Arjun modhwadia- Hardik Patel ધારે તો પોતાના પર લઈ શકે, બાકી પ્રસ્તુત છે કવિ કૃષ્ણ દવેની રચના - ખીસકોલી


  • Published By :
  • Published Date : 2024-03-07 09:40:26

પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. પહેલા રામ રાજ્ય હતું પરંતુ હવે રામના નામે રાજનીતિ થઈ રહી છે! થોડા દિવસો પહેલા જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ખીસકોલી અંગે વાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છું.’આવી જ ખિસકોલીની વાત હાર્દિક પટેલે જે તે સમયે કરી હતી. ખીસકોલીની વાત નીકળી જ છે તો થયું કે ખીસકોલીની એક રચના તમારા સુધી પહોંચાડીએ જે કૃષ્ણ દવેની રચના છે. અર્જુન મોઢવાડિયા તથા હાર્દિક પટેલ ધારે તો પોતાના પર લઈ શકે, બાકી આ તો કવિની રચના છે.



ખીસકોલી ! ! !


ખીસકોલી હિબકે ચડી


ઘૂંટણીયા ટેકવ્યા તે બીજુ નહીં કોઈ અને એક જ હું નજરે પડી ?


ખીસકોલી હિબકે ચડી


કમળને રોજનું છે કેટલાંયે ભમરાઓ સામેથી કેદ થવા આવે

સમજે ઇ પોતાની સર્જરી કરાવે ને મૂળમાંથી જીભ જ ખેંચાવે


પૂછ્યા વિના જ મને સરખાવી દીધી તે તમને હું કોઈ દિ નડી ?


ખીસકોલી હિબકે ચડી


મોસમને જોઇ રંગ બદલી નાખ્યો કે પછી નીકળ્યા અંધારા ખંખેરવા?

નાનકડી સમજણનો દીવો પ્રગટે તો એને વ્હાલ કરે હુંફાળા ટેરવાં 


મુંગા રહી આવડ્યું ઇ કામ મેં કર્યું ને ભાઈ એટલે હું રામને જડી


ખીસકોલી હિબકે ચડી


કૃષ્ણ દવે



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.