ગુજરાત એટીએસની વધુ એક સફળ કામગીરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:20:37

ગુજરાત એટીએસએ દિલ્લી ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને બાતમીના આધારે નવી દિલ્લીના વસંતકુંજ વિસ્તારમાંથી એક અફઘાની નાગરિકને 20 કરોડની કિંમતના 4 કિલોના હેરોઈનના જથ્થો ઝડપી પાડ્યો હતો.  


ગુજરાત ATS બાતમીના આધારે 2 સપ્ટેમ્બરના રોજ દિલ્લી નિકળ્યા હતા. દિલ્લીના વસંતકુંજ ખાતે રેડ સંયુક્ત ઓપરેશન કરતા વાહીદુલ્લાહ રહીમુલ્લા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઝડપાયેલા 4 કિલો હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 20 કરોડ જેટલી છે. આરોપી અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને વર્ષ 2016માં મેડિકલ વીઝા પર ભારત આવ્યો હતો. આરોપી સાઉથ દિલ્લીના જોગાબાઈ એક્ષ્ટેંશન ખાતે રહેતો હતો.  




અગાઉ પણ ગુજરાતમાં દરિયા મારફતે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટનાઓ ઘટી છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતથી સમગ્ર ડ્રગ્સ દિલ્લી અને મુંબઈ પહોંચી રહ્યું છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં ડ્રગ્સના કનેક્શન ધીમેધીમે ખુલી રહ્યા છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .