Parsottam Rupala ઉપરાંત ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ, વિજય મુહુર્તમાં પરષોત્તમ રૂપાલા નામાંકન દાખલ કરાવશે!


  • Published By :
  • Published Date : 2024-04-16 10:31:54

ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થયા બાદ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે.  ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારી અંતર્ગત અનેક ઉમેદવારોએ ગઈકાલે નામાંકન દાખલ કરાવી દીધું છે. કોંગ્રેસ તેમજ ભાજપના અનેક ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા નીકળી ગયા છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ ભાજપ પોતાના ઉમેદવારને લઈ મક્કમ દેખાઈ રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા રાજકોટમાં શક્તિપ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યા તેમના સમર્થકો હાજર હતા. 


ભાજપના આ ઉમેદવારો નોંધાવશે નામાંકન 

પરષોત્તમ રૂપાલા ઉપરાંત કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ,ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવારી નોંધાવશે. તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ઉપરાંત અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા આજે નામાંકન દાખલ કરવાના છે. તે સિવાય જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, આણંદના મિતેશ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા, બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા જ્યારે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ 16 એપ્રિલે એટલે કે આજે નામાંકન નોંધાવશે. 


કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો પણ આજે ફોર્મ ભરવાના છે. મળતી માહિતી અનુસાર કચ્છના ઉમેદવાર નિતેશ લાલન, સાબરકાંઠાના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી, ગાંધીનગરના ઉમેદવાર સોનલ પટેલ, અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, છોટા ઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા, વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલ, પંચમહાલના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ તેમજ પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા આજે ઉમેદવારી નોંધાવશે..    



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.