Sukhdev Singh Gogamedi હત્યા કેસમાં સામેલ બંને શૂટરોની ધરપકડ, પોલીસને ગેરમાર્ગે દોરવા પહોંચ્યા હતા મનાલી


  • Published By :
  • Published Date : 2023-12-10 16:44:09

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi) હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચંદીગઢથી હત્યામાં સામેલ બંને શૂટર્સ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે હત્યામાં સામેલ બે શૂટર્સ (રોહિત રાઠોડ અને નીતિન ફૌજી) સહિત ત્રણ લોકોની ચંદીગઢ સેક્ટર 22 Aની એક હોટલમાંથી ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે રીકવર કરવામાં આવ્યા છે. પોલીસ ત્રણેય આરોપીઓને દિલ્હી લાવી છે, હવે પોલીસ તેમને જયપુર લઈ જશે. આ સંદર્ભે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દ્ર યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે. 


હત્યા બાદ મનાલી પહોંચી ગયા હતા


હત્યા બાદ આરોપીઓ પોલીસથી છુપાઈને તેઓ મનાલી પહોંચ્યા હતા. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહની હત્યા કર્યા બાદ આરોપીઓ પહેલા ટ્રેનમાં હિસાર ગયા હતા, હિસાર પહોંચ્યા બાદ બસમાં મનાલી જવા રવાના થયા. - મનાલીથી મંડી અને પછી ચંદીગઢ આવ્યા હતા. હત્યારાઓ એક હોટલમાં રોકાયા હતા ત્યારે જ ચંદીગઢની હોટલમાંથી પોલીસે ધરપકડ કરી હતી. શૂટરોએ હત્યા કર્યા પછી હથિયાર છુપાવી દીધા હતા, જેથી તેઓ ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પકડાઈ ન જાય અથવા બસ. જે બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસે તે હથિયારો હસ્તગત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે તેમના મોબાઈલને ટ્રેક કર્યો હતો, જ્યારે પોલીસ તેમની પાસે પહોંચી ત્યારે ત્રણેય સાથે જ હતા.



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.