Gujaratમાં છોકરીઓ સુરક્ષિત નથી? Vadodara બાદ વધુ એક રૂંવાટા ઉભા કરી દે એવી ઘટના!


  • Published By :
  • Published Date : 2024-10-09 14:05:31

આપણે ત્યાં નાની બાળાઓને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે.. દેવી તરીકે તેમની પૂજા થાય છે.. પરંતુ આજકાલ દેવી સ્વરૂપા આ બાળાઓ દરિંદાઓને કારણે સંકટમાં છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી...નાની દીકરીઓની સુરક્ષા કોણ કરશે તે સવાલ આજે લોકોના મનમાં ઉઠી રહ્યો છે.. એક તરફ આપણે સ્ત્રીને દેવી સ્વરૂપ માનીએ છીએ પરંતુ બીજી બાજુ ફૂલ જેવી બાળકીઓને નરાધમો પીંખી રહ્યા છે... વડોદરાની વાત હોય કે પછી દાહોદની ચર્ચાઓ થવાની શાંત નથી થઈ ત્યાં વધુ એક રેપની ઘટના સુરતથી સામે આવી છે.... 

વડોદરા જેવી ઘટના સુરતમાં બની!

છેલ્લા થોડા દિવસોથી દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે... બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે....પીડિતા આણંદ વિદ્યાનગરમાં કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે અને મુળ સુરત જિલ્લાની રહેવાસી છે. હાલ તે કોલેજમાંથી પોતાના ઘરે પરત આવી હતી અને આ ઘટના બની છે. 


રાત્રિના સમયે સગીરા તેના મિત્ર સાથે હતી ત્યારે. 

સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં રાત્રિના સમયે એક સગીરા તેના મિત્ર સાથે ઊભી હતી. આ દરમિયાન 3 નરાધમોએ આવી તેના મિત્રને માર મારી ભગાડી નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક શખસે દુષ્કર્મ આચર્યું હતું. અન્ય બે શખસોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે. પોલીસ આ વિષય પર તપાસ કરી રહી છે પણ સવાલ ત્યાં જ છે 


ગુજરાતના અનેક શહેરોથી સામે આવે છે આવા કિસ્સા!

સ્ત્રી એ શક્તિ છે અને આ જ શક્તિનાં અલગ-અલગ રૂપની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. આ પવિત્ર તહેવારમાં એક તરફ શક્તિનાં વિવિધ સ્વરૂપની પૂજા થઇ રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં નરાધમો સ્ત્રીઓને પીંખી રહ્યા છે એમના પર હેવાનિયત ગુજારી રહ્યા છે . અને સુરત તો જાણે ક્રાઇમ કેપિટલ બની ગયું છે સુરતમાં છેલ્લા 245 દિવસમાં એટલે કે 8 મહિનામાં પોકસોના કુલ 191 ગુના નોંધાયા છે, જેમાં દુષ્કર્મથી લઈને શારીરિક છેડતી સહિતના ગુના સામેલ છે. 8 મહિનાની અંદર નાની બાળકીઓ સાથે દુષ્કર્મની જે ઘટના બની છે એ સાંભળીને તમારા પણ રુવાંટાં ઊભાં થઈ જશે. 



શર્મથી માથું નમી જાય છે જ્યારે....

જ્યારે દુષ્કર્મ જેવી ઘટનાઓ બને છે ત્યારે શર્મથી માથું નીચે થઈ જાય છે અને સવાલ થાય કે શું આ એ જ રાજ્ય છે જેને મહિલાઓ માટે એકદમ સુરક્ષિત માનવામાં આવતું? મોડી રાત્રે કોઈ ટેન્શન વગર સ્ત્રીઓ ઘરની બહાર નીકળી શકતી હતી...એક તરફ આપણે નારીને શક્તિ સ્વરૂપા કહીએ છીએ પરંતુ બીજી તરફ આવી ઘટનાઓથી માનવજાત શર્મસાર થાય છે...



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.