રામજન્મ ભૂમિના પુરાતત્વ પુરાવા શોધનાર આર્કિયોલોજીસ્ટનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:04:32

પ્રો.બી.બી લાલના નામથી જાણીતા પુરાતત્વ વિભાગના પૂર્વ ડિરેક્ટર બ્રજવાસી લાલનું શનિવારે નિધન થયું છે. રામ મંદિરના પુરાવા શોધનાર બ્રજવાસીજીએ 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલી આપી છે.

 


પ્રાચીન પુરાવા શોધવા લેતા મહાભારત અને રામાયણનો આશરો  

ભારતના સૌથી વરિષ્ઠ આર્કિયોલોજીસ્ટ મનાતા બી.બી.લાલએ રામમંદિર નિર્માણ માટેના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. તેમજ તેઓ પ્રાચીન પુરાવા શોધવા મહાકાવ્ય મહાભારત તેમજ રામાયણનો આશરો લેતા. તેમાં ઉલ્લેક ધરાવતા સ્થળો પર ખોદકામ કરી અનેક પુરાવા તેમજ ઐતિહાસિક વસ્તુ શોધતા. 

રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્ય માટે કરાશે યાદ

સૌથી મોટો મુદ્દો બનેલા રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્યથી તેઓ હમેશાં યાદ રહેશે. તેમણે રામમંદિરના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. ઢાંચાની નીચે મંદિર હોવાનું તેમણે પ્રમાણિત કર્યું હતું. તેઓ હાઈકોર્ટમાં સાક્ષી પણ બન્યા હતા. 

વડાપ્રધાનને આપી શ્રદ્ધાંજલી  

2000ના વર્ષમાં તેમને પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આવા વિખ્યાત આર્કિયોલોજીસ્ટને વડાપ્રધાનને શ્રદ્ધાંજલી આપી છે. તેમને ટ્વિટ કરી કહ્યું સાંસ્કૃતિક અને પુરાતત્વ ક્ષેશ્રમાં તેમનું અતુલનિય યોગદાન છે. વડાપ્રધાને બ્રજવાસીજી સાથેનો ફોટો શેર કર્યો.



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .