12 કલાકની અંદર બની બીજી ટ્રેન દુર્ઘટના, બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં લાગી આગ, ઘટનામાં દાઝયા આટલા લોકો


  • Published By :
  • Published Date : 2023-11-16 15:06:15

ટ્રેન દુર્ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. કોઈ વખત ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે તો કોઈ વખત ટ્રેનમાં આગ લાગે છે. છેલ્લા 12 કલાકમાં બે ટ્રેનોમાં આગ લાગી છે. યુપીના ઈટાવામાં બીજી મોટી રેલ દુર્ઘટના બની છે. બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે, મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

આની પહેલા પણ ટ્રેનના ડબ્બામાં લાગી હતી આગ

દિવાળી દરમિયાન અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ફાયર વિભાગની ટીમ દિવાળી દરમિયાન દોડતી રહી હતી. તો બીજી તરફ ટ્રેનોમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં માત્ર થોડા કલાકોની અંદર બીજી એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. થોડા સમય પહેલા બુધવાર સાંજે દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. એ ત્રણ ડબ્બામાં એક સ્લીપર કોચ અને બે જનરલ કોચનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોય તેવા સમાચાર આવ્યા ન હતા. તો ફરી એક વખત ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 

વારંવાર થતી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે!  

ઉત્તર પ્રદેશના ઈટાવા પાસે દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ ટ્રેનમાં કેવી રીતે લાગી તે જાણવા માટે તપાસ થઈ રહી છે. આગ લાગવાને કારણે 19 જેટલા લોકો દાઝ્યા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે વારંવાર બનતી આવી આગની ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે