રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્કા-વિરાટને પણ મળ્યું આમંત્રણ, 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે સેલિબ્રિટિઝ


  • Published By :
  • Published Date : 2024-01-16 20:49:31

હાલ દેશમાં રામ મંદિરને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સર્વત્ર આતુરતા જોવા મળી રહી છે, આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા સેલેબ્સ, ક્રિકેટરો અને રાજકારણીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. હવે તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ અયોધ્યા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.


અનુષ્કા અને વિરાટને આમંત્રણ મળ્યું 


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ અને દુનિયાના ઘણા લોકોને ખાસ આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલીને પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. સ્વાભાવિક રીતે, જ આ પહેલા ઘણા અન્ય સેલેબ્સ અને ક્રિકેટરોને પણ આ આમંત્રણ મળી ચૂક્યું છે.


ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ


આ સ્પેશિયલ ફંક્શનમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વિકારતા હોય તેવો બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં કપલ આમંત્રણ કાર્ડ સાથે પોઝ આપતા જોવા મળે છે. આ કપલ હાથમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કોર્ડ સાથે કેમેરા સામે પોઝ આપતા જોઈ શકાય છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં અનુષ્કા શર્મા સફેદ રંગનો અલરકાલી સૂટ પહેરેલી જોવા મળે છે. તેના કપાળ પર બિંદી, મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સરળ અને સુંદર દેખાઈ રહી છે. વિરાટ કોહલી ડેનિમ શર્ટ સાથે સફેદ પેન્ટ પહેરેલો જોવા મળે છે.


અનેક સેલેબ્સને મળ્યું આમંત્રણ


22 જાન્યુઆરી માટે ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને મળ્યું આમંત્રણ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગાઉ ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને આ આમંત્રણ મળ્યું છે. હાલમાં જ ક્રિકેટર ધોની અને સિંગર આશા ભોંસલેને પણ આમંત્રણ મળ્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર, અનુપમ ખેર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, અરુણ ગોવિલ અને અજય દેવગનને પણ સમારોહમાં હાજરી આપવા માટે કાર્ડ મળ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે સાઉથના ઘણા સુપરસ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.