રાજસ્થાનના કોચિંગ સીટી કોટામાં વધુ એક વિદ્યાર્થિનીએ મોતને ગળે લગાવ્યું, સુસાઈડ નોટમાં લખ્યું-I can’t do JEE


  • Published By :
  • Published Date : 2024-01-29 19:45:46

રાજસ્થાન સરકારના ઘણા પ્રયત્નો છતાં પણ કોચિંગ સીટી કોટા મોતની ફેક્ટરી બની રહ્યું છે. કોટામાં વિદ્યાર્થીના આત્મહત્યાના કિસ્સાઓ અટકી રહ્યા નથી. માત્ર એક સપ્તાહની અંદર કોટામાં કોચિંગના વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થિનીએ પાંચ લાઈનની સુસાઈડ નોટ લખી હતી, જેને વાંચીને પરિવારજનો અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.


આત્મહત્યાનો આ બીજો કિસ્સો


અભ્યાસના ભારે દબાણને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીની સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં વિદ્યાર્થિનીએ લખ્યું છે કે હું JEE કરી શકીશ નહીં. હું એક ખરાબ પુત્રી છું. આત્મહત્યા એ મારો છેલ્લો વિકલ્પ છે. આ ચિઠ્ઠી મળ્યા બાદ પરિવારજનો સહિત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે માત્ર 7 દિવસમાં કોટાના કોચિંગ વિદ્યાર્થીની આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે.

 

વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં શું લખ્યું?


વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે Mummy papa I can’t do JEE. So I suicide, I am looser, I worst daughter, Sorry mummy papa Yahi last option he.અંગ્રેજીમાં લખેલા આ વાક્યો સ્પષ્ટપણે વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના દબાણ દર્શાવે છે. આ મામલો કોટામાં ઓનલાઈન કોચિંગ લઈ રહેલી 18 વર્ષની વિદ્યાર્થિનીનો છે, જેણે રવિવારે રાત્રે પોતાના રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ઝડપથી વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તે વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું હતું.


વિદ્યાર્થિનીની 31 જાન્યુઆરીએ JEEની પરીક્ષા હતી


આ વિદ્યાર્થિની JEEનો અભ્યાસ કરી રહી હતી, જો કે અભ્યાસનું ભારે દબાણ તે સહન કરી શકી નહીં અને તેણે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થિનીની 31 જાન્યુઆરીએ JEEની પરીક્ષા હતી, જેના કારણે તે તણાવમાં હતી. આ વિદ્યાર્થિની તેના પરિવાર સાથે કોટાના બોરખેડા વિસ્તારમાં રહેતી હતી. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ ચિઠ્ઠી વાંચીને પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિદ્યાર્થિની મૂળ ઝાલાવાડનો રહેવાસી હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.