ફરી એક યુવાનનો હાર્ટ એટેકે લીધો ભોગ, અરવલ્લીમાં 27 વર્ષીય વ્યક્તિનું હૃદય હુમલાને કારણે મોત થતાં પરિવારમાં શોક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-24 17:39:53

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના સમાચાર પ્રતિદિન મળી રહ્યા છે. પેહલા હાર્ટ એટેક વૃદ્ધોને આવતો હતો, તે બાદ ધીમે ધીમે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા ગયા. પરંતુ હવે તો પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બની રહેલા હાર્ટ એટેક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે ફરી એક યુવાનનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. અરવલ્લીમાં રહેતા 27 વર્ષીય વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો હોય. જે વ્યક્તિનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે તેમનું નામ છે અશિત ચૌધરી. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. કોઈ યુવાન ક્રિકેટ રમતા રમતા, કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા પોતાનો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. તેમને પણ ખબર નથી હોતી કે આવનારી પળ તેમના માટે અંતિમ પળ સાબિત થશે. સાજો દેખાતો માણસ અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. 


27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત થતાં પરિવારમાં છવાયો શોક

નાની ઉંમરે લોકોના મોત થવાથી પરિવારનો આશરો છીનવાઈ જતો હોય છે. જે યુવાન માતા પિતાનો સહારો બનવાનો હોય અને તે જ સંતાનની અર્થી ઉઠાવતા પિતાની શું લાગણી હશે તે આપણે જાણી શકતા નથી. ત્યારે વધુ એક પરિવારે પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ખોયો છે. અરવલ્લીમાં રહેલા 27 વર્ષીય અશિત ચૌધરી નામના વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે