દિલ્હીમાં આજે AQI 400ને પાર, ફરી અમલી બન્યું ઓડ-ઈવન, 13થી 20 નવેમ્બર સુધી થશે કડક અમલ


  • Published By :
  • Published Date : 2023-11-06 15:31:31

રાજધાની નવી દિલ્હીમાં ફરી એક વખત વાયુ પ્રદુષણે ચિંતા વધારી છે, રાજ્યની કેજરીવાલ સરકારે વધતા વાયુ પ્રદુષણને ફેલાતું રોકવા માટે ફરી એક વખત એડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓડ-ઈવન આગામી  તારીખ 13થી 20 નવેમ્બર સુધી અમલી બનશે. સરકારના નિર્ણય મુજબ દિલ્હીમાં બીએસ 3 અને બીએસ 4 ડીઝલ કાર પર પ્રતિબંધ યથાવત રહેશે. તે ઉપરાંત દિલ્હીમાં હવે છઠ્ઠી, 8મી, 9મી, અને 11મીની ફિઝિકલ ક્લાસ 10 નવેમ્બર સુધી બંધ રહેશે. ઉલ્લેખનિય છે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્હીમાં આજે સોમવારે સવારે વાયુ પ્રદુષણ ઈન્ડેક્સ  (AQI) 400ને પાર પહોંચી ગયો હતો, જે અત્યંત 'ગંભીર' કેટેગરી માનવામાં આવે છે. 


કયા-કયા દિવસે ચાલશે ગાડીઓ?


દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણને જોતા રાજ્યમાં ફરી એક વખત ઓડ-ઈવન સિસ્ટમ અમલી બનાવવામાં આવશે, આ પ્રણાલી 13થી 20 નવેમ્બર સુધી એક સપ્તાહ સુધી અમલી રહેશે, ત્યાર બાદ તેની સમીક્ષા કર્યા બાદ જે પ્રમાણે પ્રદુષણની પરિસ્થીતી રહેશે તે મુજબ તેની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવશે. ઓડ-ઈવન દરમિયાન 1,3,5,7 અને 9 નંબરવાળી ગાડીઓ (જેની પાછળ આ નંબર છે) તે જ ચાલશે, ઈવનવાળા દિવસે જે ગાડીઓના નંબરની લાસ્ટમાં 0,2,4,6, અને 8 નંબર છે તે જ ગાડીઓ માર્ગો પર ચાલશે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.