Arjun modhwadia- Hardik Patel ધારે તો પોતાના પર લઈ શકે, બાકી પ્રસ્તુત છે કવિ કૃષ્ણ દવેની રચના - ખીસકોલી


  • Published By :
  • Published Date : 2024-03-07 09:40:26

પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. પહેલા રામ રાજ્ય હતું પરંતુ હવે રામના નામે રાજનીતિ થઈ રહી છે! થોડા દિવસો પહેલા જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ખીસકોલી અંગે વાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છું.’આવી જ ખિસકોલીની વાત હાર્દિક પટેલે જે તે સમયે કરી હતી. ખીસકોલીની વાત નીકળી જ છે તો થયું કે ખીસકોલીની એક રચના તમારા સુધી પહોંચાડીએ જે કૃષ્ણ દવેની રચના છે. અર્જુન મોઢવાડિયા તથા હાર્દિક પટેલ ધારે તો પોતાના પર લઈ શકે, બાકી આ તો કવિની રચના છે.



ખીસકોલી ! ! !


ખીસકોલી હિબકે ચડી


ઘૂંટણીયા ટેકવ્યા તે બીજુ નહીં કોઈ અને એક જ હું નજરે પડી ?


ખીસકોલી હિબકે ચડી


કમળને રોજનું છે કેટલાંયે ભમરાઓ સામેથી કેદ થવા આવે

સમજે ઇ પોતાની સર્જરી કરાવે ને મૂળમાંથી જીભ જ ખેંચાવે


પૂછ્યા વિના જ મને સરખાવી દીધી તે તમને હું કોઈ દિ નડી ?


ખીસકોલી હિબકે ચડી


મોસમને જોઇ રંગ બદલી નાખ્યો કે પછી નીકળ્યા અંધારા ખંખેરવા?

નાનકડી સમજણનો દીવો પ્રગટે તો એને વ્હાલ કરે હુંફાળા ટેરવાં 


મુંગા રહી આવડ્યું ઇ કામ મેં કર્યું ને ભાઈ એટલે હું રામને જડી


ખીસકોલી હિબકે ચડી


કૃષ્ણ દવે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.