અરવલ્લી- માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં, શું મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?


  • Published By :
  • Published Date : 2024-07-30 17:56:51

અનેક વખત આપણે રસ્તા પર ખાડા પડવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ, ભુવા પડવાની વાતો કરતા હોઈએ છીએ પરંતુ અરવલ્લીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે આવી રીતે તો આપણે વિશ્વગુરૂ કેવી રીતે બનીશું? અરવલ્લીમાં માલપુરના ફતેપુરાની પ્રાથમિક શાળામાં... ચાલુ શાળામાં છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ ડરના માહોલમાં જીવી રહ્યાં છે.... ભણશે તો પછી.. શું આવી રીતે ભણશે ગુજરાત..?

ગુજરાતને રોલ મોડલ બતાવવામાં આવે છે પરંતુ... 

વિશ્વગુરુ બનવાની આપણે વાતો કરી રહ્યાં છીએ.... પણ શાળાઓમાં ભણવા માટે ગુરુ નથી. શાળાઓની હાલત બદ્તર છે... ઓરડા નથી. છત નથી. છે તો પોપડા પડી રહ્યાં છે.... અથવા તો એકથી પાંચ કે એકથી આઠ ધોરણના બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક છે... આમ તો કેવી રીતે ભણશે ગુજરાત.... ગુજરાત રોલ મોડેલ છે આવી વાતોની વચ્ચે આ વરવી વાસ્તવિકતાઓ સામે આવે છે... જે સરકારની નીતિ પર સવાલ ઉભા કરે છે....

છતમાંથી પોપડા નીચે પડી રહ્યા છે અને...!

ગુજરાત સરકારના 'ભણશે ગુજરાત'ના સૂત્ર વચ્ચે રાજ્યની સરકારી શાળાઓના જર્જરિત હાલતે બાળકો-વાલીઓને ચિંતિત બનાવ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી ફતેપુરાની પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં આવેલા ભારે વરસાદના પગલે ચાલુ શાળાએ છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયના ઓથાર હેઠળ છે. સ્કૂલની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈના માથા પર પ્લાસ્ટરના પોપડા પડી શકે છે, પરંતુ અન્ય કોઈ સુવિધા ન હોવાથી બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે.



જર્જરિત હાલતમાં જોવા મળી શાળા!

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં છે. સોમવારે રાત્રીએ વરસાદ પડતા સ્કૂલના ધાબાના ભાગ તૂટીને પડ્યો હતો. સ્કૂલનું ધાબુ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં છે. સરકારી શાળાની આવી જર્જરિત હાલત હોવા છતાં બાળકો ભણવા મજબૂર બન્યા છે. ઘણીવાર અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામની હજુય મંજૂરી મળી નથી. આશરે 6 વર્ષથી રીપેર કામ કરીને સ્કૂલ ચલાવવાં આવે છે. જો સંજોગવશ શાળાનું ધાબુ તૂટી પડે અને કોઈ બાળકને હાની પહોંચે તો જવાબદારી કોની?



સદનસીબે જાનહાનિ ટળી પરંતુ 

હાલમાં ફતેપુરા ગામની આ પ્રાથમિક શાળાના વીડિયો એક જાગૃત નાગરિકે વાઈરલ કર્યા છે. જેમાં જોઈ શકાય છે કે, જે ઓરડામાં બાળકોને ભણાવવામાં આવે છે ત્યાં જ છતમાંથી મોટા મોટા પ્લાસ્ટરના પોપડા નીચે ખર્યા છે. છતના સળિયા પણ બહાર આવી ગયા છે. જોકે ઘટના સમયે કોઈ બાળકને ઈજા ન થતા સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી. પરંતુ ભવિષ્યમાં બાળકો તથા શિક્ષકોના જીવ આવી ઘટનામાં જોખમમાં મૂકાઈ શકે છે. 


વીડિયો વાયરલ થયા બાદ શું પગલા લેવામાં આવ્યા? 

રાજ્યમાં શિક્ષણને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સરકાર દ્વારા અવનવી પદ્ધતિઓ તો અપનાવવામાં આવે છે અને નવીન શિક્ષણની વાતો કંઈક અલગ જ છે. પણ જો વિદ્યાર્થીઓને પ્રાથમિક જરૂરિયાત જ પુરી ના થાય તો પછી નવીન શિક્ષણ નીતિના દાવા શું કામના? જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ અને સરકાર આ મામલે હરકતમાં આવીને તાબડતોબ યોગ્ય પગલાં લે છે કેમ તે જોવાનું રહ્યું.. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.