અરવલ્લી- માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં, શું મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?


  • Published By :
  • Published Date : 2024-07-30 17:56:51

અનેક વખત આપણે રસ્તા પર ખાડા પડવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ, ભુવા પડવાની વાતો કરતા હોઈએ છીએ પરંતુ અરવલ્લીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે આવી રીતે તો આપણે વિશ્વગુરૂ કેવી રીતે બનીશું? અરવલ્લીમાં માલપુરના ફતેપુરાની પ્રાથમિક શાળામાં... ચાલુ શાળામાં છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ ડરના માહોલમાં જીવી રહ્યાં છે.... ભણશે તો પછી.. શું આવી રીતે ભણશે ગુજરાત..?

ગુજરાતને રોલ મોડલ બતાવવામાં આવે છે પરંતુ... 

વિશ્વગુરુ બનવાની આપણે વાતો કરી રહ્યાં છીએ.... પણ શાળાઓમાં ભણવા માટે ગુરુ નથી. શાળાઓની હાલત બદ્તર છે... ઓરડા નથી. છત નથી. છે તો પોપડા પડી રહ્યાં છે.... અથવા તો એકથી પાંચ કે એકથી આઠ ધોરણના બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક છે... આમ તો કેવી રીતે ભણશે ગુજરાત.... ગુજરાત રોલ મોડેલ છે આવી વાતોની વચ્ચે આ વરવી વાસ્તવિકતાઓ સામે આવે છે... જે સરકારની નીતિ પર સવાલ ઉભા કરે છે....

છતમાંથી પોપડા નીચે પડી રહ્યા છે અને...!

ગુજરાત સરકારના 'ભણશે ગુજરાત'ના સૂત્ર વચ્ચે રાજ્યની સરકારી શાળાઓના જર્જરિત હાલતે બાળકો-વાલીઓને ચિંતિત બનાવ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી ફતેપુરાની પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં આવેલા ભારે વરસાદના પગલે ચાલુ શાળાએ છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયના ઓથાર હેઠળ છે. સ્કૂલની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈના માથા પર પ્લાસ્ટરના પોપડા પડી શકે છે, પરંતુ અન્ય કોઈ સુવિધા ન હોવાથી બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે.



જર્જરિત હાલતમાં જોવા મળી શાળા!

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં છે. સોમવારે રાત્રીએ વરસાદ પડતા સ્કૂલના ધાબાના ભાગ તૂટીને પડ્યો હતો. સ્કૂલનું ધાબુ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં છે. સરકારી શાળાની આવી જર્જરિત હાલત હોવા છતાં બાળકો ભણવા મજબૂર બન્યા છે. ઘણીવાર અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામની હજુય મંજૂરી મળી નથી. આશરે 6 વર્ષથી રીપેર કામ કરીને સ્કૂલ ચલાવવાં આવે છે. જો સંજોગવશ શાળાનું ધાબુ તૂટી પડે અને કોઈ બાળકને હાની પહોંચે તો જવાબદારી કોની?



સદનસીબે જાનહાનિ ટળી પરંતુ 

હાલમાં ફતેપુરા ગામની આ પ્રાથમિક શાળાના વીડિયો એક જાગૃત નાગરિકે વાઈરલ કર્યા છે. જેમાં જોઈ શકાય છે કે, જે ઓરડામાં બાળકોને ભણાવવામાં આવે છે ત્યાં જ છતમાંથી મોટા મોટા પ્લાસ્ટરના પોપડા નીચે ખર્યા છે. છતના સળિયા પણ બહાર આવી ગયા છે. જોકે ઘટના સમયે કોઈ બાળકને ઈજા ન થતા સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી. પરંતુ ભવિષ્યમાં બાળકો તથા શિક્ષકોના જીવ આવી ઘટનામાં જોખમમાં મૂકાઈ શકે છે. 


વીડિયો વાયરલ થયા બાદ શું પગલા લેવામાં આવ્યા? 

રાજ્યમાં શિક્ષણને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સરકાર દ્વારા અવનવી પદ્ધતિઓ તો અપનાવવામાં આવે છે અને નવીન શિક્ષણની વાતો કંઈક અલગ જ છે. પણ જો વિદ્યાર્થીઓને પ્રાથમિક જરૂરિયાત જ પુરી ના થાય તો પછી નવીન શિક્ષણ નીતિના દાવા શું કામના? જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ અને સરકાર આ મામલે હરકતમાં આવીને તાબડતોબ યોગ્ય પગલાં લે છે કેમ તે જોવાનું રહ્યું.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.