લોકસભા ચૂંટણી પહેલા Arjun Modhwadiya છોડશે કોંગ્રેસનો હાથ! જાણો રાજીનામા અંગે શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ જમાવટની ટીમને?


  • Published By :
  • Published Date : 2024-01-24 15:40:08

ચૂંટણી આવે તે સમય દરમિયાન ભાજપમાં ભરતી મેળો શરૂ થતો હોય છે સામાન્ય રીતે. પાર્ટીની સાથે છેડો ફાડી કેસરિયો નેતાઓ ધારણ કરી રહ્યા છે. એવી અટકળો, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસના એક મોટા નેતા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. થોડા સમય પહેલા અર્જુન ખાટરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. તે વખતે એવી વાતો વહેતી થઈ હતી કે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કહી શકે છે. અર્જુન મોઢવાડિયા ફ્રેબ્રુઆરીમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી હતી. પરંતુ જ્યારે જમાવટની ટીમે અર્જુન મોઢવાડિયાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે રાજીનામું નથી આપવાના. અર્જુન મોઢવાડિયાના રાજીનામા અંગેની વાત વહેતી થતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે સ્પષ્ટતા આપી છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે.   

ભાજપ વિપક્ષના ધારાસભ્યોને ખેંચી રહી છે!

ગુજરાતના બે પ્રતિષ્ઠિત સમાચાર માધ્યમોએ લખ્યું છે કે પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાત સમાચાર અને સંદેશ જેવા સમાચાર માધ્યમો દાવો કરે છે કે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. અને ભાજપ વિપક્ષના ધારાસભ્યો તોડી પોતાના તરફ ખેંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એકબાદ એક નેતાઓ તે પછી કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે પછી અપક્ષના તે એકબાદએક ભાજપમાં જોડાઈ રહ્યા છે. 

વિજાપુરના ધારાસભ્યએ પદ પરથી આપ્યું હતું રાજીનામું!

ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજીકી માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે તમામ જગ્યાએ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો કહી રહ્યા છે કે ભાજપનું ઓપરેશન લોટ્સ ચાલી રહ્યું છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને હવે તે પણ કેસરિયા કરવાના છે ત્યારે હવે આ ઓપરેશન લોટ્સમાં પોરબંદરની બેઠકના કોંગ્રેસનાં સિનિયર નેતા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોંઢવાડીયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. 



રામ મંદિરને કારણે આવ્યા હતા ચર્ચામાં 

તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે X પર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’ 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.