રામજન્મ ભૂમિના પુરાતત્વ પુરાવા શોધનાર આર્કિયોલોજીસ્ટનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:04:32

પ્રો.બી.બી લાલના નામથી જાણીતા પુરાતત્વ વિભાગના પૂર્વ ડિરેક્ટર બ્રજવાસી લાલનું શનિવારે નિધન થયું છે. રામ મંદિરના પુરાવા શોધનાર બ્રજવાસીજીએ 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલી આપી છે.

 


પ્રાચીન પુરાવા શોધવા લેતા મહાભારત અને રામાયણનો આશરો  

ભારતના સૌથી વરિષ્ઠ આર્કિયોલોજીસ્ટ મનાતા બી.બી.લાલએ રામમંદિર નિર્માણ માટેના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. તેમજ તેઓ પ્રાચીન પુરાવા શોધવા મહાકાવ્ય મહાભારત તેમજ રામાયણનો આશરો લેતા. તેમાં ઉલ્લેક ધરાવતા સ્થળો પર ખોદકામ કરી અનેક પુરાવા તેમજ ઐતિહાસિક વસ્તુ શોધતા. 

રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્ય માટે કરાશે યાદ

સૌથી મોટો મુદ્દો બનેલા રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્યથી તેઓ હમેશાં યાદ રહેશે. તેમણે રામમંદિરના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. ઢાંચાની નીચે મંદિર હોવાનું તેમણે પ્રમાણિત કર્યું હતું. તેઓ હાઈકોર્ટમાં સાક્ષી પણ બન્યા હતા. 

વડાપ્રધાનને આપી શ્રદ્ધાંજલી  

2000ના વર્ષમાં તેમને પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આવા વિખ્યાત આર્કિયોલોજીસ્ટને વડાપ્રધાનને શ્રદ્ધાંજલી આપી છે. તેમને ટ્વિટ કરી કહ્યું સાંસ્કૃતિક અને પુરાતત્વ ક્ષેશ્રમાં તેમનું અતુલનિય યોગદાન છે. વડાપ્રધાને બ્રજવાસીજી સાથેનો ફોટો શેર કર્યો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .