Parsottam Rupala ઉપરાંત ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ, વિજય મુહુર્તમાં પરષોત્તમ રૂપાલા નામાંકન દાખલ કરાવશે!


  • Published By :
  • Published Date : 2024-04-16 10:31:54

ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થયા બાદ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે.  ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારી અંતર્ગત અનેક ઉમેદવારોએ ગઈકાલે નામાંકન દાખલ કરાવી દીધું છે. કોંગ્રેસ તેમજ ભાજપના અનેક ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા નીકળી ગયા છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ ભાજપ પોતાના ઉમેદવારને લઈ મક્કમ દેખાઈ રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા રાજકોટમાં શક્તિપ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યા તેમના સમર્થકો હાજર હતા. 


ભાજપના આ ઉમેદવારો નોંધાવશે નામાંકન 

પરષોત્તમ રૂપાલા ઉપરાંત કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ,ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવારી નોંધાવશે. તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ઉપરાંત અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા આજે નામાંકન દાખલ કરવાના છે. તે સિવાય જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, આણંદના મિતેશ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા, બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા જ્યારે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ 16 એપ્રિલે એટલે કે આજે નામાંકન નોંધાવશે. 


કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો પણ આજે ફોર્મ ભરવાના છે. મળતી માહિતી અનુસાર કચ્છના ઉમેદવાર નિતેશ લાલન, સાબરકાંઠાના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી, ગાંધીનગરના ઉમેદવાર સોનલ પટેલ, અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, છોટા ઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા, વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલ, પંચમહાલના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ તેમજ પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા આજે ઉમેદવારી નોંધાવશે..    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે