TET-TAT ઉમેદવારોના સમર્થનમાં Arjun Modhvadiya,શિક્ષણના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક પર તેમણે સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-08-26 13:57:51

TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાવિ શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. અનેક ધારાસભ્ય ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે સરકાર જ્ઞાન સહાયક યોજના બંધ કરી નવી શિક્ષણ નીતિ મુજબ પ્રતિ 25 વિદ્યાર્થી 1 શિક્ષકના રેશિયો મુજબ કાયમી શિક્ષકોની ભરતી કરે અને શિક્ષણમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિ બંધ કરે.

અર્જુન મોઢવાડિયા આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

અત્યારે ભાવિ શિક્ષકો ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના બંધ કરવા માટે લડી રહ્યા છે. કારણ કે તેમનો તર્ક છે કે આટલા વર્ષ સુધી અમે કોન્ટ્રાક્ટવાળી નોકરી નહોતી કરી, અમને કાયમી નોકરી જોઈએ છે. ઉમેદવારોએ રજૂઆત કરવા અનેક વખત પ્રયત્ન કર્યો. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. બીજીબાજુ સરકાર શિક્ષકોના ખાલી પદ ભરવા માટે તૈયારી કરી રહી છે કારણ કે 2017થી કોઈ પણ મોટી ભરતી કરવામાં નથી આવી. માટે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારવા શિક્ષકોની ખાલી જગ્યા ભરવી જરૂરી છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે.  


પ્રધાનમંત્રીની સહાયતા માગી TET-TATના ઉમેદવારોએ 

મુદ્દો તો ચારે બાજુથી ઘેરાઈ રહ્યો છે વિદ્યાર્થીઓએ પણ સરકાર ન માની તો પ્રધાનમંત્રીની મદદ માગી છે અને મધ્યસ્થતા કરવા અપીલ કરી છે. તેમણે વિનમ્ર ધમકી પણ આપી હતી કે સરકારને કોઈ તકલીફ ન પડે માટે પ્રધાનમંત્રી વચ્ચે મધ્યસ્થતા કરે અને જ્ઞાન સહાયક યોજના દૂર કરે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.