રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્કા-વિરાટને પણ મળ્યું આમંત્રણ, 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે સેલિબ્રિટિઝ


  • Published By :
  • Published Date : 2024-01-16 20:49:31

હાલ દેશમાં રામ મંદિરને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સર્વત્ર આતુરતા જોવા મળી રહી છે, આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા સેલેબ્સ, ક્રિકેટરો અને રાજકારણીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. હવે તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ અયોધ્યા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.


અનુષ્કા અને વિરાટને આમંત્રણ મળ્યું 


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ અને દુનિયાના ઘણા લોકોને ખાસ આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલીને પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. સ્વાભાવિક રીતે, જ આ પહેલા ઘણા અન્ય સેલેબ્સ અને ક્રિકેટરોને પણ આ આમંત્રણ મળી ચૂક્યું છે.


ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ


આ સ્પેશિયલ ફંક્શનમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વિકારતા હોય તેવો બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં કપલ આમંત્રણ કાર્ડ સાથે પોઝ આપતા જોવા મળે છે. આ કપલ હાથમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કોર્ડ સાથે કેમેરા સામે પોઝ આપતા જોઈ શકાય છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં અનુષ્કા શર્મા સફેદ રંગનો અલરકાલી સૂટ પહેરેલી જોવા મળે છે. તેના કપાળ પર બિંદી, મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સરળ અને સુંદર દેખાઈ રહી છે. વિરાટ કોહલી ડેનિમ શર્ટ સાથે સફેદ પેન્ટ પહેરેલો જોવા મળે છે.


અનેક સેલેબ્સને મળ્યું આમંત્રણ


22 જાન્યુઆરી માટે ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને મળ્યું આમંત્રણ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગાઉ ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને આ આમંત્રણ મળ્યું છે. હાલમાં જ ક્રિકેટર ધોની અને સિંગર આશા ભોંસલેને પણ આમંત્રણ મળ્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર, અનુપમ ખેર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, અરુણ ગોવિલ અને અજય દેવગનને પણ સમારોહમાં હાજરી આપવા માટે કાર્ડ મળ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે સાઉથના ઘણા સુપરસ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.