Sukhdev Singh Gogamedi હત્યા કેસમાં સામેલ બંને શૂટરોની ધરપકડ, પોલીસને ગેરમાર્ગે દોરવા પહોંચ્યા હતા મનાલી


  • Published By :
  • Published Date : 2023-12-10 16:44:09

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi) હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચંદીગઢથી હત્યામાં સામેલ બંને શૂટર્સ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે હત્યામાં સામેલ બે શૂટર્સ (રોહિત રાઠોડ અને નીતિન ફૌજી) સહિત ત્રણ લોકોની ચંદીગઢ સેક્ટર 22 Aની એક હોટલમાંથી ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે રીકવર કરવામાં આવ્યા છે. પોલીસ ત્રણેય આરોપીઓને દિલ્હી લાવી છે, હવે પોલીસ તેમને જયપુર લઈ જશે. આ સંદર્ભે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દ્ર યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે. 


હત્યા બાદ મનાલી પહોંચી ગયા હતા


હત્યા બાદ આરોપીઓ પોલીસથી છુપાઈને તેઓ મનાલી પહોંચ્યા હતા. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહની હત્યા કર્યા બાદ આરોપીઓ પહેલા ટ્રેનમાં હિસાર ગયા હતા, હિસાર પહોંચ્યા બાદ બસમાં મનાલી જવા રવાના થયા. - મનાલીથી મંડી અને પછી ચંદીગઢ આવ્યા હતા. હત્યારાઓ એક હોટલમાં રોકાયા હતા ત્યારે જ ચંદીગઢની હોટલમાંથી પોલીસે ધરપકડ કરી હતી. શૂટરોએ હત્યા કર્યા પછી હથિયાર છુપાવી દીધા હતા, જેથી તેઓ ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પકડાઈ ન જાય અથવા બસ. જે બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસે તે હથિયારો હસ્તગત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે તેમના મોબાઈલને ટ્રેક કર્યો હતો, જ્યારે પોલીસ તેમની પાસે પહોંચી ત્યારે ત્રણેય સાથે જ હતા.



વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.