અરવલ્લી- માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં, શું મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?


  • Published By :
  • Published Date : 2024-07-30 17:56:51

અનેક વખત આપણે રસ્તા પર ખાડા પડવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ, ભુવા પડવાની વાતો કરતા હોઈએ છીએ પરંતુ અરવલ્લીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે આવી રીતે તો આપણે વિશ્વગુરૂ કેવી રીતે બનીશું? અરવલ્લીમાં માલપુરના ફતેપુરાની પ્રાથમિક શાળામાં... ચાલુ શાળામાં છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ ડરના માહોલમાં જીવી રહ્યાં છે.... ભણશે તો પછી.. શું આવી રીતે ભણશે ગુજરાત..?

ગુજરાતને રોલ મોડલ બતાવવામાં આવે છે પરંતુ... 

વિશ્વગુરુ બનવાની આપણે વાતો કરી રહ્યાં છીએ.... પણ શાળાઓમાં ભણવા માટે ગુરુ નથી. શાળાઓની હાલત બદ્તર છે... ઓરડા નથી. છત નથી. છે તો પોપડા પડી રહ્યાં છે.... અથવા તો એકથી પાંચ કે એકથી આઠ ધોરણના બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક છે... આમ તો કેવી રીતે ભણશે ગુજરાત.... ગુજરાત રોલ મોડેલ છે આવી વાતોની વચ્ચે આ વરવી વાસ્તવિકતાઓ સામે આવે છે... જે સરકારની નીતિ પર સવાલ ઉભા કરે છે....

છતમાંથી પોપડા નીચે પડી રહ્યા છે અને...!

ગુજરાત સરકારના 'ભણશે ગુજરાત'ના સૂત્ર વચ્ચે રાજ્યની સરકારી શાળાઓના જર્જરિત હાલતે બાળકો-વાલીઓને ચિંતિત બનાવ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી ફતેપુરાની પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં આવેલા ભારે વરસાદના પગલે ચાલુ શાળાએ છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયના ઓથાર હેઠળ છે. સ્કૂલની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈના માથા પર પ્લાસ્ટરના પોપડા પડી શકે છે, પરંતુ અન્ય કોઈ સુવિધા ન હોવાથી બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે.



જર્જરિત હાલતમાં જોવા મળી શાળા!

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં છે. સોમવારે રાત્રીએ વરસાદ પડતા સ્કૂલના ધાબાના ભાગ તૂટીને પડ્યો હતો. સ્કૂલનું ધાબુ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં છે. સરકારી શાળાની આવી જર્જરિત હાલત હોવા છતાં બાળકો ભણવા મજબૂર બન્યા છે. ઘણીવાર અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામની હજુય મંજૂરી મળી નથી. આશરે 6 વર્ષથી રીપેર કામ કરીને સ્કૂલ ચલાવવાં આવે છે. જો સંજોગવશ શાળાનું ધાબુ તૂટી પડે અને કોઈ બાળકને હાની પહોંચે તો જવાબદારી કોની?



સદનસીબે જાનહાનિ ટળી પરંતુ 

હાલમાં ફતેપુરા ગામની આ પ્રાથમિક શાળાના વીડિયો એક જાગૃત નાગરિકે વાઈરલ કર્યા છે. જેમાં જોઈ શકાય છે કે, જે ઓરડામાં બાળકોને ભણાવવામાં આવે છે ત્યાં જ છતમાંથી મોટા મોટા પ્લાસ્ટરના પોપડા નીચે ખર્યા છે. છતના સળિયા પણ બહાર આવી ગયા છે. જોકે ઘટના સમયે કોઈ બાળકને ઈજા ન થતા સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી. પરંતુ ભવિષ્યમાં બાળકો તથા શિક્ષકોના જીવ આવી ઘટનામાં જોખમમાં મૂકાઈ શકે છે. 


વીડિયો વાયરલ થયા બાદ શું પગલા લેવામાં આવ્યા? 

રાજ્યમાં શિક્ષણને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સરકાર દ્વારા અવનવી પદ્ધતિઓ તો અપનાવવામાં આવે છે અને નવીન શિક્ષણની વાતો કંઈક અલગ જ છે. પણ જો વિદ્યાર્થીઓને પ્રાથમિક જરૂરિયાત જ પુરી ના થાય તો પછી નવીન શિક્ષણ નીતિના દાવા શું કામના? જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ અને સરકાર આ મામલે હરકતમાં આવીને તાબડતોબ યોગ્ય પગલાં લે છે કેમ તે જોવાનું રહ્યું.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.