Aravali Policeનો દાદાગીરી કરતો Video Viral! | આ પોલીસ નહિં હપ્તા ઉઘરાવતા ગુંડા છે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 12:38:06

અમે દરરોજ એવો પ્રયત્ન કરીએ છીએ કે પોલીસનો સારો ચહેરો તમારા સુધી પહોંચે. પરંતુ જ્યારે જ્યારે અમે આવો સારો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એવા સમાચાર સામે આવતા હોય છે જે ખાખીને શર્મસાર કરતા હોય છે! ત્યારે ફરી એક વર્દીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે જેને જોઈ કહેવાય કે આ પોલીસવાળા નહીં પરંતુ વર્દી પહેરી હપ્તા ઉઘરાવતા ગુંડા છે! અરવલ્લીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં અરવલ્લી પોલીસ તોડ કરી રહી છે!  અરવલ્લી જિલ્લામાં હપ્તાની રકમ માટે પોલીસની લુખ્ખી દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. 

રી એક વખત ખાખી વર્દી થઈ શર્મસાર!

ગુજરાત પોલીસ ધીરે-ધીરે પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે. એક પછી એક એવા વીડિયો સામે આવી રહ્યા છે સામે જેમાં પોલીસની વર્દીના ધજાગરા ઉડે છે અને પોલીસ વિભાગ ફરીથી શર્મસાર થાય છે. અરવલ્લી જિલ્લા પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. સૌથી પહેલા જૂનાગઢ તોડકાંડ, પછી વિરમગામ રૂરલના PSI સામે ગંભીર આક્ષેપ બાદ રાજકોટના યુવકનો આપઘાત, ત્યારબાદ ખેડા જિલ્લામાં દારૂની મહેફિલમાં 3 પોલીસકર્મીઓની મારામારી અને હવે અરવલ્લી જિલ્લામાં હપ્તાની રકમ માટે પોલીસની લુખ્ખી દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે જેને જોઈ પોલીસ સામે સવાલ તો થાય જ...



હપ્તા લેતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ! 

અરવલ્લી જિલ્લા પોલીસની આબરુનું ચીરહરણ કરતો પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરતા વાહન ચાલક પાસેથી હપ્તાની રકમ માટે લુખ્ખી દાદાગીરી કરતાં આ લોકોને પોલીસ કહેતા શરમ આવે છે!  વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી વાહનચાલકને 1થી 10 તારીખ સુધીમાં પૈસા આપી દેવા માટે કહેવાહી રહ્યું છે. દાદાગીરી કરતાં પોલીસ કહી રહ્યા છે મહિનો યાદ રાખવાનો નવમો મહિનો પતી ગયો તો દસમા મહિનામાં આપી દેવાના 1થી 10 તારીખમાં પૈસા આપી દેવાના, જો 11મી તારીખ થશે તો હું પૈસા નહીં લઉં. પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે વ્યાજના પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય!


દારૂ પીને ભૂલી ગયા પોલીસકર્મીઓ ભાન, કરવા લાગ્યા મારામારી!

હજુ તો બે દિવસ પહેલા જ  ખેડા પોલીસનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જે દારૂની મહફિલમાં કોઈ વાતને લઈ ઝઘડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. આ વીડિયો વાયરલ થતાં ગુજરાત પોલીસના આબરૂના ધજાગરા ઊડી ગયા હતા અને ત્યારબાદ આ લોકો સામે કાર્યવાહી પણ થઈ હતી. પણ પ્રશ્ન એ છે કે આ લોકોને કઈ રીતે પોલીસ કહેવાય?  આ લોકોને ના પોતાની વર્દીનું માન છે ના પોતાની પોસ્ટનું.. આ બધા ગુંડા છે હપ્તા ઉઘરાવતા મારામારી કરતાં દાદાદગીરી કરતાં ગુંડાઓ કહેવાય..!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.