Gujaratમાં છોકરીઓ સુરક્ષિત નથી? Vadodara બાદ વધુ એક રૂંવાટા ઉભા કરી દે એવી ઘટના!


  • Published By :
  • Published Date : 2024-10-09 14:05:31

આપણે ત્યાં નાની બાળાઓને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે.. દેવી તરીકે તેમની પૂજા થાય છે.. પરંતુ આજકાલ દેવી સ્વરૂપા આ બાળાઓ દરિંદાઓને કારણે સંકટમાં છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી...નાની દીકરીઓની સુરક્ષા કોણ કરશે તે સવાલ આજે લોકોના મનમાં ઉઠી રહ્યો છે.. એક તરફ આપણે સ્ત્રીને દેવી સ્વરૂપ માનીએ છીએ પરંતુ બીજી બાજુ ફૂલ જેવી બાળકીઓને નરાધમો પીંખી રહ્યા છે... વડોદરાની વાત હોય કે પછી દાહોદની ચર્ચાઓ થવાની શાંત નથી થઈ ત્યાં વધુ એક રેપની ઘટના સુરતથી સામે આવી છે.... 

વડોદરા જેવી ઘટના સુરતમાં બની!

છેલ્લા થોડા દિવસોથી દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે... બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે....પીડિતા આણંદ વિદ્યાનગરમાં કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે અને મુળ સુરત જિલ્લાની રહેવાસી છે. હાલ તે કોલેજમાંથી પોતાના ઘરે પરત આવી હતી અને આ ઘટના બની છે. 


રાત્રિના સમયે સગીરા તેના મિત્ર સાથે હતી ત્યારે. 

સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં રાત્રિના સમયે એક સગીરા તેના મિત્ર સાથે ઊભી હતી. આ દરમિયાન 3 નરાધમોએ આવી તેના મિત્રને માર મારી ભગાડી નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક શખસે દુષ્કર્મ આચર્યું હતું. અન્ય બે શખસોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે. પોલીસ આ વિષય પર તપાસ કરી રહી છે પણ સવાલ ત્યાં જ છે 


ગુજરાતના અનેક શહેરોથી સામે આવે છે આવા કિસ્સા!

સ્ત્રી એ શક્તિ છે અને આ જ શક્તિનાં અલગ-અલગ રૂપની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. આ પવિત્ર તહેવારમાં એક તરફ શક્તિનાં વિવિધ સ્વરૂપની પૂજા થઇ રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં નરાધમો સ્ત્રીઓને પીંખી રહ્યા છે એમના પર હેવાનિયત ગુજારી રહ્યા છે . અને સુરત તો જાણે ક્રાઇમ કેપિટલ બની ગયું છે સુરતમાં છેલ્લા 245 દિવસમાં એટલે કે 8 મહિનામાં પોકસોના કુલ 191 ગુના નોંધાયા છે, જેમાં દુષ્કર્મથી લઈને શારીરિક છેડતી સહિતના ગુના સામેલ છે. 8 મહિનાની અંદર નાની બાળકીઓ સાથે દુષ્કર્મની જે ઘટના બની છે એ સાંભળીને તમારા પણ રુવાંટાં ઊભાં થઈ જશે. 



શર્મથી માથું નમી જાય છે જ્યારે....

જ્યારે દુષ્કર્મ જેવી ઘટનાઓ બને છે ત્યારે શર્મથી માથું નીચે થઈ જાય છે અને સવાલ થાય કે શું આ એ જ રાજ્ય છે જેને મહિલાઓ માટે એકદમ સુરક્ષિત માનવામાં આવતું? મોડી રાત્રે કોઈ ટેન્શન વગર સ્ત્રીઓ ઘરની બહાર નીકળી શકતી હતી...એક તરફ આપણે નારીને શક્તિ સ્વરૂપા કહીએ છીએ પરંતુ બીજી તરફ આવી ઘટનાઓથી માનવજાત શર્મસાર થાય છે...



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"