Aravali Policeનો દાદાગીરી કરતો Video Viral! | આ પોલીસ નહિં હપ્તા ઉઘરાવતા ગુંડા છે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 12:38:06

અમે દરરોજ એવો પ્રયત્ન કરીએ છીએ કે પોલીસનો સારો ચહેરો તમારા સુધી પહોંચે. પરંતુ જ્યારે જ્યારે અમે આવો સારો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એવા સમાચાર સામે આવતા હોય છે જે ખાખીને શર્મસાર કરતા હોય છે! ત્યારે ફરી એક વર્દીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે જેને જોઈ કહેવાય કે આ પોલીસવાળા નહીં પરંતુ વર્દી પહેરી હપ્તા ઉઘરાવતા ગુંડા છે! અરવલ્લીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં અરવલ્લી પોલીસ તોડ કરી રહી છે!  અરવલ્લી જિલ્લામાં હપ્તાની રકમ માટે પોલીસની લુખ્ખી દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. 

રી એક વખત ખાખી વર્દી થઈ શર્મસાર!

ગુજરાત પોલીસ ધીરે-ધીરે પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે. એક પછી એક એવા વીડિયો સામે આવી રહ્યા છે સામે જેમાં પોલીસની વર્દીના ધજાગરા ઉડે છે અને પોલીસ વિભાગ ફરીથી શર્મસાર થાય છે. અરવલ્લી જિલ્લા પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. સૌથી પહેલા જૂનાગઢ તોડકાંડ, પછી વિરમગામ રૂરલના PSI સામે ગંભીર આક્ષેપ બાદ રાજકોટના યુવકનો આપઘાત, ત્યારબાદ ખેડા જિલ્લામાં દારૂની મહેફિલમાં 3 પોલીસકર્મીઓની મારામારી અને હવે અરવલ્લી જિલ્લામાં હપ્તાની રકમ માટે પોલીસની લુખ્ખી દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે જેને જોઈ પોલીસ સામે સવાલ તો થાય જ...



હપ્તા લેતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ! 

અરવલ્લી જિલ્લા પોલીસની આબરુનું ચીરહરણ કરતો પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરતા વાહન ચાલક પાસેથી હપ્તાની રકમ માટે લુખ્ખી દાદાગીરી કરતાં આ લોકોને પોલીસ કહેતા શરમ આવે છે!  વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી વાહનચાલકને 1થી 10 તારીખ સુધીમાં પૈસા આપી દેવા માટે કહેવાહી રહ્યું છે. દાદાગીરી કરતાં પોલીસ કહી રહ્યા છે મહિનો યાદ રાખવાનો નવમો મહિનો પતી ગયો તો દસમા મહિનામાં આપી દેવાના 1થી 10 તારીખમાં પૈસા આપી દેવાના, જો 11મી તારીખ થશે તો હું પૈસા નહીં લઉં. પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે વ્યાજના પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય!


દારૂ પીને ભૂલી ગયા પોલીસકર્મીઓ ભાન, કરવા લાગ્યા મારામારી!

હજુ તો બે દિવસ પહેલા જ  ખેડા પોલીસનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જે દારૂની મહફિલમાં કોઈ વાતને લઈ ઝઘડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. આ વીડિયો વાયરલ થતાં ગુજરાત પોલીસના આબરૂના ધજાગરા ઊડી ગયા હતા અને ત્યારબાદ આ લોકો સામે કાર્યવાહી પણ થઈ હતી. પણ પ્રશ્ન એ છે કે આ લોકોને કઈ રીતે પોલીસ કહેવાય?  આ લોકોને ના પોતાની વર્દીનું માન છે ના પોતાની પોસ્ટનું.. આ બધા ગુંડા છે હપ્તા ઉઘરાવતા મારામારી કરતાં દાદાદગીરી કરતાં ગુંડાઓ કહેવાય..!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.