કે સવાલ થાય કે કઈ પરીક્ષામાં કૌભાંડ નથી થતું? એક પણ એવો વિભાગ કદાચ નહીં હોય કે જ્યાં કૌભાંડ ન થતું હોય. ત્યારે ફરી એક વખત કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એ પણ પોલીસ વિભાગની ભરતીમાં. પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે.


ખોટા નિમણૂંક પત્ર સાથે હાજર થયો હતો પ્રદિપ મકવાણા  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 19 ઓગસ્ટે  પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. કોલ લેટર જોતા શંકા ઉભી થઇ હતી જેના કારણે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો. આ મામલે જ્યારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી તે દરમિયાન તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રદિપ મકવાણા ખોટા નિમણૂંક પત્ર સાથે  હાજર થયો હતો. નિમણૂંક પત્રની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલી છે. મેહુલ તરજેથી પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું સામે આવ્યું.  


આ મામલે પોલીસે તપાસ માટે ચક્રો કર્યા ગતિમાન 

ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી એમાં  પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ૪ લાખ રૂપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને ૨૦૨૧ એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો. પ્રદિપને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો અને પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હાલ આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે પોલીસે આ મામલે પ્રદિપ મકવાણા, તેના પિતા ભરત મકવાણા, ભાવેશ ચાવડા, બાલાભાઈ ચાવડા વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો  છે. એટલું જ નહીં  અત્યાર સુધી 29 નિમણુંક પત્ર બનાવ્યાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.