Brijbhushan singhના વિરૂદ્ધ વધુ એક કુસ્તીબાજે Padma Shri પરત આપવાની કરી જાહેરાત! Sakshi Malik માટે કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-12-23 16:48:47

થોડા મહિનાઓ પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે મહિલા કુશ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા.  થોડા દિવસો પહેલા સંજયસિંહ WFIના પ્રમુખ બન્યા.સંજયસિંહને બ્રિજભૂષણ શરણસિંહના નજીકના માનવામાં આવે છે. પરિણામ આવ્યા બાદ ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે. પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી, તે બાદ બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી ત્યારે હવે શ્રેણીમાં વિરેન્દ્રસિંહ પણ આવ્યા છે. તેમણે પણ પદ્મ શ્રી એવોર્ડ પરત કરવાની વાત કરી છે.   

કુસ્તીબાજોમાં જોવા મળી નારાજગી

દિલ્હીના જંતર મંતર ખાતે મહિલા કુશ્તીબાજોએ યૌન શોષણના આરોપ સાથે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. બેઠકોનો અનેક દોરો ચાલ્યો તે બાદ કુસ્તીબાજોએ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. પરંતુ તે બાદ આ વિવાદ ત્યારે છેડાયો જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવતા વ્યક્તિ એવા સંજયસિંહને WFIના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.


બજરંગ પુનિયાએ કરી મેડલ પરત આપવાની જાહેરાત 

WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપ સાથે દેશને ગૌરવ અપાવનારા કુસ્તીબાજો રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ કર્યો હતો. સંજયસિંહની જીત બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તે બાદ સાક્ષીના સમર્થનમાં બજરંગ પુનિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને પોતાનો એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી હતી.


બજરંગ પુનિયાએ લખ્યો હતો પત્ર

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લેટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. તેમને કહેવા માટે મારો આ પત્ર છે, આ મારું નિવેદન છે. આ પત્રના અંતમાં બજરંગે લખ્યું- અમે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જતા ત્યારે સ્ટેજ ડાયરેક્ટર અમને પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા કુસ્તીબાજો કહીને અમારી ઓળખાણ કરાવતા, તો લોકો ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડતા. હવે જો કોઈ મને આ રીતે બોલાવશે તો મને અણગમો થશે કારણ કે આટલું સન્માનિત જીવન જે દરેક મહિલા રેસલર જીવવા માંગે છે તેનાથી તેને વંચીત કરી દેવામાં આવી છે.  


સોશિયલ મીડિયા પર વિરેન્દ્રસિંહે કરી જાહેરાત  

ત્યારે હવે વધુ એક ખેલાડીએ પોતાનું મેડલ પાછું આપવાની જાહેરાત કરી છે. વિરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું કે હું મારી બહેન અને દેશની દીકરીના સમ્માન માટે પદ્મશ્રી એવોર્ડ પરત આપી રહ્યો છું. માનનીય પ્રધાનમંત્રીજી મને ગર્વ છે સાક્ષી મલિક પર. પોતાના ટ્વિટ પર નિરજ ચોપરા અને સચિન તેંડુલકરને પણ ટેગ કર્યા છે. મહત્વનું છે કે માત્ર બે દિવસમાં બે ખેલાડીઓએ પોતાના મેડલ પરત આપવાની જાહેરાત કરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.