સુપ્રીમ કોર્ટ કલમ 370 મામલે ફાસ્ટ ટ્રેક સુનાવણી કરશે, 2 ઓગસ્ટથી દરરોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-11 19:18:06

જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે સુનાવણી હાથ ધરવાની છે, સરકારના નિર્ણય સામે આવેલી બે અરજીઓ પર 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે. સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

 

બંધારણીય મુદ્દા પર જ સુનાવણી


કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મિરની સ્થિતીને જોતા દાખલ કરેલી નવી એફિડેવિટને લઈ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ જ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે કહ્યું છે કે તે માત્ર બંધારણીય મુદ્દાઓ પર જ સુનાવણી કરશે. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આર્ટિકલ-370 હટાવ્યા બાદ કાશ્મીરની સ્થિતીમાં કેટલો ફેરફાર આવ્યો છે તે અંગે જાણકારી આપી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલે જણાવ્યું કે આ સંપુર્ણપણે એક બંધારણીય કેસ છે.


તમામ પક્ષકારો પાસે જવાબ માગ્યો


સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ પક્ષકારો પાસે આગામી 27 જુલાઈ સુધીમાં જવાબ રજુ કરવાનું કહ્યું છે. ઈલેક્ટ્રોનિક મોડમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કલમ 370 મામલે સુનાવણી ફાસ્ટ ટ્રેક મોડમાં 2 ઓગસ્ટથી ડે- ટૂ-ડે એટલે કે સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર, અને ગુરૂવારે થશે.


કોણ છે મુખ્ય ફરિયાદી?


કલમ 370 હટાવવામાં આવી તે મામલે આઈએએસ અધિકારી શાહ ફૈઝલ અને એક્ટિવિસ્ટ શેહલા રશીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે પણ સહમતી વ્યક્ત કરતા અરજીકર્તા તરીકે તેમના નામ હટાવી  દેવામાં આવે. અરજીકર્તાઓમાં સૌથી પહેલા તે બંને હતા. વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું કે શાહ ફૈઝલ અને શેહલા રશીદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. ચીફ જસ્ટીસે બંનેના નામ અરજદારોની યાદીમાંથી હટાવવાના નિર્દેશ આપ્યા હતા. અત્યાર સુધી લીડ પિટિશન શાહ ફૈસલ વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના નામે હતી, જેને હવે બદલી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. જે બાદ તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આને લગતી 20 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બેંચ દ્વારા એક સાથે કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.