ગુજરાત એટીએસની વધુ એક સફળ કામગીરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:20:37

ગુજરાત એટીએસએ દિલ્લી ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને બાતમીના આધારે નવી દિલ્લીના વસંતકુંજ વિસ્તારમાંથી એક અફઘાની નાગરિકને 20 કરોડની કિંમતના 4 કિલોના હેરોઈનના જથ્થો ઝડપી પાડ્યો હતો.  


ગુજરાત ATS બાતમીના આધારે 2 સપ્ટેમ્બરના રોજ દિલ્લી નિકળ્યા હતા. દિલ્લીના વસંતકુંજ ખાતે રેડ સંયુક્ત ઓપરેશન કરતા વાહીદુલ્લાહ રહીમુલ્લા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઝડપાયેલા 4 કિલો હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 20 કરોડ જેટલી છે. આરોપી અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને વર્ષ 2016માં મેડિકલ વીઝા પર ભારત આવ્યો હતો. આરોપી સાઉથ દિલ્લીના જોગાબાઈ એક્ષ્ટેંશન ખાતે રહેતો હતો.  




અગાઉ પણ ગુજરાતમાં દરિયા મારફતે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટનાઓ ઘટી છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતથી સમગ્ર ડ્રગ્સ દિલ્લી અને મુંબઈ પહોંચી રહ્યું છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં ડ્રગ્સના કનેક્શન ધીમેધીમે ખુલી રહ્યા છે.  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?