ગુજરાત એટીએસની વધુ એક સફળ કામગીરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:20:37

ગુજરાત એટીએસએ દિલ્લી ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને બાતમીના આધારે નવી દિલ્લીના વસંતકુંજ વિસ્તારમાંથી એક અફઘાની નાગરિકને 20 કરોડની કિંમતના 4 કિલોના હેરોઈનના જથ્થો ઝડપી પાડ્યો હતો.  


ગુજરાત ATS બાતમીના આધારે 2 સપ્ટેમ્બરના રોજ દિલ્લી નિકળ્યા હતા. દિલ્લીના વસંતકુંજ ખાતે રેડ સંયુક્ત ઓપરેશન કરતા વાહીદુલ્લાહ રહીમુલ્લા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઝડપાયેલા 4 કિલો હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 20 કરોડ જેટલી છે. આરોપી અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને વર્ષ 2016માં મેડિકલ વીઝા પર ભારત આવ્યો હતો. આરોપી સાઉથ દિલ્લીના જોગાબાઈ એક્ષ્ટેંશન ખાતે રહેતો હતો.  




અગાઉ પણ ગુજરાતમાં દરિયા મારફતે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટનાઓ ઘટી છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતથી સમગ્ર ડ્રગ્સ દિલ્લી અને મુંબઈ પહોંચી રહ્યું છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં ડ્રગ્સના કનેક્શન ધીમેધીમે ખુલી રહ્યા છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.