અર્બુદા સેના vs ઋષિકેશ પટેલ, કોનું પલ્લું રહેશે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-11 18:35:30

ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર થઈ જતાં જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.ત્યારે મહેસાણાની વિસનગર બેઠક ઉપર હાલ ગરમા ગરમી જોવા મળી રહી છે.વિસનગર બેઠકના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલે અગાઉ પોતાનો વિસ્તાર બદલીને ઊંઝા બેઠક ઉપરથી ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હાઇકમાંડે તે મંજૂર ન કરી વિસનગરથી ટિકિટ આપવામાં આવી છે. વિપુલ ચૌધરી ધરપકડ પ્રકરણમાં ઋષિકેશ પટેલની મહત્વની ભૂમિકા હતી તેવા આક્ષેપો અર્બુદા સેના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને વિસનગર તાલુકાના આંજણા ચૌધરી સમાજના ગામોમાં ભાજપ વિરોધી બેનર પણ લાગ્યા હતા. હવે મામલો ગરમાયો છે અને ઋષિકેશ પટેલને હરાવવા અર્બુદા સેના એડી ચોટીનું જોર લગાવી રહી છે. 


વિપુલ ચૌધરી જેલમાં છે 

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ આંજણા ચૌધરી સમાજના કદાવર નેતા વિપુલ ચૌધરીની કથિત 750 કરોડના કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ વિપુલ ચૌધરી સાબરમતી જેલમાં છે. અને તેના કારણે આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સૂત્રોનું માનીએ તો આ વખતની ચુંટણી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી લડી શકે છે હાલની પરિસ્થતિમાં વિપુલ ચૌધરી જેલમાં છે ત્યારે વિપુલ ચૌધરીને જામીન નહીં મળે તો વિપુલ ચૌધરી જેલમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવી શકે છે 


અર્બુદા સેનાથી ઋષિકેશ પટેલને શું નુકશાન ?

અર્બુદા સેના દ્વારા ભાજપને ધોળા દિવસે તારા બતાવવાની ચીમકી આપવામાં આવી હતી. વિસનગર તાલુકામાં આંજણા ચૌધરી સમાજના અંદાજે 30થી 35 હજાર મતદારો છે અને જો આ મતદારો ભાજપની વિરુધ્ધમાં જાય તો ઋષિકેશ પટેલને લીલાતોરણે ઘેર આવવું પડી શકે છે. ઋષિકેશ પટેલને પણ વિસનગર બેઠક ઉપરથી પોતે હારી રહ્યા છે તેનો અણસાર આવતા તેમણે ઊંઝા બેઠક પરથી દાવેદારી કરી હતી. પણ હાઇકમાંડે તે માન્ય રાખી નથી. હવે ઋષિકેશ પટેલને વિસનગરથી જ ચુંટણી લડવાની છે હવે આ બેઠકનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે અને મતદારો માટે આ બેઠક રસપ્રદ દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, વિસનગરમાં વિપુલ કોના વિરુધ્ધમાં જશે ?




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.