Parsottam Rupala ઉપરાંત ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ, વિજય મુહુર્તમાં પરષોત્તમ રૂપાલા નામાંકન દાખલ કરાવશે!


  • Published By :
  • Published Date : 2024-04-16 10:31:54

ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થયા બાદ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે.  ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારી અંતર્ગત અનેક ઉમેદવારોએ ગઈકાલે નામાંકન દાખલ કરાવી દીધું છે. કોંગ્રેસ તેમજ ભાજપના અનેક ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા નીકળી ગયા છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ ભાજપ પોતાના ઉમેદવારને લઈ મક્કમ દેખાઈ રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા રાજકોટમાં શક્તિપ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યા તેમના સમર્થકો હાજર હતા. 


ભાજપના આ ઉમેદવારો નોંધાવશે નામાંકન 

પરષોત્તમ રૂપાલા ઉપરાંત કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ,ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવારી નોંધાવશે. તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ઉપરાંત અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા આજે નામાંકન દાખલ કરવાના છે. તે સિવાય જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, આણંદના મિતેશ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા, બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા જ્યારે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ 16 એપ્રિલે એટલે કે આજે નામાંકન નોંધાવશે. 


કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો પણ આજે ફોર્મ ભરવાના છે. મળતી માહિતી અનુસાર કચ્છના ઉમેદવાર નિતેશ લાલન, સાબરકાંઠાના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી, ગાંધીનગરના ઉમેદવાર સોનલ પટેલ, અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, છોટા ઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા, વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલ, પંચમહાલના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ તેમજ પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા આજે ઉમેદવારી નોંધાવશે..    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.