Sukhdev Singh Gogamedi હત્યા કેસમાં સામેલ બંને શૂટરોની ધરપકડ, પોલીસને ગેરમાર્ગે દોરવા પહોંચ્યા હતા મનાલી


  • Published By :
  • Published Date : 2023-12-10 16:44:09

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi) હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચંદીગઢથી હત્યામાં સામેલ બંને શૂટર્સ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે હત્યામાં સામેલ બે શૂટર્સ (રોહિત રાઠોડ અને નીતિન ફૌજી) સહિત ત્રણ લોકોની ચંદીગઢ સેક્ટર 22 Aની એક હોટલમાંથી ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે રીકવર કરવામાં આવ્યા છે. પોલીસ ત્રણેય આરોપીઓને દિલ્હી લાવી છે, હવે પોલીસ તેમને જયપુર લઈ જશે. આ સંદર્ભે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દ્ર યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે. 


હત્યા બાદ મનાલી પહોંચી ગયા હતા


હત્યા બાદ આરોપીઓ પોલીસથી છુપાઈને તેઓ મનાલી પહોંચ્યા હતા. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહની હત્યા કર્યા બાદ આરોપીઓ પહેલા ટ્રેનમાં હિસાર ગયા હતા, હિસાર પહોંચ્યા બાદ બસમાં મનાલી જવા રવાના થયા. - મનાલીથી મંડી અને પછી ચંદીગઢ આવ્યા હતા. હત્યારાઓ એક હોટલમાં રોકાયા હતા ત્યારે જ ચંદીગઢની હોટલમાંથી પોલીસે ધરપકડ કરી હતી. શૂટરોએ હત્યા કર્યા પછી હથિયાર છુપાવી દીધા હતા, જેથી તેઓ ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પકડાઈ ન જાય અથવા બસ. જે બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસે તે હથિયારો હસ્તગત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે તેમના મોબાઈલને ટ્રેક કર્યો હતો, જ્યારે પોલીસ તેમની પાસે પહોંચી ત્યારે ત્રણેય સાથે જ હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.