શું તમે પણ સ્ટુડન્ટ વિઝા પર Canada જવાનું વિચારી રહ્યા છો? જતા પહેલા વાંચીલો આ સમાચાર કારણ કે...


  • Published By :
  • Published Date : 2023-08-24 17:02:18

વિદેશમાં જઈ ભણવાનો ક્રેઝ દિનપ્રતિદિન વધી ગયો છે. આપણામાંથી અનેક એવા હશે જેના પરિવારમાંથી કોઈને કોઈ સદસ્ય વિદેશમાં ભણવા ગયો હશે. જો વિદેશમાં ભણવા જવું છે અને તમને એક એવા દેશની શોધમાં હોય કે જ્યાં સરળતાથી બધુ મળી રહે તો લોકો અથવા ગુજરાતીઓ કેનેડાને સૌથી પહેલા પસંદ કરે છે. પછી બીજા દેશ બાજુ નજર કરતા હોય છે. પણ જો હવે કોઈને કેનેડામાં વિદ્યાર્થી વિઝા પર ભણવા જવું છે તો અઘરું પડી શકે છે. કારણ કે ત્યાં રહેવાની જગ્યાઓ હવે ઓછી પડવા લાગી છે. 


કેનેડા બન્યું વિદ્યાર્થીઓની પહેલી પસંદ 

કેનેડા સરકારના મંત્રીએ હમણા જબરદસ્ત જાહેરાત કરી દીધી છે જે બધા એવા લોકોને ચિંતામાં મૂકી દીધા છે જેને કેનેડામાં ભણવા કે કમાવવા માટે જવું છે. સીન ફ્રેઝરે કહ્યું હતું કે કેનેડામાં વધારે લોકો આવી રહ્યા છે એના કારણે હવે રહેવાની જગ્યાઓ ઓછી થઈ રહી છે, તો કેનેડાની સરકાર વિચારી રહી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા પર નિયંત્રણ મૂકવા વિચારી શકે છે. આંકડાઓ પર ધ્યાન કરીએ તો સત્તાવાર આંકડા મુજબ 2022માં કેનેડામાં સક્રિય વિઝાવાળા વિદ્યાર્થી 8 લાખથી વધુ છે. ઠીક દસ વર્ષ પહેલા વિઝાવાળા વિદ્યાર્થી પોણા ત્રણ લાખ હતા અને અત્યારે 8 લાખ થઈ ગયા છે અને સંખ્યા વધી જ રહી છે. આવું પણ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કેનેડામાં આસાનીથી નોકરી મળી જાય છે અને લોકોને રહેવું સહેલું છે. 


સ્ટુડન્ટ વિઝા પર મૂકાઈ શકે છે મર્યાદા!

ટૂંકમાં સીન ફ્રેઝરે કહ્યું છે કે એ સ્ટુડન્ટ વિઝા પર મર્યાદા મૂકાઈ શકે છે, મૂકાઈ જશે એવું નથી કહ્યું. આવું પણ તેમને એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કેનેડા એ પ્રકારે બનાવાયું છે કે હવે તેમાં વધારે લોકો સમાઈ શકે એમ જ નથી. કેનેડાની જસ્ટીન ટ્રુડો સરકાર પણ આ મુદ્દા પર કામ કરી રહી છે પણ પડકાર મોટો છે માટે તકલીફ પડી રહી છે. જો કે બીજી બાજુ ફ્રેઝરે સ્વયં સ્વીકાર કર્યો હતો કે નવા રહેવાસીઓને આવવા પર રોક લાવી દેવી એ પણ સમાધાન નથી તેના માટે અલગથી વિચાર કરવો પડશે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.