વિપુલ ચૌધરીનાં સમર્થનમાં બાસણામાં ઉમટ્યો ચૌધરી સમાજ, ભાજપ સામે કર્યા આકરા પ્રહારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:38:41

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીની ધરપકડનાં વિરોધમાં આજે મહેસાણાના બાસણા ગામ ખાતે અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અર્બુદાધામ ખાતે હજારોની સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો એકઠા થયા છે અને ભાજપ તથા રાજ્ય સરકારનો વિરોધ કરી રહ્યાં છે. 

આંજણા ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન

વિપુલ ચૌધરીના સમર્થનમાં ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેના અને આંજણા ચૌધરી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા અનેક સ્થળે રેલીઓ યોજવામાં આવી રહી છે અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. આજે બાસણામાં રાજ્ય સરકાર અને ભાજપને સમાજની શક્તિ દર્શાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના દરેક ખૂણેથી આંજણા ચૌધરી સમાજના લોકો વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવા પહોંચ્યા છે.

ભાજપ તારી ભૂલ,કરમાય જશે ફૂલના બેનરો સાથે લોકો ઉમટી પડ્યા  


વિસનગરના 24 ગામોએ ભાજપના નેતાઓનો કર્યો  બહિષ્કાર 

ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના લોકપ્રિય નેતા વિપુલ ચૌધરીની ધરપકડના જોરદાર પડઘા પડ્યા છે. વિસનગરના 24 ગામમાં અર્બુદા સેના દ્વારા ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવાયો છે. ગામની બહાર ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. વિસનગરના દઢીયાર, મગરોડા, ખરવડા, બાસના, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસના, ગુજાળા, તરભ, ખંડોસન, કાજી આલિયાસના, પાલડી, કિયાદરા, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર, રામપુરા, રાવળા પુરા, રામપુરા, ખડલપુર, બાકરપુર, રંગાકુઈ, રંડાલા ગામમાં પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

વિપુલ ચૌધરીની ધરપકડ શા માટે થઈ?

વિપુલ ચૌધરીની દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ આચરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હવે આ સમગ્ર મામલે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીની મહેસાણા ACBએ 800 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે. તેમના CA શૈલેશ પરીખની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય વિપુલ ચોધરીના પત્ની અને તેમના પુત્ર પર પણ ઈન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.