શું તમે પણ સ્ટુડન્ટ વિઝા પર Canada જવાનું વિચારી રહ્યા છો? જતા પહેલા વાંચીલો આ સમાચાર કારણ કે...


  • Published By :
  • Published Date : 2023-08-24 17:02:18

વિદેશમાં જઈ ભણવાનો ક્રેઝ દિનપ્રતિદિન વધી ગયો છે. આપણામાંથી અનેક એવા હશે જેના પરિવારમાંથી કોઈને કોઈ સદસ્ય વિદેશમાં ભણવા ગયો હશે. જો વિદેશમાં ભણવા જવું છે અને તમને એક એવા દેશની શોધમાં હોય કે જ્યાં સરળતાથી બધુ મળી રહે તો લોકો અથવા ગુજરાતીઓ કેનેડાને સૌથી પહેલા પસંદ કરે છે. પછી બીજા દેશ બાજુ નજર કરતા હોય છે. પણ જો હવે કોઈને કેનેડામાં વિદ્યાર્થી વિઝા પર ભણવા જવું છે તો અઘરું પડી શકે છે. કારણ કે ત્યાં રહેવાની જગ્યાઓ હવે ઓછી પડવા લાગી છે. 


કેનેડા બન્યું વિદ્યાર્થીઓની પહેલી પસંદ 

કેનેડા સરકારના મંત્રીએ હમણા જબરદસ્ત જાહેરાત કરી દીધી છે જે બધા એવા લોકોને ચિંતામાં મૂકી દીધા છે જેને કેનેડામાં ભણવા કે કમાવવા માટે જવું છે. સીન ફ્રેઝરે કહ્યું હતું કે કેનેડામાં વધારે લોકો આવી રહ્યા છે એના કારણે હવે રહેવાની જગ્યાઓ ઓછી થઈ રહી છે, તો કેનેડાની સરકાર વિચારી રહી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા પર નિયંત્રણ મૂકવા વિચારી શકે છે. આંકડાઓ પર ધ્યાન કરીએ તો સત્તાવાર આંકડા મુજબ 2022માં કેનેડામાં સક્રિય વિઝાવાળા વિદ્યાર્થી 8 લાખથી વધુ છે. ઠીક દસ વર્ષ પહેલા વિઝાવાળા વિદ્યાર્થી પોણા ત્રણ લાખ હતા અને અત્યારે 8 લાખ થઈ ગયા છે અને સંખ્યા વધી જ રહી છે. આવું પણ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કેનેડામાં આસાનીથી નોકરી મળી જાય છે અને લોકોને રહેવું સહેલું છે. 


સ્ટુડન્ટ વિઝા પર મૂકાઈ શકે છે મર્યાદા!

ટૂંકમાં સીન ફ્રેઝરે કહ્યું છે કે એ સ્ટુડન્ટ વિઝા પર મર્યાદા મૂકાઈ શકે છે, મૂકાઈ જશે એવું નથી કહ્યું. આવું પણ તેમને એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કેનેડા એ પ્રકારે બનાવાયું છે કે હવે તેમાં વધારે લોકો સમાઈ શકે એમ જ નથી. કેનેડાની જસ્ટીન ટ્રુડો સરકાર પણ આ મુદ્દા પર કામ કરી રહી છે પણ પડકાર મોટો છે માટે તકલીફ પડી રહી છે. જો કે બીજી બાજુ ફ્રેઝરે સ્વયં સ્વીકાર કર્યો હતો કે નવા રહેવાસીઓને આવવા પર રોક લાવી દેવી એ પણ સમાધાન નથી તેના માટે અલગથી વિચાર કરવો પડશે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .