Brijbhushan singhના વિરૂદ્ધ વધુ એક કુસ્તીબાજે Padma Shri પરત આપવાની કરી જાહેરાત! Sakshi Malik માટે કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-12-23 16:48:47

થોડા મહિનાઓ પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે મહિલા કુશ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા.  થોડા દિવસો પહેલા સંજયસિંહ WFIના પ્રમુખ બન્યા.સંજયસિંહને બ્રિજભૂષણ શરણસિંહના નજીકના માનવામાં આવે છે. પરિણામ આવ્યા બાદ ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે. પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી, તે બાદ બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી ત્યારે હવે શ્રેણીમાં વિરેન્દ્રસિંહ પણ આવ્યા છે. તેમણે પણ પદ્મ શ્રી એવોર્ડ પરત કરવાની વાત કરી છે.   

કુસ્તીબાજોમાં જોવા મળી નારાજગી

દિલ્હીના જંતર મંતર ખાતે મહિલા કુશ્તીબાજોએ યૌન શોષણના આરોપ સાથે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. બેઠકોનો અનેક દોરો ચાલ્યો તે બાદ કુસ્તીબાજોએ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. પરંતુ તે બાદ આ વિવાદ ત્યારે છેડાયો જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવતા વ્યક્તિ એવા સંજયસિંહને WFIના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.


બજરંગ પુનિયાએ કરી મેડલ પરત આપવાની જાહેરાત 

WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપ સાથે દેશને ગૌરવ અપાવનારા કુસ્તીબાજો રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ કર્યો હતો. સંજયસિંહની જીત બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તે બાદ સાક્ષીના સમર્થનમાં બજરંગ પુનિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને પોતાનો એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી હતી.


બજરંગ પુનિયાએ લખ્યો હતો પત્ર

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લેટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. તેમને કહેવા માટે મારો આ પત્ર છે, આ મારું નિવેદન છે. આ પત્રના અંતમાં બજરંગે લખ્યું- અમે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જતા ત્યારે સ્ટેજ ડાયરેક્ટર અમને પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા કુસ્તીબાજો કહીને અમારી ઓળખાણ કરાવતા, તો લોકો ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડતા. હવે જો કોઈ મને આ રીતે બોલાવશે તો મને અણગમો થશે કારણ કે આટલું સન્માનિત જીવન જે દરેક મહિલા રેસલર જીવવા માંગે છે તેનાથી તેને વંચીત કરી દેવામાં આવી છે.  


સોશિયલ મીડિયા પર વિરેન્દ્રસિંહે કરી જાહેરાત  

ત્યારે હવે વધુ એક ખેલાડીએ પોતાનું મેડલ પાછું આપવાની જાહેરાત કરી છે. વિરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું કે હું મારી બહેન અને દેશની દીકરીના સમ્માન માટે પદ્મશ્રી એવોર્ડ પરત આપી રહ્યો છું. માનનીય પ્રધાનમંત્રીજી મને ગર્વ છે સાક્ષી મલિક પર. પોતાના ટ્વિટ પર નિરજ ચોપરા અને સચિન તેંડુલકરને પણ ટેગ કર્યા છે. મહત્વનું છે કે માત્ર બે દિવસમાં બે ખેલાડીઓએ પોતાના મેડલ પરત આપવાની જાહેરાત કરી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે