Social Media પર વાયરલ થયો આર્મી જવાનનો વીડિયો, સ્વાગત વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો જેને જોઈ તમે પણ બોલી ઉઠશો....


  • Published By :
  • Published Date : 2023-08-15 17:49:19

આજે 15મી ઓગસ્ટ છે, દરેક લોકોના દિલમાં જાગેલી દેશભક્તિ ચરમ સીમાએ હોય છે. સેનાના જવાન માટે આપણા દિલમાં અલગ જગ્યા હોય છે. સરહદ પર જ્યારે આર્મી જવાન દિવસ રાત જાગી આપણા દેશની રક્ષા કરતા હોય છે, મા ભોમની સેવા માટે આખું જીવન સમર્પિત કરી દે છે. જવાન પોતાના પરિવારથી દૂર રહી તહેવાર મનાવે છે જેને કારણે આપણે શાંતીથી, કોઈ ડર વગર પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકીએ છીએ. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે આપણા દિલને સુકન પહોંચાડે છે. 

સીમા પર તૈનાત જવાનોને કારણે આપણે દેશમાં રહી શકીએ છીએ સુરક્ષિત 

જ્યારે આપણે કોઈ આર્મી જવાનને વર્દીમાં જોઈએ છીએ ત્યારે આપણી છાતી પણ ગદગદ થઈ જતી હોય છે. જવાનને જોઈને આપણને ગર્વની અનુભૂતિ થતી હોય છે. જ્યારે પરિવારના સભ્યોને આર્મી જવાન મળે ત્યારે જે દ્રશ્યો સર્જાય છે તે ભાવુક કરી દેતા હોય છે. આર્મીમાં જોડાયેલો દીકરો જ્યારે સહીસલામત પરિવારને મળવા આવે છે ત્યારે પરિવારમાં જે આનંદની લાગણી હોય છે તેનો પાર નથી રહેતો. આર્મી જવાન પોતાના ઘરે આવે છે પરંતુ ઘણી વખત તે ઝંડામાં લપેટાઈને આવે છે. મતલબ કે તે શહીદ થઈ ગયા હોય છે.


ઘન્ય છે એ પરિવારને જે મા ભોમની સેવા કાજે મોકલે છે પોતાના સભ્યોને  

ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે તે પોતાના પરિવારને મળી રહ્યા હોય. આર્મી જવાનના સ્વાગત માટે લાલ ઝાઝમ પાથરવામાં આવી છે. આર્મી જવાનને જોઈ લોકો ગદગદ થઈ ગયા હતા. એ પરિવારને પણ સલામ છે જે પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે. એ લોકો પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે એટલે આપણે આપણા પરિવાર સાથે ખુશીઓથી, શાંતિથી રહી શકીએ છીએ. દેશમાં રહેતા લોકો પર સંકટ ન આવે તે માટે જવાન પોતાના સીનામાં દુશ્મનની ગોળી ખાય છે અને અંતે મા ભારતીની સેવામાં શહીદ થઈ જાય છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .