ફરી એક યુવાનનો હાર્ટ એટેકે લીધો ભોગ, અરવલ્લીમાં 27 વર્ષીય વ્યક્તિનું હૃદય હુમલાને કારણે મોત થતાં પરિવારમાં શોક


  • Published By :
  • Published Date : 2023-07-24 17:39:53

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના સમાચાર પ્રતિદિન મળી રહ્યા છે. પેહલા હાર્ટ એટેક વૃદ્ધોને આવતો હતો, તે બાદ ધીમે ધીમે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા ગયા. પરંતુ હવે તો પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બની રહેલા હાર્ટ એટેક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે ફરી એક યુવાનનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. અરવલ્લીમાં રહેતા 27 વર્ષીય વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો હોય. જે વ્યક્તિનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે તેમનું નામ છે અશિત ચૌધરી. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. કોઈ યુવાન ક્રિકેટ રમતા રમતા, કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા પોતાનો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. તેમને પણ ખબર નથી હોતી કે આવનારી પળ તેમના માટે અંતિમ પળ સાબિત થશે. સાજો દેખાતો માણસ અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. 


27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત થતાં પરિવારમાં છવાયો શોક

નાની ઉંમરે લોકોના મોત થવાથી પરિવારનો આશરો છીનવાઈ જતો હોય છે. જે યુવાન માતા પિતાનો સહારો બનવાનો હોય અને તે જ સંતાનની અર્થી ઉઠાવતા પિતાની શું લાગણી હશે તે આપણે જાણી શકતા નથી. ત્યારે વધુ એક પરિવારે પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ખોયો છે. અરવલ્લીમાં રહેલા 27 વર્ષીય અશિત ચૌધરી નામના વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.