રામજન્મ ભૂમિના પુરાતત્વ પુરાવા શોધનાર આર્કિયોલોજીસ્ટનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:04:32

પ્રો.બી.બી લાલના નામથી જાણીતા પુરાતત્વ વિભાગના પૂર્વ ડિરેક્ટર બ્રજવાસી લાલનું શનિવારે નિધન થયું છે. રામ મંદિરના પુરાવા શોધનાર બ્રજવાસીજીએ 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલી આપી છે.

 


પ્રાચીન પુરાવા શોધવા લેતા મહાભારત અને રામાયણનો આશરો  

ભારતના સૌથી વરિષ્ઠ આર્કિયોલોજીસ્ટ મનાતા બી.બી.લાલએ રામમંદિર નિર્માણ માટેના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. તેમજ તેઓ પ્રાચીન પુરાવા શોધવા મહાકાવ્ય મહાભારત તેમજ રામાયણનો આશરો લેતા. તેમાં ઉલ્લેક ધરાવતા સ્થળો પર ખોદકામ કરી અનેક પુરાવા તેમજ ઐતિહાસિક વસ્તુ શોધતા. 

રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્ય માટે કરાશે યાદ

સૌથી મોટો મુદ્દો બનેલા રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્યથી તેઓ હમેશાં યાદ રહેશે. તેમણે રામમંદિરના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. ઢાંચાની નીચે મંદિર હોવાનું તેમણે પ્રમાણિત કર્યું હતું. તેઓ હાઈકોર્ટમાં સાક્ષી પણ બન્યા હતા. 

વડાપ્રધાનને આપી શ્રદ્ધાંજલી  

2000ના વર્ષમાં તેમને પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આવા વિખ્યાત આર્કિયોલોજીસ્ટને વડાપ્રધાનને શ્રદ્ધાંજલી આપી છે. તેમને ટ્વિટ કરી કહ્યું સાંસ્કૃતિક અને પુરાતત્વ ક્ષેશ્રમાં તેમનું અતુલનિય યોગદાન છે. વડાપ્રધાને બ્રજવાસીજી સાથેનો ફોટો શેર કર્યો.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.