Arjun modhwadia- Hardik Patel ધારે તો પોતાના પર લઈ શકે, બાકી પ્રસ્તુત છે કવિ કૃષ્ણ દવેની રચના - ખીસકોલી


  • Published By :
  • Published Date : 2024-03-07 09:40:26

પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. પહેલા રામ રાજ્ય હતું પરંતુ હવે રામના નામે રાજનીતિ થઈ રહી છે! થોડા દિવસો પહેલા જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ખીસકોલી અંગે વાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છું.’આવી જ ખિસકોલીની વાત હાર્દિક પટેલે જે તે સમયે કરી હતી. ખીસકોલીની વાત નીકળી જ છે તો થયું કે ખીસકોલીની એક રચના તમારા સુધી પહોંચાડીએ જે કૃષ્ણ દવેની રચના છે. અર્જુન મોઢવાડિયા તથા હાર્દિક પટેલ ધારે તો પોતાના પર લઈ શકે, બાકી આ તો કવિની રચના છે.



ખીસકોલી ! ! !


ખીસકોલી હિબકે ચડી


ઘૂંટણીયા ટેકવ્યા તે બીજુ નહીં કોઈ અને એક જ હું નજરે પડી ?


ખીસકોલી હિબકે ચડી


કમળને રોજનું છે કેટલાંયે ભમરાઓ સામેથી કેદ થવા આવે

સમજે ઇ પોતાની સર્જરી કરાવે ને મૂળમાંથી જીભ જ ખેંચાવે


પૂછ્યા વિના જ મને સરખાવી દીધી તે તમને હું કોઈ દિ નડી ?


ખીસકોલી હિબકે ચડી


મોસમને જોઇ રંગ બદલી નાખ્યો કે પછી નીકળ્યા અંધારા ખંખેરવા?

નાનકડી સમજણનો દીવો પ્રગટે તો એને વ્હાલ કરે હુંફાળા ટેરવાં 


મુંગા રહી આવડ્યું ઇ કામ મેં કર્યું ને ભાઈ એટલે હું રામને જડી


ખીસકોલી હિબકે ચડી


કૃષ્ણ દવે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.