રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્કા-વિરાટને પણ મળ્યું આમંત્રણ, 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે સેલિબ્રિટિઝ


  • Published By :
  • Published Date : 2024-01-16 20:49:31

હાલ દેશમાં રામ મંદિરને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સર્વત્ર આતુરતા જોવા મળી રહી છે, આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા સેલેબ્સ, ક્રિકેટરો અને રાજકારણીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. હવે તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ અયોધ્યા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.


અનુષ્કા અને વિરાટને આમંત્રણ મળ્યું 


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ અને દુનિયાના ઘણા લોકોને ખાસ આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલીને પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. સ્વાભાવિક રીતે, જ આ પહેલા ઘણા અન્ય સેલેબ્સ અને ક્રિકેટરોને પણ આ આમંત્રણ મળી ચૂક્યું છે.


ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ


આ સ્પેશિયલ ફંક્શનમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વિકારતા હોય તેવો બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં કપલ આમંત્રણ કાર્ડ સાથે પોઝ આપતા જોવા મળે છે. આ કપલ હાથમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કોર્ડ સાથે કેમેરા સામે પોઝ આપતા જોઈ શકાય છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં અનુષ્કા શર્મા સફેદ રંગનો અલરકાલી સૂટ પહેરેલી જોવા મળે છે. તેના કપાળ પર બિંદી, મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સરળ અને સુંદર દેખાઈ રહી છે. વિરાટ કોહલી ડેનિમ શર્ટ સાથે સફેદ પેન્ટ પહેરેલો જોવા મળે છે.


અનેક સેલેબ્સને મળ્યું આમંત્રણ


22 જાન્યુઆરી માટે ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને મળ્યું આમંત્રણ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગાઉ ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને આ આમંત્રણ મળ્યું છે. હાલમાં જ ક્રિકેટર ધોની અને સિંગર આશા ભોંસલેને પણ આમંત્રણ મળ્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર, અનુપમ ખેર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, અરુણ ગોવિલ અને અજય દેવગનને પણ સમારોહમાં હાજરી આપવા માટે કાર્ડ મળ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે સાઉથના ઘણા સુપરસ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.