દિલ્હીમાં આજે AQI 400ને પાર, ફરી અમલી બન્યું ઓડ-ઈવન, 13થી 20 નવેમ્બર સુધી થશે કડક અમલ


  • Published By :
  • Published Date : 2023-11-06 15:31:31

રાજધાની નવી દિલ્હીમાં ફરી એક વખત વાયુ પ્રદુષણે ચિંતા વધારી છે, રાજ્યની કેજરીવાલ સરકારે વધતા વાયુ પ્રદુષણને ફેલાતું રોકવા માટે ફરી એક વખત એડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓડ-ઈવન આગામી  તારીખ 13થી 20 નવેમ્બર સુધી અમલી બનશે. સરકારના નિર્ણય મુજબ દિલ્હીમાં બીએસ 3 અને બીએસ 4 ડીઝલ કાર પર પ્રતિબંધ યથાવત રહેશે. તે ઉપરાંત દિલ્હીમાં હવે છઠ્ઠી, 8મી, 9મી, અને 11મીની ફિઝિકલ ક્લાસ 10 નવેમ્બર સુધી બંધ રહેશે. ઉલ્લેખનિય છે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્હીમાં આજે સોમવારે સવારે વાયુ પ્રદુષણ ઈન્ડેક્સ  (AQI) 400ને પાર પહોંચી ગયો હતો, જે અત્યંત 'ગંભીર' કેટેગરી માનવામાં આવે છે. 


કયા-કયા દિવસે ચાલશે ગાડીઓ?


દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણને જોતા રાજ્યમાં ફરી એક વખત ઓડ-ઈવન સિસ્ટમ અમલી બનાવવામાં આવશે, આ પ્રણાલી 13થી 20 નવેમ્બર સુધી એક સપ્તાહ સુધી અમલી રહેશે, ત્યાર બાદ તેની સમીક્ષા કર્યા બાદ જે પ્રમાણે પ્રદુષણની પરિસ્થીતી રહેશે તે મુજબ તેની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવશે. ઓડ-ઈવન દરમિયાન 1,3,5,7 અને 9 નંબરવાળી ગાડીઓ (જેની પાછળ આ નંબર છે) તે જ ચાલશે, ઈવનવાળા દિવસે જે ગાડીઓના નંબરની લાસ્ટમાં 0,2,4,6, અને 8 નંબર છે તે જ ગાડીઓ માર્ગો પર ચાલશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.