લોકસભા ચૂંટણી પહેલા Arjun Modhwadiya છોડશે કોંગ્રેસનો હાથ! જાણો રાજીનામા અંગે શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ જમાવટની ટીમને?


  • Published By :
  • Published Date : 2024-01-24 15:40:08

ચૂંટણી આવે તે સમય દરમિયાન ભાજપમાં ભરતી મેળો શરૂ થતો હોય છે સામાન્ય રીતે. પાર્ટીની સાથે છેડો ફાડી કેસરિયો નેતાઓ ધારણ કરી રહ્યા છે. એવી અટકળો, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસના એક મોટા નેતા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. થોડા સમય પહેલા અર્જુન ખાટરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. તે વખતે એવી વાતો વહેતી થઈ હતી કે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કહી શકે છે. અર્જુન મોઢવાડિયા ફ્રેબ્રુઆરીમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી હતી. પરંતુ જ્યારે જમાવટની ટીમે અર્જુન મોઢવાડિયાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે રાજીનામું નથી આપવાના. અર્જુન મોઢવાડિયાના રાજીનામા અંગેની વાત વહેતી થતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે સ્પષ્ટતા આપી છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે.   

ભાજપ વિપક્ષના ધારાસભ્યોને ખેંચી રહી છે!

ગુજરાતના બે પ્રતિષ્ઠિત સમાચાર માધ્યમોએ લખ્યું છે કે પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાત સમાચાર અને સંદેશ જેવા સમાચાર માધ્યમો દાવો કરે છે કે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. અને ભાજપ વિપક્ષના ધારાસભ્યો તોડી પોતાના તરફ ખેંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એકબાદ એક નેતાઓ તે પછી કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે પછી અપક્ષના તે એકબાદએક ભાજપમાં જોડાઈ રહ્યા છે. 

વિજાપુરના ધારાસભ્યએ પદ પરથી આપ્યું હતું રાજીનામું!

ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજીકી માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે તમામ જગ્યાએ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો કહી રહ્યા છે કે ભાજપનું ઓપરેશન લોટ્સ ચાલી રહ્યું છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને હવે તે પણ કેસરિયા કરવાના છે ત્યારે હવે આ ઓપરેશન લોટ્સમાં પોરબંદરની બેઠકના કોંગ્રેસનાં સિનિયર નેતા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોંઢવાડીયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. 



રામ મંદિરને કારણે આવ્યા હતા ચર્ચામાં 

તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે X પર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’ 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.