શંકરસિંહ અને મોઢવાડીયાએ મહેસાણા કોર્ટમાં વિપુલ ચૌધરી માટે ભલામણ કર્યાનું સ્વીકાર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 18:49:44

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સાગરદાણ કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા આજે મહેસાણા કોર્ટમાં હાજર થયા હતા. શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વર્ષ- 2013માં તે સમયના કૃષિ મંત્રી શરદ પવાર અને કોંગ્રેસ નેતૃત્વને વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. બંને નેતા દ્વારા વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હોવાની તેમણે કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. 


મહેસાણા કોર્ટમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ શું જુબાની આપી?


મહેસાણા સેસન્સ કોર્ટ સમક્ષ હાજર થયેલા શંકરસિંહ વાઘેલાની કોર્ટમાં પુછપરછ કરાઈ હતી. જેમાં સરકારી વકીલે તેમના પર સવાલોનો મારો ચલાવ્યો હતો. જેમ કે તમે વિપુલ ચૌધરીને ઓળખો છો ? આ પ્રશ્નના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારથી એટલે કે 2013થી હું વિપુલ ચૌધરીને ઓળખું છું. વધુમાં વિપુલ ચૌધરીને  NDDBના ચેરમેન બનાવવા પત્ર લખ્યો હતો ? તેવા વકીલના સવાલને લઇને હા, 20 જુલાઈ 2013ના રોજ મેં પત્ર લખ્યો હતો. પત્ર મેં જ લખ્યો છે અને તેમાં સહી પણ મારી છે. તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વિપુલ ચૌધરી માટે શા માટે ભલામણ પત્ર લખ્યો હતો? ત્યારે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મેં સિસ્ટમના ભાગરૂપે પત્ર લખ્યો હતો ? અગાઉ પોલીસે આ બાબતે કોઈ નિવેદન માટે બોલાવ્યા હતા ? તેવા વકિલના સવાલના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ના, મને કોઈ પોલીસ અધિકારીએ આ બાબતે બોલાવ્યો નથી. પશુદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યું તેની તમને કેવી રીતે જાણ થઈ ? તેમ વકીલે પ્રશ્ન કર્યો હતો ત્યારે શંકરસિંહ વાઘેલાએ જવાબ આપ્યો હતો કે મને છાપાના માધ્યમથી જાણ થઈ. એક પ્રથા છે, જ્યાં દુકાળ પડે ત્યાં મદદ કરવી. શંકરસિંહ વાઘેલાએ કોર્ટમાં કહ્યું કે 8 જુલાઈ 2020ના દિવસે ભલામણ પત્ર લખ્યાનું સ્વીકાર્યું હતું. શંકરસિંહએ કોર્ટમાં ભલામણ પત્રની નકલને પણ ઓળખી બતાવી હતી. તો અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે વિપુલ ચૌધરી તે સમયે ચેરમેન હતા અને યોગ્ય વ્યક્તિ લાગતા ભલામણ કરી હતી, જો કે નિમણૂંકનો અંતિમ નિર્ણય તો સત્તાધીશોએ લેવાનો હતો. શંકરસિંહ અને મોઢવાડિયાએ રાજકીય કિન્નાખોરી રાખીને હેરાન કરવાનો સરકાર પર આરોપ લગાવ્યો.


શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સામે કેસ શું છે?


મહારાષ્ટ્રમાં વર્ષ- 2013માં  રૂ.22.50 કરોડના ખર્ચે સાગરદાણ મોકલવાનો દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સામે કેસ થયો હતો. આ કેસ સંદર્ભે સરકારી વકીલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ પાઠવવાની કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે તે માન્ય રાખી સમન્સ મોકલ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. જેમાં વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હતી. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .