વિપુલ ચૌધરીનાં સમર્થનમાં બાસણામાં ઉમટ્યો ચૌધરી સમાજ, ભાજપ સામે કર્યા આકરા પ્રહારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:38:41

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીની ધરપકડનાં વિરોધમાં આજે મહેસાણાના બાસણા ગામ ખાતે અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અર્બુદાધામ ખાતે હજારોની સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો એકઠા થયા છે અને ભાજપ તથા રાજ્ય સરકારનો વિરોધ કરી રહ્યાં છે. 

આંજણા ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન

વિપુલ ચૌધરીના સમર્થનમાં ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેના અને આંજણા ચૌધરી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા અનેક સ્થળે રેલીઓ યોજવામાં આવી રહી છે અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. આજે બાસણામાં રાજ્ય સરકાર અને ભાજપને સમાજની શક્તિ દર્શાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના દરેક ખૂણેથી આંજણા ચૌધરી સમાજના લોકો વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવા પહોંચ્યા છે.

ભાજપ તારી ભૂલ,કરમાય જશે ફૂલના બેનરો સાથે લોકો ઉમટી પડ્યા  


વિસનગરના 24 ગામોએ ભાજપના નેતાઓનો કર્યો  બહિષ્કાર 

ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના લોકપ્રિય નેતા વિપુલ ચૌધરીની ધરપકડના જોરદાર પડઘા પડ્યા છે. વિસનગરના 24 ગામમાં અર્બુદા સેના દ્વારા ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવાયો છે. ગામની બહાર ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. વિસનગરના દઢીયાર, મગરોડા, ખરવડા, બાસના, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસના, ગુજાળા, તરભ, ખંડોસન, કાજી આલિયાસના, પાલડી, કિયાદરા, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર, રામપુરા, રાવળા પુરા, રામપુરા, ખડલપુર, બાકરપુર, રંગાકુઈ, રંડાલા ગામમાં પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

વિપુલ ચૌધરીની ધરપકડ શા માટે થઈ?

વિપુલ ચૌધરીની દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ આચરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હવે આ સમગ્ર મામલે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીની મહેસાણા ACBએ 800 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે. તેમના CA શૈલેશ પરીખની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય વિપુલ ચોધરીના પત્ની અને તેમના પુત્ર પર પણ ઈન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે