સુપ્રીમ કોર્ટ કલમ 370 મામલે ફાસ્ટ ટ્રેક સુનાવણી કરશે, 2 ઓગસ્ટથી દરરોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-11 19:18:06

જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે સુનાવણી હાથ ધરવાની છે, સરકારના નિર્ણય સામે આવેલી બે અરજીઓ પર 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે. સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

 

બંધારણીય મુદ્દા પર જ સુનાવણી


કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મિરની સ્થિતીને જોતા દાખલ કરેલી નવી એફિડેવિટને લઈ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ જ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે કહ્યું છે કે તે માત્ર બંધારણીય મુદ્દાઓ પર જ સુનાવણી કરશે. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આર્ટિકલ-370 હટાવ્યા બાદ કાશ્મીરની સ્થિતીમાં કેટલો ફેરફાર આવ્યો છે તે અંગે જાણકારી આપી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલે જણાવ્યું કે આ સંપુર્ણપણે એક બંધારણીય કેસ છે.


તમામ પક્ષકારો પાસે જવાબ માગ્યો


સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ પક્ષકારો પાસે આગામી 27 જુલાઈ સુધીમાં જવાબ રજુ કરવાનું કહ્યું છે. ઈલેક્ટ્રોનિક મોડમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કલમ 370 મામલે સુનાવણી ફાસ્ટ ટ્રેક મોડમાં 2 ઓગસ્ટથી ડે- ટૂ-ડે એટલે કે સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર, અને ગુરૂવારે થશે.


કોણ છે મુખ્ય ફરિયાદી?


કલમ 370 હટાવવામાં આવી તે મામલે આઈએએસ અધિકારી શાહ ફૈઝલ અને એક્ટિવિસ્ટ શેહલા રશીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે પણ સહમતી વ્યક્ત કરતા અરજીકર્તા તરીકે તેમના નામ હટાવી  દેવામાં આવે. અરજીકર્તાઓમાં સૌથી પહેલા તે બંને હતા. વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું કે શાહ ફૈઝલ અને શેહલા રશીદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. ચીફ જસ્ટીસે બંનેના નામ અરજદારોની યાદીમાંથી હટાવવાના નિર્દેશ આપ્યા હતા. અત્યાર સુધી લીડ પિટિશન શાહ ફૈસલ વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના નામે હતી, જેને હવે બદલી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. જે બાદ તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આને લગતી 20 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બેંચ દ્વારા એક સાથે કરવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.