પાલનપુરમાં આવતી કાલથી ભવ્ય અર્બુદા મહોત્સવનો પ્રારંભ, 10 લાખથી વધુ લોકો હાજરી આપશે


  • Published By :
  • Published Date : 2023-02-02 21:14:45

બનાસકાંઠાના પાલનપુરમાં આવતી કાલથી અર્બુદા રજત જયંતી મહોત્સવનો હર્ષોલ્લાસભેર પ્રારંભ થશે. અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી મહોત્સવનું આયોજન પાલનપુરમાં આદર્શ વિદ્યાલય ખાતે  કરવામાં આવ્યું છે. આ રજત જયંતી મહોત્સવ નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા અર્બુદા મહોત્સવમાં લગભગ 10 લાખ કરતા પણ વધારે ભક્તો ઉમટે તેવી સંભાવના છે. બનાસકાંઠાના ચૌધરી -આંજણા સમાજ દ્વારા પાલનપુરમાં અર્બુદા માતાજીની રજત મહોત્સવની ઉજવણી શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહોત્સવમાં હાજરી આપશે.


આજે નિકળી માતાજીની શોભાયાત્રા


અર્બુદા રજત મહોત્સવને લઈને આજે પાલનપુરના અર્બુદાધામથી પારંપરિક વસ્ત્રો અને ઢોલ-નગારાં અને હાથી-ઘોડા સાથે 12 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં એક લાખ લોકો જોડાયા અને આ શોભાયાત્રા પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રાનું અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ આજે સાંજે દરેક ગામોના મંદિરોમાં મહાઆરતી યોજાઈ અને પાલનપુરના અર્બુદાધામમાં 50 હજાર લોકો મહાઆરતી કરી હતી.


ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરાઈ


આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આ યજ્ઞમાં 600 ભૂદેવ ઉપસ્થિત રહેશે અને 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. આ સહસ્ત્ર ચંડી યજ્ઞ માટે બે લાખ ફૂટ જગ્યામાં ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરવામાં આવી છે. માતાજીના આ મહોત્સવમાં 7 માળની યજ્ઞશાળાનું દેશી ગાયના છાણથી ચૌધરી સમાજની બહેનોએ લીંપણ કર્યું હતું. 


10 લાખથી વધુ લોકો લેશે પ્રસાદ 


પાલનપુર અર્બુદા ધામ ખાતે સમગ્ર રાજ્ય ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આ યજ્ઞનાં દર્શન માટે આવશે. મહોત્સવ માટે 10 લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૌધરી સમાજની 5 હજારથી વધુ બહેનોએ ભોજન પ્રસાદ માટે 5 લાખ લાડુ બનાવ્યા છે. આ લાડુ બનાવવામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ યજ્ઞમાં ત્રણ દિવસ સુધી તમામ સમાજના લાખો લોકો ભોજન પ્રસાદ લેશે.


રાત્રે લોકડાયરાનું આયોજન


પાલનપુરના અર્બુદાધામમાં ચૌધરી-આંજણા સમાજની 5 હજાર જેટલી બહેનોએ માતાજીના નામની મહેંદી મૂકાવી છે. બનાસકાંઠાના તમામ ગામડાઓમાં સામુહિક સફાઈ કરાયા બાદ ચૌધરી-આંજણા સમાજની બહેનોએ પણ દરેક ગામોમાં એકત્રિત થઈને સામુહિક માતાજીના નામની મેહેંદી પોતાના હાથમાં મૂકી હતી. આ અર્બુદા મહોત્સવના આયોજનના ત્રણ રાત્રી દરમિયાન ભવ્ય લોકગીત અને ડાયરાનું આયોજન કરાયું છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.