અર્બુદા સેના vs ઋષિકેશ પટેલ, કોનું પલ્લું રહેશે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-11 18:35:30

ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર થઈ જતાં જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.ત્યારે મહેસાણાની વિસનગર બેઠક ઉપર હાલ ગરમા ગરમી જોવા મળી રહી છે.વિસનગર બેઠકના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલે અગાઉ પોતાનો વિસ્તાર બદલીને ઊંઝા બેઠક ઉપરથી ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હાઇકમાંડે તે મંજૂર ન કરી વિસનગરથી ટિકિટ આપવામાં આવી છે. વિપુલ ચૌધરી ધરપકડ પ્રકરણમાં ઋષિકેશ પટેલની મહત્વની ભૂમિકા હતી તેવા આક્ષેપો અર્બુદા સેના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને વિસનગર તાલુકાના આંજણા ચૌધરી સમાજના ગામોમાં ભાજપ વિરોધી બેનર પણ લાગ્યા હતા. હવે મામલો ગરમાયો છે અને ઋષિકેશ પટેલને હરાવવા અર્બુદા સેના એડી ચોટીનું જોર લગાવી રહી છે. 


વિપુલ ચૌધરી જેલમાં છે 

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ આંજણા ચૌધરી સમાજના કદાવર નેતા વિપુલ ચૌધરીની કથિત 750 કરોડના કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ વિપુલ ચૌધરી સાબરમતી જેલમાં છે. અને તેના કારણે આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સૂત્રોનું માનીએ તો આ વખતની ચુંટણી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી લડી શકે છે હાલની પરિસ્થતિમાં વિપુલ ચૌધરી જેલમાં છે ત્યારે વિપુલ ચૌધરીને જામીન નહીં મળે તો વિપુલ ચૌધરી જેલમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવી શકે છે 


અર્બુદા સેનાથી ઋષિકેશ પટેલને શું નુકશાન ?

અર્બુદા સેના દ્વારા ભાજપને ધોળા દિવસે તારા બતાવવાની ચીમકી આપવામાં આવી હતી. વિસનગર તાલુકામાં આંજણા ચૌધરી સમાજના અંદાજે 30થી 35 હજાર મતદારો છે અને જો આ મતદારો ભાજપની વિરુધ્ધમાં જાય તો ઋષિકેશ પટેલને લીલાતોરણે ઘેર આવવું પડી શકે છે. ઋષિકેશ પટેલને પણ વિસનગર બેઠક ઉપરથી પોતે હારી રહ્યા છે તેનો અણસાર આવતા તેમણે ઊંઝા બેઠક પરથી દાવેદારી કરી હતી. પણ હાઇકમાંડે તે માન્ય રાખી નથી. હવે ઋષિકેશ પટેલને વિસનગરથી જ ચુંટણી લડવાની છે હવે આ બેઠકનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે અને મતદારો માટે આ બેઠક રસપ્રદ દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, વિસનગરમાં વિપુલ કોના વિરુધ્ધમાં જશે ?




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.