BRTS કોરિડોરમાં અન્ય વાહન ન ચલાવવા લોકોને કરાઈ અપીલ, અનેક વખત ટ્રાફિકથી બચવા લોકો કરે છે કોરિડોરનો ઉપયોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-14 10:59:21

રાજ્યના અનેક શહેરોમાં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. લોકોને આવન-જાવન માટે સુવિધા રહે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બીઆરટીએસ બસની સુવિધા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બીઆરટીએસ તેમજ એમએટીએસ બસની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. અનેક કિસ્સાઓમાં આપણે વાંક બસ ડ્રાઈવરનો કાઢતા હોઈએ છીએ પરંતુ સંપૂર્ણ પણે અનેક કિસ્સાઓમાં વાક બસ ડ્રાઈવરોનો નથી હોતો!

ટ્રાફિકથી બચવા માટે વાહનચાલકો BRTS કોરિડોરમાં ચલાવે છે વાહન  

બીઆરટીએસ બસ માટે અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે. પરંતુ અનેક લોકો તે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિકથી બચવા માટે વાહન ચલાવતા હોય છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ બીઆરટીએસના અધિકારીઓએ ઝુંબેશ ચલાવી છે. લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીસ બસ કોરિડોરમાં માત્ર બસને જ પસાર થવા દો. અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે નોર્મલ રસ્તા પર ટ્રાફિક દેખાય તો સમય બચાવવા માટે આપણે વાહન કોરિડોરમાં ચલાવતા હોઈએ છીએ. વાહનચાલકો ઉપરાંત સવારે લોકો ચાલવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. અનેક બીઆરટીએસ કોરિડોર તો એવા છે જ્યાં બાળકો રમતા પણ દેખાય છે. જો આવા સમયે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?



BRTS કોરિડોર બસ માટે છે તે લોકોને સમજાવાયું! 

લોકો બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવે તો બીઆરટીએસ બસ કયાં જશે?  ટ્રાફિકથી બચવા માટે લોકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ બીઆરટીએસ બસ કયા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે? બીઆરટીએસ કોરિડોરમાં અનેક વખત બહુ બધા વાહનો હોવાને કારણે બસને ઉભા રહેવું પડે છે. અનેક વખત રસ્તા પર વાહન ચાલકો આવી જાય છે તો કોઈ વખત રખડતા પશુઓ આવી જાય છે. ત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીએસ રસ્તા પર માત્ર બીઆરટીએસ બસને જ પસાર થવા દો. ત્યારે જોવું રહ્યું કે અમદાવાદીઓને જે સમજાવવામાં આવ્યું છે તેમનું અમલીકરણ લોકો કરે છે કે પછી...  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.