શંકરસિંહ અને મોઢવાડીયાએ મહેસાણા કોર્ટમાં વિપુલ ચૌધરી માટે ભલામણ કર્યાનું સ્વીકાર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 18:49:44

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સાગરદાણ કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા આજે મહેસાણા કોર્ટમાં હાજર થયા હતા. શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વર્ષ- 2013માં તે સમયના કૃષિ મંત્રી શરદ પવાર અને કોંગ્રેસ નેતૃત્વને વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. બંને નેતા દ્વારા વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હોવાની તેમણે કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. 


મહેસાણા કોર્ટમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ શું જુબાની આપી?


મહેસાણા સેસન્સ કોર્ટ સમક્ષ હાજર થયેલા શંકરસિંહ વાઘેલાની કોર્ટમાં પુછપરછ કરાઈ હતી. જેમાં સરકારી વકીલે તેમના પર સવાલોનો મારો ચલાવ્યો હતો. જેમ કે તમે વિપુલ ચૌધરીને ઓળખો છો ? આ પ્રશ્નના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારથી એટલે કે 2013થી હું વિપુલ ચૌધરીને ઓળખું છું. વધુમાં વિપુલ ચૌધરીને  NDDBના ચેરમેન બનાવવા પત્ર લખ્યો હતો ? તેવા વકીલના સવાલને લઇને હા, 20 જુલાઈ 2013ના રોજ મેં પત્ર લખ્યો હતો. પત્ર મેં જ લખ્યો છે અને તેમાં સહી પણ મારી છે. તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વિપુલ ચૌધરી માટે શા માટે ભલામણ પત્ર લખ્યો હતો? ત્યારે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મેં સિસ્ટમના ભાગરૂપે પત્ર લખ્યો હતો ? અગાઉ પોલીસે આ બાબતે કોઈ નિવેદન માટે બોલાવ્યા હતા ? તેવા વકિલના સવાલના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ના, મને કોઈ પોલીસ અધિકારીએ આ બાબતે બોલાવ્યો નથી. પશુદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યું તેની તમને કેવી રીતે જાણ થઈ ? તેમ વકીલે પ્રશ્ન કર્યો હતો ત્યારે શંકરસિંહ વાઘેલાએ જવાબ આપ્યો હતો કે મને છાપાના માધ્યમથી જાણ થઈ. એક પ્રથા છે, જ્યાં દુકાળ પડે ત્યાં મદદ કરવી. શંકરસિંહ વાઘેલાએ કોર્ટમાં કહ્યું કે 8 જુલાઈ 2020ના દિવસે ભલામણ પત્ર લખ્યાનું સ્વીકાર્યું હતું. શંકરસિંહએ કોર્ટમાં ભલામણ પત્રની નકલને પણ ઓળખી બતાવી હતી. તો અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે વિપુલ ચૌધરી તે સમયે ચેરમેન હતા અને યોગ્ય વ્યક્તિ લાગતા ભલામણ કરી હતી, જો કે નિમણૂંકનો અંતિમ નિર્ણય તો સત્તાધીશોએ લેવાનો હતો. શંકરસિંહ અને મોઢવાડિયાએ રાજકીય કિન્નાખોરી રાખીને હેરાન કરવાનો સરકાર પર આરોપ લગાવ્યો.


શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સામે કેસ શું છે?


મહારાષ્ટ્રમાં વર્ષ- 2013માં  રૂ.22.50 કરોડના ખર્ચે સાગરદાણ મોકલવાનો દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સામે કેસ થયો હતો. આ કેસ સંદર્ભે સરકારી વકીલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ પાઠવવાની કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે તે માન્ય રાખી સમન્સ મોકલ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. જેમાં વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હતી. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .