શંકરસિંહ અને મોઢવાડીયાએ મહેસાણા કોર્ટમાં વિપુલ ચૌધરી માટે ભલામણ કર્યાનું સ્વીકાર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 18:49:44

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સાગરદાણ કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા આજે મહેસાણા કોર્ટમાં હાજર થયા હતા. શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વર્ષ- 2013માં તે સમયના કૃષિ મંત્રી શરદ પવાર અને કોંગ્રેસ નેતૃત્વને વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. બંને નેતા દ્વારા વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હોવાની તેમણે કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. 


મહેસાણા કોર્ટમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ શું જુબાની આપી?


મહેસાણા સેસન્સ કોર્ટ સમક્ષ હાજર થયેલા શંકરસિંહ વાઘેલાની કોર્ટમાં પુછપરછ કરાઈ હતી. જેમાં સરકારી વકીલે તેમના પર સવાલોનો મારો ચલાવ્યો હતો. જેમ કે તમે વિપુલ ચૌધરીને ઓળખો છો ? આ પ્રશ્નના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારથી એટલે કે 2013થી હું વિપુલ ચૌધરીને ઓળખું છું. વધુમાં વિપુલ ચૌધરીને  NDDBના ચેરમેન બનાવવા પત્ર લખ્યો હતો ? તેવા વકીલના સવાલને લઇને હા, 20 જુલાઈ 2013ના રોજ મેં પત્ર લખ્યો હતો. પત્ર મેં જ લખ્યો છે અને તેમાં સહી પણ મારી છે. તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વિપુલ ચૌધરી માટે શા માટે ભલામણ પત્ર લખ્યો હતો? ત્યારે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મેં સિસ્ટમના ભાગરૂપે પત્ર લખ્યો હતો ? અગાઉ પોલીસે આ બાબતે કોઈ નિવેદન માટે બોલાવ્યા હતા ? તેવા વકિલના સવાલના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ના, મને કોઈ પોલીસ અધિકારીએ આ બાબતે બોલાવ્યો નથી. પશુદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યું તેની તમને કેવી રીતે જાણ થઈ ? તેમ વકીલે પ્રશ્ન કર્યો હતો ત્યારે શંકરસિંહ વાઘેલાએ જવાબ આપ્યો હતો કે મને છાપાના માધ્યમથી જાણ થઈ. એક પ્રથા છે, જ્યાં દુકાળ પડે ત્યાં મદદ કરવી. શંકરસિંહ વાઘેલાએ કોર્ટમાં કહ્યું કે 8 જુલાઈ 2020ના દિવસે ભલામણ પત્ર લખ્યાનું સ્વીકાર્યું હતું. શંકરસિંહએ કોર્ટમાં ભલામણ પત્રની નકલને પણ ઓળખી બતાવી હતી. તો અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે વિપુલ ચૌધરી તે સમયે ચેરમેન હતા અને યોગ્ય વ્યક્તિ લાગતા ભલામણ કરી હતી, જો કે નિમણૂંકનો અંતિમ નિર્ણય તો સત્તાધીશોએ લેવાનો હતો. શંકરસિંહ અને મોઢવાડિયાએ રાજકીય કિન્નાખોરી રાખીને હેરાન કરવાનો સરકાર પર આરોપ લગાવ્યો.


શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સામે કેસ શું છે?


મહારાષ્ટ્રમાં વર્ષ- 2013માં  રૂ.22.50 કરોડના ખર્ચે સાગરદાણ મોકલવાનો દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સામે કેસ થયો હતો. આ કેસ સંદર્ભે સરકારી વકીલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ પાઠવવાની કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે તે માન્ય રાખી સમન્સ મોકલ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. જેમાં વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.