લોકસભા ચૂંટણી પહેલા Arjun Modhwadiya છોડશે કોંગ્રેસનો હાથ! જાણો રાજીનામા અંગે શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ જમાવટની ટીમને?


  • Published By :
  • Published Date : 2024-01-24 15:40:08

ચૂંટણી આવે તે સમય દરમિયાન ભાજપમાં ભરતી મેળો શરૂ થતો હોય છે સામાન્ય રીતે. પાર્ટીની સાથે છેડો ફાડી કેસરિયો નેતાઓ ધારણ કરી રહ્યા છે. એવી અટકળો, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસના એક મોટા નેતા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. થોડા સમય પહેલા અર્જુન ખાટરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. તે વખતે એવી વાતો વહેતી થઈ હતી કે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કહી શકે છે. અર્જુન મોઢવાડિયા ફ્રેબ્રુઆરીમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી હતી. પરંતુ જ્યારે જમાવટની ટીમે અર્જુન મોઢવાડિયાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે રાજીનામું નથી આપવાના. અર્જુન મોઢવાડિયાના રાજીનામા અંગેની વાત વહેતી થતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે સ્પષ્ટતા આપી છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે.   

ભાજપ વિપક્ષના ધારાસભ્યોને ખેંચી રહી છે!

ગુજરાતના બે પ્રતિષ્ઠિત સમાચાર માધ્યમોએ લખ્યું છે કે પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાત સમાચાર અને સંદેશ જેવા સમાચાર માધ્યમો દાવો કરે છે કે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. અને ભાજપ વિપક્ષના ધારાસભ્યો તોડી પોતાના તરફ ખેંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એકબાદ એક નેતાઓ તે પછી કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે પછી અપક્ષના તે એકબાદએક ભાજપમાં જોડાઈ રહ્યા છે. 

વિજાપુરના ધારાસભ્યએ પદ પરથી આપ્યું હતું રાજીનામું!

ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજીકી માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે તમામ જગ્યાએ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો કહી રહ્યા છે કે ભાજપનું ઓપરેશન લોટ્સ ચાલી રહ્યું છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને હવે તે પણ કેસરિયા કરવાના છે ત્યારે હવે આ ઓપરેશન લોટ્સમાં પોરબંદરની બેઠકના કોંગ્રેસનાં સિનિયર નેતા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોંઢવાડીયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. 



રામ મંદિરને કારણે આવ્યા હતા ચર્ચામાં 

તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે X પર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’ 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે