વાવાઝોડાનું સંકટ નજીક આવતા ધારાસભ્યોએ શરૂ કરી પ્રાર્થના! દરિયા દેવને શાંત કરવા નેતાઓએ કરી વિધિવત પૂજા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-12 12:53:06

કહેવાય છે કે પ્રાર્થનામાં અદ્ભૂત શક્તિ રહેલી છે. જો શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવામાં આવે તો અશક્ય લાગતી અનેક વસ્તુઓ શક્ય થતી હોય છે. ત્યારે ગુજરાત તરફ બિપોરજોય વિનાશ સર્જવા જાણે આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાયુવેગે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે દરિયાઓ ગાંડાતુર બન્યા છે તેમજ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. અનેક બંદરો પર નંબર 9નું સિગ્નલ લગાવાઈ દેવાયું છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રે઼ડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બિપોરજોયના ભય વચ્ચે અનેક ધારાસભ્યોના પ્રાર્થના કરતા ફોટો સામે આવ્યા છે. દરિયાદેવની પૂજા કરવામાં આવી રહી છે.

 

The MLA worshiped Daryadev to avoid Biparjoy storms

પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી દરિયાદેવની પૂજા!

વાવાઝોડાને પગલે તંત્ર એકદમ એલર્ટ છે. વાવાઝોડાની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર જ્યાં વાવાઝોડાનું સંકટ વધારે છે ત્યાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. દરિયો તોફાની બનતા માછીમારોએ દરિયો ન ખેડવો તેવી સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાને જોતા ધારાસભ્યો પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ ચક્રવાતની અસર કચ્છ પર સૌથી વધારે થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે દરિયાદેવની પૂજા કરવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પહોંચ્યા હતા અને દરિયાદેવને પુષ્પો તેમજ શ્રીફળ અર્પણ કર્યું હતું.



ગુજરાતના મુખ્યમંત્રીએ વાવાઝોડાને લઈ લોકોને કરી અપીલ! 

પ્રદ્યુમનસિંહ ઉપરાંત હીરા સોલંકી પણ માછીમારો સાથે પ્રાર્થના કરતા દેખાયા. તેમણે પણ દરિયા દેવને શાંત કરવા વિધિવત પૂજા કરી હતી. દરિયા દેવને દૂધ તેજ શ્રીફળ અર્પણ કર્યા હતા અને શાંત કરવા પ્રાર્થના કરી હતી. તે સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વાવાઝોડાને લઈ પોતાના સંબોધનમાં વાત કહી હતી. તે સિવાય ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે લોકોને અપીલ કરી હતી.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.