અર્બુદા સેના vs ઋષિકેશ પટેલ, કોનું પલ્લું રહેશે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-11 18:35:30

ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર થઈ જતાં જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.ત્યારે મહેસાણાની વિસનગર બેઠક ઉપર હાલ ગરમા ગરમી જોવા મળી રહી છે.વિસનગર બેઠકના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલે અગાઉ પોતાનો વિસ્તાર બદલીને ઊંઝા બેઠક ઉપરથી ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હાઇકમાંડે તે મંજૂર ન કરી વિસનગરથી ટિકિટ આપવામાં આવી છે. વિપુલ ચૌધરી ધરપકડ પ્રકરણમાં ઋષિકેશ પટેલની મહત્વની ભૂમિકા હતી તેવા આક્ષેપો અર્બુદા સેના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને વિસનગર તાલુકાના આંજણા ચૌધરી સમાજના ગામોમાં ભાજપ વિરોધી બેનર પણ લાગ્યા હતા. હવે મામલો ગરમાયો છે અને ઋષિકેશ પટેલને હરાવવા અર્બુદા સેના એડી ચોટીનું જોર લગાવી રહી છે. 


વિપુલ ચૌધરી જેલમાં છે 

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ આંજણા ચૌધરી સમાજના કદાવર નેતા વિપુલ ચૌધરીની કથિત 750 કરોડના કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ વિપુલ ચૌધરી સાબરમતી જેલમાં છે. અને તેના કારણે આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સૂત્રોનું માનીએ તો આ વખતની ચુંટણી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી લડી શકે છે હાલની પરિસ્થતિમાં વિપુલ ચૌધરી જેલમાં છે ત્યારે વિપુલ ચૌધરીને જામીન નહીં મળે તો વિપુલ ચૌધરી જેલમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવી શકે છે 


અર્બુદા સેનાથી ઋષિકેશ પટેલને શું નુકશાન ?

અર્બુદા સેના દ્વારા ભાજપને ધોળા દિવસે તારા બતાવવાની ચીમકી આપવામાં આવી હતી. વિસનગર તાલુકામાં આંજણા ચૌધરી સમાજના અંદાજે 30થી 35 હજાર મતદારો છે અને જો આ મતદારો ભાજપની વિરુધ્ધમાં જાય તો ઋષિકેશ પટેલને લીલાતોરણે ઘેર આવવું પડી શકે છે. ઋષિકેશ પટેલને પણ વિસનગર બેઠક ઉપરથી પોતે હારી રહ્યા છે તેનો અણસાર આવતા તેમણે ઊંઝા બેઠક પરથી દાવેદારી કરી હતી. પણ હાઇકમાંડે તે માન્ય રાખી નથી. હવે ઋષિકેશ પટેલને વિસનગરથી જ ચુંટણી લડવાની છે હવે આ બેઠકનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે અને મતદારો માટે આ બેઠક રસપ્રદ દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, વિસનગરમાં વિપુલ કોના વિરુધ્ધમાં જશે ?




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.