શું સાચે કોરોનાની સાઈડઈફેક્ટથી વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ? આ અંગે ડોક્ટરે જણાવ્યું કારણ, સાંભળો ડોક્ટરે શું આપી સલાહ?


  • Published By :
  • Published Date : 2023-07-04 10:07:22

પહેલા લોકો એવું માનતા હતા કે હૃદય રોગનો હુમલો માત્ર મોટી ઉંમરના વડીલોને જ આવતા હોય છે. શરીર નબળું પડી જવાને કારણે તેમજ શારીરિક ક્રિયાઓ ઓછી થવાને કારણે હાર્ટ એટેક આવતા હોય છે. થોડા સમય પહેલા યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા અચાનક ઢળી પડે છે અને જ્યારે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યારે તેમને ડોક્ટર મૃતજાહેર કરી દેતા હોય છે. થોડા સમય પહેલા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ હાર્ટ એટેકનો શિકાર બની ગયા હતા. હજારો લોકોની સર્જરી કરનાર ડોક્ટરને પણ ખબર ન હતી તે હાર્ટ એટેકનો શિકાર બનશે. ત્યારે થોડા દિવસોથી વિદ્યાર્થીઓ તેમજ નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.


અનેક બાળકોને આવ્યો છે હાર્ટ એટેક 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એકદમ ફિટ લાગતા લોકો ગમે ત્યારે ઢળી જાય છે અને મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત રમત રમતી વખતે આ હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે ગઈકાલે  એક જ દિવસમાં નાની ઉંમરના બે લોકોનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. દસમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુરૂપૂર્ણિમાની તૈયારી કરી રહ્યો હતો. સ્ટેજ પર હતો ત્યારે તે અચાનક ઢળી પડયો. જે મસ્તક જે હાથ ગુરૂના ચરણોમાં પડવાના હતા તે અચાનક બંધ પડી ગયા. વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ગઈકાલે જ નારિયેળના બગીચામાં કામ કરતો યુવક હાર્ટ એટેકનો ભોગ બની ગયો હતો. તે પહેલા પણ શાળામાં ભણતી વિદ્યાર્થીની પણ હાર્ટ એટેકનો ભોગ બની હતી. સીડી ચઢી રહી હતી તે દરમિયાન તે પડી ગઈ અને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.


સાંભળીએ ડોક્ટરે શું આપી માહિતી?

વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ જમાવટની ટીમે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમણે સમજાવ્યું કે આ કારણોને લઈ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જાણીએ કયા સાવચેતીના પગલા લેવા ડોક્ટરે સમજાવ્યું?   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.