વાવાઝોડાનું સંકટ નજીક આવતા ધારાસભ્યોએ શરૂ કરી પ્રાર્થના! દરિયા દેવને શાંત કરવા નેતાઓએ કરી વિધિવત પૂજા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-12 12:53:06

કહેવાય છે કે પ્રાર્થનામાં અદ્ભૂત શક્તિ રહેલી છે. જો શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવામાં આવે તો અશક્ય લાગતી અનેક વસ્તુઓ શક્ય થતી હોય છે. ત્યારે ગુજરાત તરફ બિપોરજોય વિનાશ સર્જવા જાણે આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાયુવેગે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે દરિયાઓ ગાંડાતુર બન્યા છે તેમજ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. અનેક બંદરો પર નંબર 9નું સિગ્નલ લગાવાઈ દેવાયું છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રે઼ડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બિપોરજોયના ભય વચ્ચે અનેક ધારાસભ્યોના પ્રાર્થના કરતા ફોટો સામે આવ્યા છે. દરિયાદેવની પૂજા કરવામાં આવી રહી છે.

 

The MLA worshiped Daryadev to avoid Biparjoy storms

પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી દરિયાદેવની પૂજા!

વાવાઝોડાને પગલે તંત્ર એકદમ એલર્ટ છે. વાવાઝોડાની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર જ્યાં વાવાઝોડાનું સંકટ વધારે છે ત્યાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. દરિયો તોફાની બનતા માછીમારોએ દરિયો ન ખેડવો તેવી સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાને જોતા ધારાસભ્યો પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ ચક્રવાતની અસર કચ્છ પર સૌથી વધારે થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે દરિયાદેવની પૂજા કરવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પહોંચ્યા હતા અને દરિયાદેવને પુષ્પો તેમજ શ્રીફળ અર્પણ કર્યું હતું.



ગુજરાતના મુખ્યમંત્રીએ વાવાઝોડાને લઈ લોકોને કરી અપીલ! 

પ્રદ્યુમનસિંહ ઉપરાંત હીરા સોલંકી પણ માછીમારો સાથે પ્રાર્થના કરતા દેખાયા. તેમણે પણ દરિયા દેવને શાંત કરવા વિધિવત પૂજા કરી હતી. દરિયા દેવને દૂધ તેજ શ્રીફળ અર્પણ કર્યા હતા અને શાંત કરવા પ્રાર્થના કરી હતી. તે સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વાવાઝોડાને લઈ પોતાના સંબોધનમાં વાત કહી હતી. તે સિવાય ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે લોકોને અપીલ કરી હતી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.