રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્કા-વિરાટને પણ મળ્યું આમંત્રણ, 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે સેલિબ્રિટિઝ


  • Published By :
  • Published Date : 2024-01-16 20:49:31

હાલ દેશમાં રામ મંદિરને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સર્વત્ર આતુરતા જોવા મળી રહી છે, આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા સેલેબ્સ, ક્રિકેટરો અને રાજકારણીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. હવે તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ અયોધ્યા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.


અનુષ્કા અને વિરાટને આમંત્રણ મળ્યું 


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ અને દુનિયાના ઘણા લોકોને ખાસ આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલીને પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. સ્વાભાવિક રીતે, જ આ પહેલા ઘણા અન્ય સેલેબ્સ અને ક્રિકેટરોને પણ આ આમંત્રણ મળી ચૂક્યું છે.


ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ


આ સ્પેશિયલ ફંક્શનમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વિકારતા હોય તેવો બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં કપલ આમંત્રણ કાર્ડ સાથે પોઝ આપતા જોવા મળે છે. આ કપલ હાથમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કોર્ડ સાથે કેમેરા સામે પોઝ આપતા જોઈ શકાય છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં અનુષ્કા શર્મા સફેદ રંગનો અલરકાલી સૂટ પહેરેલી જોવા મળે છે. તેના કપાળ પર બિંદી, મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સરળ અને સુંદર દેખાઈ રહી છે. વિરાટ કોહલી ડેનિમ શર્ટ સાથે સફેદ પેન્ટ પહેરેલો જોવા મળે છે.


અનેક સેલેબ્સને મળ્યું આમંત્રણ


22 જાન્યુઆરી માટે ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને મળ્યું આમંત્રણ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગાઉ ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને આ આમંત્રણ મળ્યું છે. હાલમાં જ ક્રિકેટર ધોની અને સિંગર આશા ભોંસલેને પણ આમંત્રણ મળ્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર, અનુપમ ખેર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, અરુણ ગોવિલ અને અજય દેવગનને પણ સમારોહમાં હાજરી આપવા માટે કાર્ડ મળ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે સાઉથના ઘણા સુપરસ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.