BRTS કોરિડોરમાં અન્ય વાહન ન ચલાવવા લોકોને કરાઈ અપીલ, અનેક વખત ટ્રાફિકથી બચવા લોકો કરે છે કોરિડોરનો ઉપયોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-14 10:59:21

રાજ્યના અનેક શહેરોમાં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. લોકોને આવન-જાવન માટે સુવિધા રહે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બીઆરટીએસ બસની સુવિધા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બીઆરટીએસ તેમજ એમએટીએસ બસની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. અનેક કિસ્સાઓમાં આપણે વાંક બસ ડ્રાઈવરનો કાઢતા હોઈએ છીએ પરંતુ સંપૂર્ણ પણે અનેક કિસ્સાઓમાં વાક બસ ડ્રાઈવરોનો નથી હોતો!

ટ્રાફિકથી બચવા માટે વાહનચાલકો BRTS કોરિડોરમાં ચલાવે છે વાહન  

બીઆરટીએસ બસ માટે અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે. પરંતુ અનેક લોકો તે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિકથી બચવા માટે વાહન ચલાવતા હોય છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ બીઆરટીએસના અધિકારીઓએ ઝુંબેશ ચલાવી છે. લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીસ બસ કોરિડોરમાં માત્ર બસને જ પસાર થવા દો. અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે નોર્મલ રસ્તા પર ટ્રાફિક દેખાય તો સમય બચાવવા માટે આપણે વાહન કોરિડોરમાં ચલાવતા હોઈએ છીએ. વાહનચાલકો ઉપરાંત સવારે લોકો ચાલવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. અનેક બીઆરટીએસ કોરિડોર તો એવા છે જ્યાં બાળકો રમતા પણ દેખાય છે. જો આવા સમયે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?



BRTS કોરિડોર બસ માટે છે તે લોકોને સમજાવાયું! 

લોકો બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવે તો બીઆરટીએસ બસ કયાં જશે?  ટ્રાફિકથી બચવા માટે લોકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ બીઆરટીએસ બસ કયા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે? બીઆરટીએસ કોરિડોરમાં અનેક વખત બહુ બધા વાહનો હોવાને કારણે બસને ઉભા રહેવું પડે છે. અનેક વખત રસ્તા પર વાહન ચાલકો આવી જાય છે તો કોઈ વખત રખડતા પશુઓ આવી જાય છે. ત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીએસ રસ્તા પર માત્ર બીઆરટીએસ બસને જ પસાર થવા દો. ત્યારે જોવું રહ્યું કે અમદાવાદીઓને જે સમજાવવામાં આવ્યું છે તેમનું અમલીકરણ લોકો કરે છે કે પછી...  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.