Social Media પર વાયરલ થયો આર્મી જવાનનો વીડિયો, સ્વાગત વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો જેને જોઈ તમે પણ બોલી ઉઠશો....


  • Published By :
  • Published Date : 2023-08-15 17:49:19

આજે 15મી ઓગસ્ટ છે, દરેક લોકોના દિલમાં જાગેલી દેશભક્તિ ચરમ સીમાએ હોય છે. સેનાના જવાન માટે આપણા દિલમાં અલગ જગ્યા હોય છે. સરહદ પર જ્યારે આર્મી જવાન દિવસ રાત જાગી આપણા દેશની રક્ષા કરતા હોય છે, મા ભોમની સેવા માટે આખું જીવન સમર્પિત કરી દે છે. જવાન પોતાના પરિવારથી દૂર રહી તહેવાર મનાવે છે જેને કારણે આપણે શાંતીથી, કોઈ ડર વગર પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકીએ છીએ. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે આપણા દિલને સુકન પહોંચાડે છે. 

સીમા પર તૈનાત જવાનોને કારણે આપણે દેશમાં રહી શકીએ છીએ સુરક્ષિત 

જ્યારે આપણે કોઈ આર્મી જવાનને વર્દીમાં જોઈએ છીએ ત્યારે આપણી છાતી પણ ગદગદ થઈ જતી હોય છે. જવાનને જોઈને આપણને ગર્વની અનુભૂતિ થતી હોય છે. જ્યારે પરિવારના સભ્યોને આર્મી જવાન મળે ત્યારે જે દ્રશ્યો સર્જાય છે તે ભાવુક કરી દેતા હોય છે. આર્મીમાં જોડાયેલો દીકરો જ્યારે સહીસલામત પરિવારને મળવા આવે છે ત્યારે પરિવારમાં જે આનંદની લાગણી હોય છે તેનો પાર નથી રહેતો. આર્મી જવાન પોતાના ઘરે આવે છે પરંતુ ઘણી વખત તે ઝંડામાં લપેટાઈને આવે છે. મતલબ કે તે શહીદ થઈ ગયા હોય છે.


ઘન્ય છે એ પરિવારને જે મા ભોમની સેવા કાજે મોકલે છે પોતાના સભ્યોને  

ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે તે પોતાના પરિવારને મળી રહ્યા હોય. આર્મી જવાનના સ્વાગત માટે લાલ ઝાઝમ પાથરવામાં આવી છે. આર્મી જવાનને જોઈ લોકો ગદગદ થઈ ગયા હતા. એ પરિવારને પણ સલામ છે જે પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે. એ લોકો પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે એટલે આપણે આપણા પરિવાર સાથે ખુશીઓથી, શાંતિથી રહી શકીએ છીએ. દેશમાં રહેતા લોકો પર સંકટ ન આવે તે માટે જવાન પોતાના સીનામાં દુશ્મનની ગોળી ખાય છે અને અંતે મા ભારતીની સેવામાં શહીદ થઈ જાય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.