વાવાઝોડાનું સંકટ નજીક આવતા ધારાસભ્યોએ શરૂ કરી પ્રાર્થના! દરિયા દેવને શાંત કરવા નેતાઓએ કરી વિધિવત પૂજા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-12 12:53:06

કહેવાય છે કે પ્રાર્થનામાં અદ્ભૂત શક્તિ રહેલી છે. જો શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવામાં આવે તો અશક્ય લાગતી અનેક વસ્તુઓ શક્ય થતી હોય છે. ત્યારે ગુજરાત તરફ બિપોરજોય વિનાશ સર્જવા જાણે આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાયુવેગે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે દરિયાઓ ગાંડાતુર બન્યા છે તેમજ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. અનેક બંદરો પર નંબર 9નું સિગ્નલ લગાવાઈ દેવાયું છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રે઼ડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બિપોરજોયના ભય વચ્ચે અનેક ધારાસભ્યોના પ્રાર્થના કરતા ફોટો સામે આવ્યા છે. દરિયાદેવની પૂજા કરવામાં આવી રહી છે.

 

The MLA worshiped Daryadev to avoid Biparjoy storms

પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી દરિયાદેવની પૂજા!

વાવાઝોડાને પગલે તંત્ર એકદમ એલર્ટ છે. વાવાઝોડાની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર જ્યાં વાવાઝોડાનું સંકટ વધારે છે ત્યાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. દરિયો તોફાની બનતા માછીમારોએ દરિયો ન ખેડવો તેવી સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાને જોતા ધારાસભ્યો પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ ચક્રવાતની અસર કચ્છ પર સૌથી વધારે થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે દરિયાદેવની પૂજા કરવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પહોંચ્યા હતા અને દરિયાદેવને પુષ્પો તેમજ શ્રીફળ અર્પણ કર્યું હતું.



ગુજરાતના મુખ્યમંત્રીએ વાવાઝોડાને લઈ લોકોને કરી અપીલ! 

પ્રદ્યુમનસિંહ ઉપરાંત હીરા સોલંકી પણ માછીમારો સાથે પ્રાર્થના કરતા દેખાયા. તેમણે પણ દરિયા દેવને શાંત કરવા વિધિવત પૂજા કરી હતી. દરિયા દેવને દૂધ તેજ શ્રીફળ અર્પણ કર્યા હતા અને શાંત કરવા પ્રાર્થના કરી હતી. તે સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વાવાઝોડાને લઈ પોતાના સંબોધનમાં વાત કહી હતી. તે સિવાય ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે લોકોને અપીલ કરી હતી.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.