TET-TAT ઉમેદવારોના સમર્થનમાં Arjun Modhvadiya,શિક્ષણના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક પર તેમણે સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-08-26 13:57:51

TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાવિ શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. અનેક ધારાસભ્ય ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે સરકાર જ્ઞાન સહાયક યોજના બંધ કરી નવી શિક્ષણ નીતિ મુજબ પ્રતિ 25 વિદ્યાર્થી 1 શિક્ષકના રેશિયો મુજબ કાયમી શિક્ષકોની ભરતી કરે અને શિક્ષણમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિ બંધ કરે.

અર્જુન મોઢવાડિયા આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

અત્યારે ભાવિ શિક્ષકો ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના બંધ કરવા માટે લડી રહ્યા છે. કારણ કે તેમનો તર્ક છે કે આટલા વર્ષ સુધી અમે કોન્ટ્રાક્ટવાળી નોકરી નહોતી કરી, અમને કાયમી નોકરી જોઈએ છે. ઉમેદવારોએ રજૂઆત કરવા અનેક વખત પ્રયત્ન કર્યો. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. બીજીબાજુ સરકાર શિક્ષકોના ખાલી પદ ભરવા માટે તૈયારી કરી રહી છે કારણ કે 2017થી કોઈ પણ મોટી ભરતી કરવામાં નથી આવી. માટે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારવા શિક્ષકોની ખાલી જગ્યા ભરવી જરૂરી છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે.  


પ્રધાનમંત્રીની સહાયતા માગી TET-TATના ઉમેદવારોએ 

મુદ્દો તો ચારે બાજુથી ઘેરાઈ રહ્યો છે વિદ્યાર્થીઓએ પણ સરકાર ન માની તો પ્રધાનમંત્રીની મદદ માગી છે અને મધ્યસ્થતા કરવા અપીલ કરી છે. તેમણે વિનમ્ર ધમકી પણ આપી હતી કે સરકારને કોઈ તકલીફ ન પડે માટે પ્રધાનમંત્રી વચ્ચે મધ્યસ્થતા કરે અને જ્ઞાન સહાયક યોજના દૂર કરે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી