ફરી એક વખત સર્જાઈ ટ્રેન દુર્ઘટના, Ajmer નજીક સાબરમતી Trainના ડબ્બા પાટા પરથી ઉતર્યા, સદનસીબે જાનહાની ટળી પરંતુ....


  • Published By :
  • Published Date : 2024-03-18 13:36:47

એક સમય હતો જ્યારે રોડ અકસ્માતની ઘટના બનવી સામાન્ય હતી પરંતુ હવે ટ્રેન અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને તે ઘણી જોખમી વાત છે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં ટ્રેનની ટક્કર થાય છે અને ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. ઓડિશામાં બનેલી દુર્ઘટના તો ના જ ભૂલાય. આ બધા વચ્ચે ફરી એક વખત ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અમદાવાદની સાબરમતી એક્સપ્રેસનો અજમેરમાં અકસ્માત થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માત સવારે 1.00 વાગ્યાની આસપાસ બની છે. 

4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા...! 

ટ્રેન અકસ્માતની અનેક ઘટનાઓ આપણી સામે છે અને તેમાં પણ ઓડિશામાં બનેલી ભયાનક દુર્ઘટના કેવી રીતે ભૂલાય? તે રેલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જતા રહ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે બાદ રેલવે દુર્ઘટનાના અનેક સમાચાર આપણી સામે  આવ્યા છે. તે વખતે પણ અનેક ટ્રેનોના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ત્યારે ફરી એક વખત ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જે ટ્રેનને અકસ્માત નડ્યો છે તે ટ્રેન છે અમદાવાદની સાબરમતી એક્સપ્રેસ. અજમેર નજીક આ અકસ્માત સર્જાયો છે અને ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનાને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી... મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ સતત વધી રહી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.