Social Media પર વાયરલ થયો આર્મી જવાનનો વીડિયો, સ્વાગત વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો જેને જોઈ તમે પણ બોલી ઉઠશો....


  • Published By :
  • Published Date : 2023-08-15 17:49:19

આજે 15મી ઓગસ્ટ છે, દરેક લોકોના દિલમાં જાગેલી દેશભક્તિ ચરમ સીમાએ હોય છે. સેનાના જવાન માટે આપણા દિલમાં અલગ જગ્યા હોય છે. સરહદ પર જ્યારે આર્મી જવાન દિવસ રાત જાગી આપણા દેશની રક્ષા કરતા હોય છે, મા ભોમની સેવા માટે આખું જીવન સમર્પિત કરી દે છે. જવાન પોતાના પરિવારથી દૂર રહી તહેવાર મનાવે છે જેને કારણે આપણે શાંતીથી, કોઈ ડર વગર પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકીએ છીએ. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે આપણા દિલને સુકન પહોંચાડે છે. 

સીમા પર તૈનાત જવાનોને કારણે આપણે દેશમાં રહી શકીએ છીએ સુરક્ષિત 

જ્યારે આપણે કોઈ આર્મી જવાનને વર્દીમાં જોઈએ છીએ ત્યારે આપણી છાતી પણ ગદગદ થઈ જતી હોય છે. જવાનને જોઈને આપણને ગર્વની અનુભૂતિ થતી હોય છે. જ્યારે પરિવારના સભ્યોને આર્મી જવાન મળે ત્યારે જે દ્રશ્યો સર્જાય છે તે ભાવુક કરી દેતા હોય છે. આર્મીમાં જોડાયેલો દીકરો જ્યારે સહીસલામત પરિવારને મળવા આવે છે ત્યારે પરિવારમાં જે આનંદની લાગણી હોય છે તેનો પાર નથી રહેતો. આર્મી જવાન પોતાના ઘરે આવે છે પરંતુ ઘણી વખત તે ઝંડામાં લપેટાઈને આવે છે. મતલબ કે તે શહીદ થઈ ગયા હોય છે.


ઘન્ય છે એ પરિવારને જે મા ભોમની સેવા કાજે મોકલે છે પોતાના સભ્યોને  

ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે તે પોતાના પરિવારને મળી રહ્યા હોય. આર્મી જવાનના સ્વાગત માટે લાલ ઝાઝમ પાથરવામાં આવી છે. આર્મી જવાનને જોઈ લોકો ગદગદ થઈ ગયા હતા. એ પરિવારને પણ સલામ છે જે પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે. એ લોકો પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે એટલે આપણે આપણા પરિવાર સાથે ખુશીઓથી, શાંતિથી રહી શકીએ છીએ. દેશમાં રહેતા લોકો પર સંકટ ન આવે તે માટે જવાન પોતાના સીનામાં દુશ્મનની ગોળી ખાય છે અને અંતે મા ભારતીની સેવામાં શહીદ થઈ જાય છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.