12 કલાકની અંદર બની બીજી ટ્રેન દુર્ઘટના, બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં લાગી આગ, ઘટનામાં દાઝયા આટલા લોકો


  • Published By :
  • Published Date : 2023-11-16 15:06:15

ટ્રેન દુર્ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. કોઈ વખત ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે તો કોઈ વખત ટ્રેનમાં આગ લાગે છે. છેલ્લા 12 કલાકમાં બે ટ્રેનોમાં આગ લાગી છે. યુપીના ઈટાવામાં બીજી મોટી રેલ દુર્ઘટના બની છે. બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે, મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

આની પહેલા પણ ટ્રેનના ડબ્બામાં લાગી હતી આગ

દિવાળી દરમિયાન અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ફાયર વિભાગની ટીમ દિવાળી દરમિયાન દોડતી રહી હતી. તો બીજી તરફ ટ્રેનોમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં માત્ર થોડા કલાકોની અંદર બીજી એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. થોડા સમય પહેલા બુધવાર સાંજે દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. એ ત્રણ ડબ્બામાં એક સ્લીપર કોચ અને બે જનરલ કોચનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોય તેવા સમાચાર આવ્યા ન હતા. તો ફરી એક વખત ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 

વારંવાર થતી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે!  

ઉત્તર પ્રદેશના ઈટાવા પાસે દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ ટ્રેનમાં કેવી રીતે લાગી તે જાણવા માટે તપાસ થઈ રહી છે. આગ લાગવાને કારણે 19 જેટલા લોકો દાઝ્યા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે વારંવાર બનતી આવી આગની ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે..  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.