રાજસ્થાનના કોચિંગ સીટી કોટામાં વધુ એક વિદ્યાર્થિનીએ મોતને ગળે લગાવ્યું, સુસાઈડ નોટમાં લખ્યું-I can’t do JEE


  • Published By :
  • Published Date : 2024-01-29 19:45:46

રાજસ્થાન સરકારના ઘણા પ્રયત્નો છતાં પણ કોચિંગ સીટી કોટા મોતની ફેક્ટરી બની રહ્યું છે. કોટામાં વિદ્યાર્થીના આત્મહત્યાના કિસ્સાઓ અટકી રહ્યા નથી. માત્ર એક સપ્તાહની અંદર કોટામાં કોચિંગના વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થિનીએ પાંચ લાઈનની સુસાઈડ નોટ લખી હતી, જેને વાંચીને પરિવારજનો અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.


આત્મહત્યાનો આ બીજો કિસ્સો


અભ્યાસના ભારે દબાણને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીની સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં વિદ્યાર્થિનીએ લખ્યું છે કે હું JEE કરી શકીશ નહીં. હું એક ખરાબ પુત્રી છું. આત્મહત્યા એ મારો છેલ્લો વિકલ્પ છે. આ ચિઠ્ઠી મળ્યા બાદ પરિવારજનો સહિત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે માત્ર 7 દિવસમાં કોટાના કોચિંગ વિદ્યાર્થીની આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે.

 

વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં શું લખ્યું?


વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે Mummy papa I can’t do JEE. So I suicide, I am looser, I worst daughter, Sorry mummy papa Yahi last option he.અંગ્રેજીમાં લખેલા આ વાક્યો સ્પષ્ટપણે વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના દબાણ દર્શાવે છે. આ મામલો કોટામાં ઓનલાઈન કોચિંગ લઈ રહેલી 18 વર્ષની વિદ્યાર્થિનીનો છે, જેણે રવિવારે રાત્રે પોતાના રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ઝડપથી વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તે વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું હતું.


વિદ્યાર્થિનીની 31 જાન્યુઆરીએ JEEની પરીક્ષા હતી


આ વિદ્યાર્થિની JEEનો અભ્યાસ કરી રહી હતી, જો કે અભ્યાસનું ભારે દબાણ તે સહન કરી શકી નહીં અને તેણે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થિનીની 31 જાન્યુઆરીએ JEEની પરીક્ષા હતી, જેના કારણે તે તણાવમાં હતી. આ વિદ્યાર્થિની તેના પરિવાર સાથે કોટાના બોરખેડા વિસ્તારમાં રહેતી હતી. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ ચિઠ્ઠી વાંચીને પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિદ્યાર્થિની મૂળ ઝાલાવાડનો રહેવાસી હતો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.