ફરી એક વખત સર્જાઈ ટ્રેન દુર્ઘટના, Ajmer નજીક સાબરમતી Trainના ડબ્બા પાટા પરથી ઉતર્યા, સદનસીબે જાનહાની ટળી પરંતુ....


  • Published By :
  • Published Date : 2024-03-18 13:36:47

એક સમય હતો જ્યારે રોડ અકસ્માતની ઘટના બનવી સામાન્ય હતી પરંતુ હવે ટ્રેન અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને તે ઘણી જોખમી વાત છે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં ટ્રેનની ટક્કર થાય છે અને ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. ઓડિશામાં બનેલી દુર્ઘટના તો ના જ ભૂલાય. આ બધા વચ્ચે ફરી એક વખત ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અમદાવાદની સાબરમતી એક્સપ્રેસનો અજમેરમાં અકસ્માત થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માત સવારે 1.00 વાગ્યાની આસપાસ બની છે. 

4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા...! 

ટ્રેન અકસ્માતની અનેક ઘટનાઓ આપણી સામે છે અને તેમાં પણ ઓડિશામાં બનેલી ભયાનક દુર્ઘટના કેવી રીતે ભૂલાય? તે રેલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જતા રહ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે બાદ રેલવે દુર્ઘટનાના અનેક સમાચાર આપણી સામે  આવ્યા છે. તે વખતે પણ અનેક ટ્રેનોના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ત્યારે ફરી એક વખત ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જે ટ્રેનને અકસ્માત નડ્યો છે તે ટ્રેન છે અમદાવાદની સાબરમતી એક્સપ્રેસ. અજમેર નજીક આ અકસ્માત સર્જાયો છે અને ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનાને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી... મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ સતત વધી રહી છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી