લોકસભા ચૂંટણી પહેલા Arjun Modhwadiya છોડશે કોંગ્રેસનો હાથ! જાણો રાજીનામા અંગે શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ જમાવટની ટીમને?


  • Published By :
  • Published Date : 2024-01-24 15:40:08

ચૂંટણી આવે તે સમય દરમિયાન ભાજપમાં ભરતી મેળો શરૂ થતો હોય છે સામાન્ય રીતે. પાર્ટીની સાથે છેડો ફાડી કેસરિયો નેતાઓ ધારણ કરી રહ્યા છે. એવી અટકળો, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસના એક મોટા નેતા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. થોડા સમય પહેલા અર્જુન ખાટરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. તે વખતે એવી વાતો વહેતી થઈ હતી કે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કહી શકે છે. અર્જુન મોઢવાડિયા ફ્રેબ્રુઆરીમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી હતી. પરંતુ જ્યારે જમાવટની ટીમે અર્જુન મોઢવાડિયાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે રાજીનામું નથી આપવાના. અર્જુન મોઢવાડિયાના રાજીનામા અંગેની વાત વહેતી થતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે સ્પષ્ટતા આપી છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે.   

ભાજપ વિપક્ષના ધારાસભ્યોને ખેંચી રહી છે!

ગુજરાતના બે પ્રતિષ્ઠિત સમાચાર માધ્યમોએ લખ્યું છે કે પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાત સમાચાર અને સંદેશ જેવા સમાચાર માધ્યમો દાવો કરે છે કે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. અને ભાજપ વિપક્ષના ધારાસભ્યો તોડી પોતાના તરફ ખેંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એકબાદ એક નેતાઓ તે પછી કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે પછી અપક્ષના તે એકબાદએક ભાજપમાં જોડાઈ રહ્યા છે. 

વિજાપુરના ધારાસભ્યએ પદ પરથી આપ્યું હતું રાજીનામું!

ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજીકી માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે તમામ જગ્યાએ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો કહી રહ્યા છે કે ભાજપનું ઓપરેશન લોટ્સ ચાલી રહ્યું છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને હવે તે પણ કેસરિયા કરવાના છે ત્યારે હવે આ ઓપરેશન લોટ્સમાં પોરબંદરની બેઠકના કોંગ્રેસનાં સિનિયર નેતા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોંઢવાડીયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. 



રામ મંદિરને કારણે આવ્યા હતા ચર્ચામાં 

તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે X પર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’ 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.