સુપ્રીમ કોર્ટ કલમ 370 મામલે ફાસ્ટ ટ્રેક સુનાવણી કરશે, 2 ઓગસ્ટથી દરરોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-11 19:18:06

જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે સુનાવણી હાથ ધરવાની છે, સરકારના નિર્ણય સામે આવેલી બે અરજીઓ પર 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે. સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

 

બંધારણીય મુદ્દા પર જ સુનાવણી


કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મિરની સ્થિતીને જોતા દાખલ કરેલી નવી એફિડેવિટને લઈ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ જ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે કહ્યું છે કે તે માત્ર બંધારણીય મુદ્દાઓ પર જ સુનાવણી કરશે. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આર્ટિકલ-370 હટાવ્યા બાદ કાશ્મીરની સ્થિતીમાં કેટલો ફેરફાર આવ્યો છે તે અંગે જાણકારી આપી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલે જણાવ્યું કે આ સંપુર્ણપણે એક બંધારણીય કેસ છે.


તમામ પક્ષકારો પાસે જવાબ માગ્યો


સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ પક્ષકારો પાસે આગામી 27 જુલાઈ સુધીમાં જવાબ રજુ કરવાનું કહ્યું છે. ઈલેક્ટ્રોનિક મોડમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કલમ 370 મામલે સુનાવણી ફાસ્ટ ટ્રેક મોડમાં 2 ઓગસ્ટથી ડે- ટૂ-ડે એટલે કે સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર, અને ગુરૂવારે થશે.


કોણ છે મુખ્ય ફરિયાદી?


કલમ 370 હટાવવામાં આવી તે મામલે આઈએએસ અધિકારી શાહ ફૈઝલ અને એક્ટિવિસ્ટ શેહલા રશીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે પણ સહમતી વ્યક્ત કરતા અરજીકર્તા તરીકે તેમના નામ હટાવી  દેવામાં આવે. અરજીકર્તાઓમાં સૌથી પહેલા તે બંને હતા. વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું કે શાહ ફૈઝલ અને શેહલા રશીદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. ચીફ જસ્ટીસે બંનેના નામ અરજદારોની યાદીમાંથી હટાવવાના નિર્દેશ આપ્યા હતા. અત્યાર સુધી લીડ પિટિશન શાહ ફૈસલ વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના નામે હતી, જેને હવે બદલી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. જે બાદ તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આને લગતી 20 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બેંચ દ્વારા એક સાથે કરવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.