TET-TAT ઉમેદવારોના સમર્થનમાં Arjun Modhvadiya,શિક્ષણના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક પર તેમણે સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-08-26 13:57:51

TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાવિ શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. અનેક ધારાસભ્ય ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે સરકાર જ્ઞાન સહાયક યોજના બંધ કરી નવી શિક્ષણ નીતિ મુજબ પ્રતિ 25 વિદ્યાર્થી 1 શિક્ષકના રેશિયો મુજબ કાયમી શિક્ષકોની ભરતી કરે અને શિક્ષણમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિ બંધ કરે.

અર્જુન મોઢવાડિયા આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

અત્યારે ભાવિ શિક્ષકો ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના બંધ કરવા માટે લડી રહ્યા છે. કારણ કે તેમનો તર્ક છે કે આટલા વર્ષ સુધી અમે કોન્ટ્રાક્ટવાળી નોકરી નહોતી કરી, અમને કાયમી નોકરી જોઈએ છે. ઉમેદવારોએ રજૂઆત કરવા અનેક વખત પ્રયત્ન કર્યો. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. બીજીબાજુ સરકાર શિક્ષકોના ખાલી પદ ભરવા માટે તૈયારી કરી રહી છે કારણ કે 2017થી કોઈ પણ મોટી ભરતી કરવામાં નથી આવી. માટે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારવા શિક્ષકોની ખાલી જગ્યા ભરવી જરૂરી છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે.  


પ્રધાનમંત્રીની સહાયતા માગી TET-TATના ઉમેદવારોએ 

મુદ્દો તો ચારે બાજુથી ઘેરાઈ રહ્યો છે વિદ્યાર્થીઓએ પણ સરકાર ન માની તો પ્રધાનમંત્રીની મદદ માગી છે અને મધ્યસ્થતા કરવા અપીલ કરી છે. તેમણે વિનમ્ર ધમકી પણ આપી હતી કે સરકારને કોઈ તકલીફ ન પડે માટે પ્રધાનમંત્રી વચ્ચે મધ્યસ્થતા કરે અને જ્ઞાન સહાયક યોજના દૂર કરે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.