ગુજરાત એટીએસની વધુ એક સફળ કામગીરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:20:37

ગુજરાત એટીએસએ દિલ્લી ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને બાતમીના આધારે નવી દિલ્લીના વસંતકુંજ વિસ્તારમાંથી એક અફઘાની નાગરિકને 20 કરોડની કિંમતના 4 કિલોના હેરોઈનના જથ્થો ઝડપી પાડ્યો હતો.  


ગુજરાત ATS બાતમીના આધારે 2 સપ્ટેમ્બરના રોજ દિલ્લી નિકળ્યા હતા. દિલ્લીના વસંતકુંજ ખાતે રેડ સંયુક્ત ઓપરેશન કરતા વાહીદુલ્લાહ રહીમુલ્લા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઝડપાયેલા 4 કિલો હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 20 કરોડ જેટલી છે. આરોપી અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને વર્ષ 2016માં મેડિકલ વીઝા પર ભારત આવ્યો હતો. આરોપી સાઉથ દિલ્લીના જોગાબાઈ એક્ષ્ટેંશન ખાતે રહેતો હતો.  




અગાઉ પણ ગુજરાતમાં દરિયા મારફતે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટનાઓ ઘટી છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતથી સમગ્ર ડ્રગ્સ દિલ્લી અને મુંબઈ પહોંચી રહ્યું છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં ડ્રગ્સના કનેક્શન ધીમેધીમે ખુલી રહ્યા છે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"