ગઢડાના SP સ્વામીની ધરપકડ, અમદાવાદમાં ટ્રાફિક પોલીસ બૂથ કાર ચડાવી દેવા મામલે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2024-01-03 18:08:13

અમદાવાદમાં અકસ્માતના ગુના હેઠળ ગઢડાના એસપી સ્વામીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. એસપી સ્વામી દ્વારા અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે એસજી હાઇવે ઉપર થલતેજ પાસે અકસ્માત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં કાર થલતેજના ટ્રાફિક પોલીસ બૂથમાં જ સીધી ઘુસી ગઈ હતી. કાર અથડાતાં ટ્રાફિક બુથ તૂટી પડ્યું હતુ. આ ઇનોવા કાર ગઢડા સ્વામિનારાયણ મંદિરના SP સ્વામીની હોવાનું તથા SP સ્વામી જ ગાડી ચલાવતા હોવાનું સામે આવ્યુ છે. SP સ્વામીએ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતા. SG 1 ટ્રાફિક પોલીસે SP સ્વામી સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


કઈ રીતે સર્જાયો અકસ્માત?


આજે સવારે 9.30થી 10 કલાકની આસપાસ એસજી હાઇવે પર ઇનોવા કાર લઇને પસાર થઇ રહ્યા હતા.તેઓ એકલા જ કાર ચલાવીને જઇ રહ્યા હતા. થલતેજ પાસે કાર પહોંચતા તેઓએ જમણી બાજુ ટર્ન લીધો હતો.જો કે કાર સ્પીડમાં હોવાથી કાર સીધી જ જમણી બાજુના ટ્રાફિક બુથ સાથે અથડાઇ હતી. કાર અથડાતાં ટ્રાફિક બુથ તૂટી પડ્યું હતુ. ગાડી પોલીસ ચોકીમાં ઘુસી જતા અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇપણ જાનહાની થઇ નથી. જો કે સ્પીડમાં કાર ચલાવવા અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો છે.


કોણ છે એસપી સ્વામી?


એસપી સ્વામી વારંવાર વિવાદોમાં આવતા હોય છે. એસપી સ્વામી ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે.જો કે દેવ પક્ષ સાથે તેમને વિવાદ રહેતો હોય છે. ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ કરાયા હતા. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી. સ્વામીને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો હુકમ કરાયો હતો. બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે. જો હુકમ કરેલ 6 જિલ્લામાં એસ.પી.સ્વામી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો હતો. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.