Social Media પર વાયરલ થયો આર્મી જવાનનો વીડિયો, સ્વાગત વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો જેને જોઈ તમે પણ બોલી ઉઠશો....


  • Published By :
  • Published Date : 2023-08-15 17:49:19

આજે 15મી ઓગસ્ટ છે, દરેક લોકોના દિલમાં જાગેલી દેશભક્તિ ચરમ સીમાએ હોય છે. સેનાના જવાન માટે આપણા દિલમાં અલગ જગ્યા હોય છે. સરહદ પર જ્યારે આર્મી જવાન દિવસ રાત જાગી આપણા દેશની રક્ષા કરતા હોય છે, મા ભોમની સેવા માટે આખું જીવન સમર્પિત કરી દે છે. જવાન પોતાના પરિવારથી દૂર રહી તહેવાર મનાવે છે જેને કારણે આપણે શાંતીથી, કોઈ ડર વગર પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકીએ છીએ. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે આપણા દિલને સુકન પહોંચાડે છે. 

સીમા પર તૈનાત જવાનોને કારણે આપણે દેશમાં રહી શકીએ છીએ સુરક્ષિત 

જ્યારે આપણે કોઈ આર્મી જવાનને વર્દીમાં જોઈએ છીએ ત્યારે આપણી છાતી પણ ગદગદ થઈ જતી હોય છે. જવાનને જોઈને આપણને ગર્વની અનુભૂતિ થતી હોય છે. જ્યારે પરિવારના સભ્યોને આર્મી જવાન મળે ત્યારે જે દ્રશ્યો સર્જાય છે તે ભાવુક કરી દેતા હોય છે. આર્મીમાં જોડાયેલો દીકરો જ્યારે સહીસલામત પરિવારને મળવા આવે છે ત્યારે પરિવારમાં જે આનંદની લાગણી હોય છે તેનો પાર નથી રહેતો. આર્મી જવાન પોતાના ઘરે આવે છે પરંતુ ઘણી વખત તે ઝંડામાં લપેટાઈને આવે છે. મતલબ કે તે શહીદ થઈ ગયા હોય છે.


ઘન્ય છે એ પરિવારને જે મા ભોમની સેવા કાજે મોકલે છે પોતાના સભ્યોને  

ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે તે પોતાના પરિવારને મળી રહ્યા હોય. આર્મી જવાનના સ્વાગત માટે લાલ ઝાઝમ પાથરવામાં આવી છે. આર્મી જવાનને જોઈ લોકો ગદગદ થઈ ગયા હતા. એ પરિવારને પણ સલામ છે જે પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે. એ લોકો પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે એટલે આપણે આપણા પરિવાર સાથે ખુશીઓથી, શાંતિથી રહી શકીએ છીએ. દેશમાં રહેતા લોકો પર સંકટ ન આવે તે માટે જવાન પોતાના સીનામાં દુશ્મનની ગોળી ખાય છે અને અંતે મા ભારતીની સેવામાં શહીદ થઈ જાય છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે